AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ DEMAT ખાતાધારકોનું આવતીકાલથી એકાઉન્ટ DEACTIVE થઈ જશે, નહીં કરી શકે શેરનું ખરીદ – વેચાણ! જાણો કારણ

ખાતાધારકોએ આજે જ ખાતું વિગતો સાથે અપડેટ કરવું જોઈએ અન્યથા તેમનું ખાતું નિષ્ક્રિય થઈ શકે છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ (CDSL) દ્વારા આ સંદર્ભમાં પરિપત્રો પણ જારી કરવામાં આવ્યા છે.

આ DEMAT ખાતાધારકોનું આવતીકાલથી એકાઉન્ટ DEACTIVE થઈ જશે, નહીં કરી શકે શેરનું ખરીદ - વેચાણ! જાણો કારણ
Demat - Trading Account KYC
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 7:54 AM
Share

Demat – Trading Account KYC : ડીમેટ અને ટ્રેડિંગ ખાતાધારકોને ડિપોઝિટરીઝ દ્વારા 30 સપ્ટેમ્બર સુધીમાં KYC અપડેટ કરવા કહેવામાં આવ્યું હતું. અપડેટ કરવાની છેલ્લી તારીખ આજે 30 સપ્ટેમ્બર છે. આવી સ્થિતિમાં, ખાતાધારકોએ આજે જ અપડેટ કરવું જોઈએ અન્યથા તેમનું ખાતું નિષ્ક્રિય થઈ શકે છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ (CDSL) દ્વારા આ સંદર્ભમાં પરિપત્રો પણ જારી કરવામાં આવ્યા છે.

ડીમેટ/ટ્રેડિંગ એકાઉન્ટ ધારક દ્વારા અપડેટ કરવા માટે જરૂરી KYC નીચે મુજબ છે

  • નામ
  • સરનામું
  • PAN
  • મોબાઇલ નંબર
  • ઇમેઇલ આઈડી
  • આવક મર્યાદા

KYC અપડેટના હોય તો શું થશે ? જો નિર્ધારિત સમયમર્યાદા સુધીમાં તેના ડીમેટ અથવા ટ્રેડિંગ ખાતામાં આ કેવાયસી વિગતો અપડેટ નહીં કરાય, તો એકાઉન્ટ નિષ્ક્રિય કરવામાં આવશે. જો ખાતું કેવાયસી સુસંગત નથી તો ખાતાધારક શેરબજારમાં વેપાર કરી શકશે નહીં. જો કોઈ વ્યક્તિ કોઈ ચોક્કસ કંપનીના શેર ખરીદે છે તો પણ આ શેર તેના ખાતામાં કેવાયસી વિગતો અપડેટ થાય ત્યાં સુધી ટ્રાન્સફર કરવામાં આવશે નહીં.

મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી વેરિફાઈડ હોવા જોઈએ જો મોબાઇલ નંબર અથવા ઇમેઇલ આઈડી એક કરતા વધારે ડીમેટ ખાતામાં દાખલ કરવામાં આવ્યા છે અને કુટુંબની વિગતો અપડેટ કરવામાં આવી નથી તો આવા ડીમેટ ખાતા ધારક પાસે પોતાનો મોબાઇલ નંબર / ઇમેઇલ આઈડી સુધારણા ફોર્મ અથવા વિનંતી પત્ર સબમિટ કરવા માટે 15 દિવસનો સમય રહેશે.

જો નિયમોનું પાલન ન કરવામાં આવે તો આવા એકાઉન્ટ્સને બિન-સુસંગત એકાઉન્ટ્સ તરીકે વિવિધ કેટેગરીમાં વહેંચવામાં આવશે. જેમાં એક લાખથી 25 લાખની આવકવાળા લોકોનો સમાવેશ કરવામાં આવશે. ખાતાધારકોએ તેમની આવક મર્યાદા વિશે ડિપોઝિટરીને જાણ કરવી પડશે, જે વ્યક્તિઓ અને બિન-વ્યક્તિગત વિવિધ શ્રેણીઓ માટે વર્ગીકૃત કરવામાં આવશે.

બધા લાભાર્થી એટલે કે (BO) માટે અલગ મોબાઈલ નંબર અને ઇમેઇલ સરનામાં આપવાના રહેશે. જો કે, લેખિત ઘોષણા રજૂ કર્યા પછી, BO તેના / તેણીના પરિવારના સભ્યોના મોબાઇલ નંબર અને ઇમેઇલ સરનામાંને અપડેટ કરી શકે છે. આમાં પત્ની, આશ્રિત માતાપિતા અને બાળકોની વિગતો સામેલ રહશે.

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : ફરી ભડકે બળી રહ્યાં છે ઇંધણ ભાવ, જાણો આજે કેટલા મોંઘાં થયા પેટ્રોલ – ડીઝલ

આ પણ વાંચો : 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે વધુ એક ભથ્થાંને મંજૂરી આપી, જાણો કેટલો મળશે લાભ

Follow Us
AAP પ્રમુખ ઈસુદાન ગઢવીનો ભાજપ-કોંગ્રેસ પર મોટો આરોપ
AAP પ્રમુખ ઈસુદાન ગઢવીનો ભાજપ-કોંગ્રેસ પર મોટો આરોપ
દેલા ગામમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર, નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
દેલા ગામમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર, નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
ટિકિટ ના મળે તો 2027માં મારી તાકાત બતાવી દઈશ: તસ્નીમ આલમ
ટિકિટ ના મળે તો 2027માં મારી તાકાત બતાવી દઈશ: તસ્નીમ આલમ
રાજ્યમાં અંગ દઝાડતી ગરમી સહન કરવા માટે થઈ જજો તૈયાર, અંબાલાલની આગાહી
રાજ્યમાં અંગ દઝાડતી ગરમી સહન કરવા માટે થઈ જજો તૈયાર, અંબાલાલની આગાહી
પાટણ: ચૂંટણી ફોર્મ ભરવા બળદગાડામાં નીકળ્યા ઉમેદવારો!
પાટણ: ચૂંટણી ફોર્મ ભરવા બળદગાડામાં નીકળ્યા ઉમેદવારો!
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
કોંગ્રેસ ઉમેદવાર પાસે નથી ચૂંટણી લડવાના પૈસા, મતદારો પાસેથી ઉઘરાવ્યા
કોંગ્રેસ ઉમેદવાર પાસે નથી ચૂંટણી લડવાના પૈસા, મતદારો પાસેથી ઉઘરાવ્યા
Breaking News: અંતિમ દિવસે પણ 14 વોર્ડમાં સસ્પેન્સ યથાવત, જુઓ Video
Breaking News: અંતિમ દિવસે પણ 14 વોર્ડમાં સસ્પેન્સ યથાવત, જુઓ Video
Breaking News: આચારસંહિતામાં સરકારી કર્મચારી ભાજપ કાર્યાલયમાં!
Breaking News: આચારસંહિતામાં સરકારી કર્મચારી ભાજપ કાર્યાલયમાં!
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
g clip-path="url(#clip0_868_265)">