AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market Tips : આ 5 બાબતોથી દૂર રહેશો તો શેરબજારમાં ખોટ નહિ કમાણી કરશો

શેરબજાર(Stock Market) માંથી પૈસા કમાવવાનું દરેક રોકાણકારને પસંદ હોય છે પરંતુ બજાર માં મંડી આવે ત્યારે રોકાણકારો ગભરાટ અનુભવે છે.

Share Market Tips : આ 5 બાબતોથી દૂર રહેશો તો શેરબજારમાં ખોટ નહિ કમાણી કરશો
શેરબજારમાં ઘટાડા સાથે કારોબારની શરીઆત
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 8:41 AM
Share

Share Market Tips : શેરબજાર(Stock Market) માંથી પૈસા કમાવવાનું દરેક રોકાણકારને પસંદ હોય છે પરંતુ બજાર માં મંડી આવે ત્યારે રોકાણકારો ગભરાટ અનુભવે છે. ખાસ કરીને નુકસાન પછી રિટેલ રોકાણકારો(Investor) શેરબજારથી નિરાશ થઈ જાય છે તે કરોડપતિ બનવાના સપના સાથે શેર માર્કેટમાં જોડાય છે પરંતુ કેટલીક એવી ભૂલો કરે છે જે તેમને શેરબજારમાં પૈસા કમાવાના સ્થાને ગુમાવે છે.

કહેવાય છે કે શેરબજારમાં ખૂબ પૈસા છે. પરંતુ શા માટે દરેક જણ શેરબજારમાંથી પૈસા કમાઈ શકતા નથી? 90 ટકાથી વધુ રિટેલ રોકાણકારો શેરબજારમાં કમાણી કરવાને બદલે તેમની થાપણો ગુમાવે છે. રિટેલ રોકાણકારો શેરબજારમાંથી ખાલી હાથે પાછા ફરવાના આ પાંચ મુખ્ય કારણો છે.

કોઈના કહેવા પર રોકાણ

મોટાભાગના રિટેઇલ રોકાણકારો કોઈપણ માહિતી વિના શેરબજારમાં પ્રારંભિક રોકાણ કરે છે. આવા લોકો કોઈના કહેવા પર રોકાણ કરવાનું શરૂ કરે છે. એટલે કે, તેઓ શેરબજારને સારી રીતે જાણ્યા વિના નાણાંનું રોકાણ કરે છે. રોકાણકારો એવા શેરો પસંદ કરે છે જે મૂળભૂત રીતે મજબૂત નથી અને પૈસા ફસાઈ જાય છે જે નુકશાનનું કારણ બને છે.

બજારના ઘટાડાથી ભયભીત થવું

રિટેલ રોકાણકારો જ્યાં સુધી તેમની પાસે કમાણી હોય ત્યાં સુધી રોકાણમાં રહે છે પરંતુ બજારના ઘટવાથી રિટેલ રોકાણકારો ગભરાઈ જાય છે અને પછી ભારે નુકસાનના ડરથી સ્ટોક સસ્તામાં વેચે છે. જ્યારે મોટા રોકાણકારો ખરીદી માટે ઘટાડાની રાહ જુએ છે.

માત્ર સસ્તા શેરોની પસંદગી

છૂટક રોકાણકારો મોટાભાગે તેમના પોર્ટફોલિયોમાં એવા સ્ટોક રાખે છે જેની કિંમત ઓછી હોય છે. તેઓ વિચારે છે કે સસ્તા શેરોમાં ઓછું રોકાણ કરીને વધુ કમાણી કરી શકાય છે. પરંતુ આ ધારણા ખોટી છે. ઘણીવાર છૂટક રોકાણ આ પેની સ્ટોકમાં અટવાઈ જાય છે પછી શેરબજારમાં તેમની થાપણો ગુમાવે છે. હંમેશા કંપનીની વૃદ્ધિના આધારે સ્ટોક પસંદ કરો.

મોટી કમાણી માટે રાહ જોયા કરવી

કેટલીકવાર છૂટક રોકાણકારો મોટી કમાણી માટે રાહ જોઈ રહ્યા હોય છે તે હાંસલ કરી શકતા નથી. વેપારીઓ અને મોટા રોકાણકારો ઘણીવાર 5 થી 10 ટકાના ઉછાળા પછી કેટલાક શેરોમાંથી બહાર નીકળી જાય છે. પરંતુ છૂટક રોકાણકારો મોટા નફા માટે આ શેરોમાં ફસાઈ જાય છે અને પછી કંટાળીને સસ્તામાં અથવા નુકસાનમાં સ્ટોક વેચે છે.

તમામ મૂડીનું રોકાણ કરી નાખવું

ડિજિટલ ઈન્ડિયાના આ યુગમાં રિટેલ રોકાણકારો આંખ બંધ કરીને માર્કેટ એક્સપર્ટ પર આધાર રાખે છે. કેટલાક લોકો સોશિયલ મીડિયા દ્વારા કરોડપતિ બનવાના સપના જોતા રહે છે. પરંતુ વાસ્તવમાં તે એટલું સરળ નથી. તેથી રોકાણ કરતા પહેલા નિષ્ણાતની મદદ લેવાની ખાતરી કરો પરંતુ નિષ્ણાતને યોગ્ય રીતે પસંદ કરો. લોકો શેરબજારમાં એકસાથે બધા પૈસા મૂકી દે છે અને પછી બજાર તૂટે ત્યારે તેઓ ગભરાવા લાગે છે.

આ પણ વાંચો : ભારતથી ચીનમાં થતી નિકાસમાં નોંધનીય વધારો થયો, 4 વર્ષમાં વેપાર ખાધ 30 ટકા ઘટી

આ પણ વાંચો : Stock Market: રોકાણકારો માટે સારા સમાચાર, સેન્સેક્સ પહોચી શકે છે 1,00,000ની સપાટી પર !

Follow Us
અમદાવાદ: BOB માં ₹8.70 કરોડની ઉચાપત કરી જોઇન્ટ કસ્ટોડિયન ફરાર
અમદાવાદ: BOB માં ₹8.70 કરોડની ઉચાપત કરી જોઇન્ટ કસ્ટોડિયન ફરાર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
g clip-path="url(#clip0_868_265)">