AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોઈ ફાટેલી ચલણી નોટ પધરાવી ગયું છે ? ચિંતા ન કરશો આ અહેવાલની માહિતી તમને ફાટેલી નોટના 100% રિટર્ન અપાવશે

ભારતીય રિઝર્વ બેન્કે ફાટેલી નોટોના બદલામાં (નોટ રિફંડ) નિયમ, 2009 માં ઘણા મહત્વના ફેરફારો કર્યા છે. નિયમો અનુસાર, લોકો નોટોની સ્થિતિના આધારે આરબીઆઈ કચેરીઓ અને દેશભરમાં નિયુક્ત બેંક શાખાઓમાં વિકૃત અથવા ખામીયુક્ત નોટો બદલી શકે છે.

કોઈ ફાટેલી ચલણી નોટ પધરાવી ગયું છે ? ચિંતા ન કરશો આ અહેવાલની માહિતી તમને ફાટેલી નોટના 100% રિટર્ન અપાવશે
soiled 2000 rupee note
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 8:08 AM
Share

કેટલીકવાર આપણી પાસે પૈસાના બંડલમાં ફાટેલી ચલણી નોટ આવી જાય છે તો ક્યારેક ઉપયોગ દરમ્યાન ચલણી નોટ ફાટી જતી હોય છે. મૂલ્ય ધરાવતી આ નોટ ફાટી જાય તો શું કરવું? આ પ્રશ્ન આપણા મનમાં ઉઠે છે.

જો તમારી પાસે પણ ફાટેલી નોટો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે આ ફાટેલી નોટો ક્યાં અને કેવી રીતે બદલી શકો છો.અને બદલામાં બેંક તમને કેટલા પૈસા આપે છે?

ભારતીય રિઝર્વ બેન્કે ફાટેલી નોટોના બદલામાં (નોટ રિફંડ) નિયમ, 2009 માં ઘણા મહત્વના ફેરફારો કર્યા છે. નિયમો અનુસાર, લોકો નોટોની સ્થિતિના આધારે આરબીઆઈ કચેરીઓ અને દેશભરમાં નિયુક્ત બેંક શાખાઓમાં  ખામીયુક્ત નોટો બદલી શકે છે.

અહીં બદલાવી શકાય ફાટેલી ચલણી નોટ તમે તમારી નજીકની કોઈપણ બેંક શાખામાં જઈને આ નોટો બદલી શકો છો. પરંતુ હા, દરેક બેંકમાં આ સુવિધા ઉપલબ્ધ નથી. બેંક કર્મચારીઓ તમારી નોટ બદલવાનો ઇનકાર કરી શકતા પણ નથી. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ તમામ બેંકોને ફાટેલી નોટોની આપ -લે કરવાની સ્પષ્ટ સૂચના આપી છે. આ સાથે તેમણે શાખાઓની આ સુવિધા વિશે બોર્ડ પણ લગાવવું પડશે.

2000 ની ફાટેલી નોટના બદલામાં શું મળશે ? RBI ના નિયમો અનુસાર નોટ કેટલી ફાટેલી છે તે તેની સ્થિતિ પર નિર્ભર કરે છે. ભારતીય રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર જો રૂ 2000 ની નોટના 88 વર્ગ સેન્ટિમીટર હોય તો પુરા પૈસા મળે છે પણ ૪૪ વર્ગ સેન્ટિમીટર પર ચલણના અડધા પૈસા મળશે.

બેંક કોઈ ફી લેતી નથી ફાટેલી નોટો બદલવા માટે બેંક તમારી પાસેથી કોઈ ફી લેતી નથી. આ સેવા બેંક દ્વારા મફત આપવામાં આવે છે. જો કે બેંક અત્યંત ખરાબ અથવા ખરાબ રીતે બળી ગયેલી નોટો બદલવાની ના પાડી શકે છે. જો બેંકને શંકા છે કે નોટ જાણી જોઈને કાપવામાં આવી છે તો તે પણ એક્સચેન્જ કરવામાં આવશે નહીં.

રિફંડ કેટલું મળશે ? રૂ .50, રૂ .100 અને રૂ .500 ની ફાટેલી નોટોના સંપૂર્ણ વળતર માટે તમારી નોટને 2 ભાગમાં વાળીને તપસ્વી પડશે જેમાંથી એક હિસ્સો આખી નોટ 40 ટકા કે તેથી વધુ આવરી લે છે તો પૂરેપૂરું રિટર્ન મળશે.

આ પણ વાંચો :  JioPhone Next : આજે RELIANCE બજારમાં મુકશે દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન , જાણો શું હશે કિંમત અને શું છે ફોનની ખાસિયત

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ક્રૂડની કિંમતમાં આવ્યો ઉછાળો , શું ફરી પેટ્રોલ – ડીઝલ મોંઘા થશે ? જાણો આજના લેટેસ્ટ રેટ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">