AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : સોમવારે શેરબજારમાં કડાકો બોલવા પાછળ આ બાબતો રહી કારણભૂત, આજે કેવો રહેશે કારોબાર?

નિફ્ટીના 50માંથી 44 શેરો ઘટ્યા છે. સેન્સેક્સના 30માંથી 26 શેર તૂટ્યા છે. નિફ્ટી બજેટ દિવસની નીચલી સપાટીથી પણ નીચે સરકી ગયો છે.

Share Market : સોમવારે શેરબજારમાં કડાકો બોલવા પાછળ આ બાબતો રહી કારણભૂત, આજે કેવો રહેશે કારોબાર?
સોમવારે શેરબજારમાં કડકો બોલ્યો હતો
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 7:05 AM
Share

ભારતીય શેરબજાર(Share Market) માટે સપ્તાહનો પ્રથમ ટ્રેડિંગ દિવસ નિરાશાજનક રહ્યો હતો. સેન્સેક્સ(Sensex)માં 1000 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. આ દરમિયાન નિફ્ટી(Nifty) 300થી વધુ પોઈન્ટ ઘટીને 17,213ની નીચે સરકી ગયો હતો. બેન્ક નિફ્ટીમાં 793 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.

નિફ્ટીના 50માંથી 44 શેરો ઘટ્યા છે. સેન્સેક્સના 30માંથી 26 શેર તૂટ્યા છે. નિફ્ટી બજેટ દિવસની નીચલી સપાટીથી પણ નીચે સરકી ગયો છે. પાવર સિવાય બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દરમિયાન મિડકેપ ઇન્ડેક્સ 1 સપ્તાહની નીચી સપાટી પહોંચ્યો છે.

આ 4 કારણોથી બજારનું સેન્ટિમેન્ટ બગડ્યું હતું

  • ક્રૂડ 100 ડોલરની નજીક પહોંચી રહ્યું છે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલમાં તેજી ઘટવાના કોઈ સંકેત દેખાતા નથી. આ ક્રમમાં એશિયન માર્કેટમાં સોમવારે બ્રેન્ટ 94 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગયો હતો. છેલ્લા મહિનામાં કિંમતો 14 ટકાથી વધુ વધી છે અને આગામી સપ્તાહમાં 100 ડોલર સુધી પહોંચી શકે છે. ક્રૂડમાં મજબૂતાઈ ભારતીય અર્થતંત્ર માટે નકારાત્મક છે કારણ કે તે ગ્રાહકની માંગને અસર કરે છે અને ભારતીય રિઝર્વ બેંક પર નાણાકીય નીતિને કડક બનાવવાનું દબાણ વધારે છે.
  • યુએસ ફેડ દ્વારા વ્યાજ દરોમાં વધારાની યોજના યુએસ પેરોલ ડેટા દર્શાવે છે કે ગયા મહિને 4,67,000 નોકરીઓ ઉમેરવામાં આવી હતી. જે કેન્દ્રીય બેંકને દર વધારવામાં મદદ કરી શકે છે. આ આંકડો પણ નોંધપાત્ર છે કારણ કે આ મહિને ઓમિક્રોન વેરિઅન્ટને ભારે અસર થઈ હતી. નોકરીઓનો આંકડો અર્થશાસ્ત્રીઓની આગાહી કરતા ઘણો સારો હતો. ટ્રેડર્સ આ વર્ષે યુએસ ફેડ દ્વારા વ્યાજ દરોમાં વધારો કરવા પર દાવ લગાવી રહ્યા છે જેમાં માર્ચની નાણાકીય નીતિની બેઠકમાં 50 બેસિસ પોઈન્ટના વધારાની શક્યતા છે.
  • FIIsનું સતત વેચાણ વૈશ્વિક ક્રૂડના ભાવમાં તેજીની જેમ જ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનું વેચાણનું દબાણ રહે છે. 2022માં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ સ્થાનિક બજારમાં રૂ. 37,000 કરોડનું વેચાણ કર્યું છે. અન્ય બજારોની સરખામણીમાં યુએસમાં દરમાં વધારાની અપેક્ષાઓ અને ભારતીય શેરબજારનું ઊંચું મૂલ્યાંકન પણ FIIને વેચવા માટે મજબૂર કરી રહ્યું છે.
  • ટેક કંપનીઓમાં વેચાણ ગયા વર્ષે સ્થાનિક બજારમાં તેજીનું મુખ્ય કારણ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રની કંપનીઓ હતી. હવે 2022 માં સેક્ટરે તેની ચમક ગુમાવી દીધી છે અને નિફ્ટી આઇટી ઇન્ડેક્સ તાજેતરના ઉચ્ચ સ્તરની તુલનામાં 10 ટકાથી વધુના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે. વિદેશી રોકાણકારોના વેચાણ સાથે વૈશ્વિક ટેક્નોલોજી શેરોના વેચાણથી સેક્ટરને બેવડો ફટકો પડ્યો છે.

આ પણ વાંચો : Share Market Crash : સપ્તાહના પહેલા દિવસે કડાકો બોલ્યો, Sensex 1023 અને Nifty 302 અંક ઘટાડા સાથે બંધ થયા

આ પણ વાંચો : NCLAT એમેઝોનના CCIના આદેશ સામેની અરજી પર સુનાવણી કરશે, ફ્યુચર કૂપન્સની ડીલને કરી હતી સ્થગિત

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">