AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય ચલણી નોટ અંગે આવ્યા ચિંતાજનક સમાચાર, બેંકોએ RBI સમક્ષ કરી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ! જાણો શું છે મામલો

એક મીડિયા રિપોર્ટ મુજબ એક સિનિયર બેંક એક્ઝિક્યુટિવે કહ્યું કે એક તરફ સિસ્ટમમાં કુલ રોકડમાં વધારો થયો છે તો સાથે જ તેમાં ખરાબ નોટો વધુ છે. બેંકોએ ખરાબ નોટો દૂર થાય ત્યાં સુધી કેશ હોલ્ડિંગ લિમિટમાં વધારો કરવાનું સૂચન કર્યું છે.

ભારતીય ચલણી નોટ અંગે આવ્યા ચિંતાજનક સમાચાર, બેંકોએ RBI સમક્ષ કરી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ! જાણો શું છે મામલો
Indian Currency
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 8:19 AM
Share

બેંકોએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ને જાણ કરી છે કે તેમની પાસે ઉપયોગ માટે યોગ્ય કરન્સી કરતા બિનઉપયોગી નોટોની સંખ્યા વધુ છે. બેંકોએ આ બાબતે RBIના તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી હતી. એક મીડિયા રિપોર્ટ મુજબ એક સિનિયર બેંક એક્ઝિક્યુટિવે કહ્યું કે એક તરફ સિસ્ટમમાં કુલ રોકડમાં વધારો થયો છે તો સાથે જ તેમાં ખરાબ નોટો વધુ છે. બેંકોએ ખરાબ નોટો દૂર થાય ત્યાં સુધી કેશ હોલ્ડિંગ લિમિટમાં વધારો કરવાનું સૂચન કર્યું છે.

RBI કેશ હોલ્ડિંગ લિમિટ વધારવાનો નિર્ણય કરી શકે છે બેન્કરે કહ્યું કે રિઝર્વ બેન્ક કરન્સી ચેસ્ટની કેશ હોલ્ડિંગ મર્યાદા વધારવા માટે નીતિગત નિર્ણય લઈ શકે છે જો ખરાબ ચલણી નોટોચેસ્ટ સ્પેસનામાં 60 ટકાથી અમુક ટકા વધુ થઇ શકે છે. રિપોર્ટ અનુસાર તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય બેંકે ક્લીન નોટ પોલિસીને અનુસરવાનું શરૂ કર્યું છે જેમાં કરન્સી ચેસ્ટમાંથી મળેલી નોટની રિકવરી અને પ્રક્રિયા સાથે ખરાબ નોટોના ઓટોમેટેડ નાશ કરવાનો સમાવેશ થાય છે.

આરબીઆઈના વાર્ષિક અહેવાલ અનુસાર, ચલણમાં રહેલી બેંક નોટો 2020-21માં સરેરાશથી વધારો થયો છે. RBI ના જણાવ્યા અનુસાર, કોવિડ -19 રોગચાળાને કારણે લોકો રોકડ રાખવામાં સાવચેત રહેવાને કારણે આવું થયું છે. રિપોર્ટ અનુસાર, 2020-21 દરમિયાન ચલણમાં નોટનું મૂલ્ય અને વોલ્યુમ અનુક્રમે 16.8 ટકા અને 7.2 ટકા વધ્યું છે. મૂલ્યની દ્રષ્ટિએ રૂપિયા 500 અને 2,000 ની નોટો મળીને 31 માર્ચ, 2021 ના ​​રોજ ચલણમાં કુલ નોટોના મૂલ્યનો 85.7 ટકા હિસ્સો ધરાવે છે. અગાઉ આ આંકડો 83.4 ટકા હતો. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે રોગચાળાએ ખરાબ નોટોના નિકાલને પણ અસર કરી છે. જો કે, તે 2020-21ના બીજા ભાગમાં ઝડપી બન્યું હતું.

ખરાબ નોટોનો નિકાલ પણ ધીમો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રયત્નો છતાં આખા વર્ષમાં ખરાબ નોટોના નિકાલમાં 32 ટકાનો ઘટાડો થયો છે. હાલમાં 3,054 કરન્સી ચેસ્ટ છે જેમાંથી 55 ટકા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પાસે છે. અન્ય એક બેંક એક્ઝિક્યુટિવે કહ્યું કે તેઓ અપેક્ષા રાખે છે કે દેશ કોવિડ -19 રોગચાળાના કટોકટીમાંથી ઉભરી આવે અને અનૌપચારિક અર્થવ્યવસ્થામાં વધારો થતાં ચલણી નોટોની માંગ વધશે.કેટલાક ઉદ્યોગ નિષ્ણાતો કહે છે કે કેન્દ્રીય બેંકોએ તેમની કરન્સી ચેસ્ટ પોલિસીને વ્યાપકપણે અપડેટ કરવી જોઈએ.

આ પણ વાંચો : આ DEMAT ખાતાધારકોનું આવતીકાલથી એકાઉન્ટ DEACTIVE થઈ જશે, નહીં કરી શકે શેરનું ખરીદ – વેચાણ! જાણો કારણ

આ પણ વાંચો: Income Tax Department Recruitment : સરકારી નોકરી માટે બહાર પડી છે વેકેન્સી, આજે એપ્લાય નહિ કરો તો ચુકી જશો તક

Follow Us
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">