AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market Tips : આ 5 બાબતોથી દૂર રહેશો તો શેરબજારમાં ખોટ નહિ કમાણી કરશો

શેરબજાર(Stock Market) માંથી પૈસા કમાવવાનું દરેક રોકાણકારને પસંદ હોય છે પરંતુ બજાર માં મંડી આવે ત્યારે રોકાણકારો ગભરાટ અનુભવે છે.

Share Market Tips : આ 5 બાબતોથી દૂર રહેશો તો શેરબજારમાં ખોટ નહિ કમાણી કરશો
શેરબજારમાં ઘટાડા સાથે કારોબારની શરીઆત
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 8:41 AM
Share

Share Market Tips : શેરબજાર(Stock Market) માંથી પૈસા કમાવવાનું દરેક રોકાણકારને પસંદ હોય છે પરંતુ બજાર માં મંડી આવે ત્યારે રોકાણકારો ગભરાટ અનુભવે છે. ખાસ કરીને નુકસાન પછી રિટેલ રોકાણકારો(Investor) શેરબજારથી નિરાશ થઈ જાય છે તે કરોડપતિ બનવાના સપના સાથે શેર માર્કેટમાં જોડાય છે પરંતુ કેટલીક એવી ભૂલો કરે છે જે તેમને શેરબજારમાં પૈસા કમાવાના સ્થાને ગુમાવે છે.

કહેવાય છે કે શેરબજારમાં ખૂબ પૈસા છે. પરંતુ શા માટે દરેક જણ શેરબજારમાંથી પૈસા કમાઈ શકતા નથી? 90 ટકાથી વધુ રિટેલ રોકાણકારો શેરબજારમાં કમાણી કરવાને બદલે તેમની થાપણો ગુમાવે છે. રિટેલ રોકાણકારો શેરબજારમાંથી ખાલી હાથે પાછા ફરવાના આ પાંચ મુખ્ય કારણો છે.

કોઈના કહેવા પર રોકાણ

મોટાભાગના રિટેઇલ રોકાણકારો કોઈપણ માહિતી વિના શેરબજારમાં પ્રારંભિક રોકાણ કરે છે. આવા લોકો કોઈના કહેવા પર રોકાણ કરવાનું શરૂ કરે છે. એટલે કે, તેઓ શેરબજારને સારી રીતે જાણ્યા વિના નાણાંનું રોકાણ કરે છે. રોકાણકારો એવા શેરો પસંદ કરે છે જે મૂળભૂત રીતે મજબૂત નથી અને પૈસા ફસાઈ જાય છે જે નુકશાનનું કારણ બને છે.

બજારના ઘટાડાથી ભયભીત થવું

રિટેલ રોકાણકારો જ્યાં સુધી તેમની પાસે કમાણી હોય ત્યાં સુધી રોકાણમાં રહે છે પરંતુ બજારના ઘટવાથી રિટેલ રોકાણકારો ગભરાઈ જાય છે અને પછી ભારે નુકસાનના ડરથી સ્ટોક સસ્તામાં વેચે છે. જ્યારે મોટા રોકાણકારો ખરીદી માટે ઘટાડાની રાહ જુએ છે.

માત્ર સસ્તા શેરોની પસંદગી

છૂટક રોકાણકારો મોટાભાગે તેમના પોર્ટફોલિયોમાં એવા સ્ટોક રાખે છે જેની કિંમત ઓછી હોય છે. તેઓ વિચારે છે કે સસ્તા શેરોમાં ઓછું રોકાણ કરીને વધુ કમાણી કરી શકાય છે. પરંતુ આ ધારણા ખોટી છે. ઘણીવાર છૂટક રોકાણ આ પેની સ્ટોકમાં અટવાઈ જાય છે પછી શેરબજારમાં તેમની થાપણો ગુમાવે છે. હંમેશા કંપનીની વૃદ્ધિના આધારે સ્ટોક પસંદ કરો.

મોટી કમાણી માટે રાહ જોયા કરવી

કેટલીકવાર છૂટક રોકાણકારો મોટી કમાણી માટે રાહ જોઈ રહ્યા હોય છે તે હાંસલ કરી શકતા નથી. વેપારીઓ અને મોટા રોકાણકારો ઘણીવાર 5 થી 10 ટકાના ઉછાળા પછી કેટલાક શેરોમાંથી બહાર નીકળી જાય છે. પરંતુ છૂટક રોકાણકારો મોટા નફા માટે આ શેરોમાં ફસાઈ જાય છે અને પછી કંટાળીને સસ્તામાં અથવા નુકસાનમાં સ્ટોક વેચે છે.

તમામ મૂડીનું રોકાણ કરી નાખવું

ડિજિટલ ઈન્ડિયાના આ યુગમાં રિટેલ રોકાણકારો આંખ બંધ કરીને માર્કેટ એક્સપર્ટ પર આધાર રાખે છે. કેટલાક લોકો સોશિયલ મીડિયા દ્વારા કરોડપતિ બનવાના સપના જોતા રહે છે. પરંતુ વાસ્તવમાં તે એટલું સરળ નથી. તેથી રોકાણ કરતા પહેલા નિષ્ણાતની મદદ લેવાની ખાતરી કરો પરંતુ નિષ્ણાતને યોગ્ય રીતે પસંદ કરો. લોકો શેરબજારમાં એકસાથે બધા પૈસા મૂકી દે છે અને પછી બજાર તૂટે ત્યારે તેઓ ગભરાવા લાગે છે.

આ પણ વાંચો : ભારતથી ચીનમાં થતી નિકાસમાં નોંધનીય વધારો થયો, 4 વર્ષમાં વેપાર ખાધ 30 ટકા ઘટી

આ પણ વાંચો : Stock Market: રોકાણકારો માટે સારા સમાચાર, સેન્સેક્સ પહોચી શકે છે 1,00,000ની સપાટી પર !

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">