AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC IPO: ચાલુ નાણાકીય વર્ષમાં LIC નો IPO આવવાની શક્યતાઓ નહિવત, જાણો શું છે કારણ

LIC IPO : નાણાકીય વર્ષમાં માત્ર ત્રણ મહિના બાકી છે. LIC વેલ્યુએશન એ પોતે જ એક ખૂબ જ જટિલ પ્રક્રિયા છે. તેનું કારણ એ છે કે LICનું કદ ઘણું મોટું છે અને તેની પ્રોડક્ટનું માળખું પણ મિશ્રિત છે.

LIC IPO: ચાલુ નાણાકીય વર્ષમાં LIC નો IPO આવવાની શક્યતાઓ નહિવત, જાણો શું છે કારણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 7:45 AM
Share

LIC IPO : જાહેર ક્ષેત્રની વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ની પ્રારંભિક જાહેર ઓફર (IPO) અપેક્ષા કરતાં વધુ લાંબા સમયના મૂલ્યાંકનના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં આવે તેવી શક્યતા ઓછી છે. IPO ની તૈયારીમાં જોડાયેલા એક મર્ચન્ટ બેન્કરના વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે આ વિશાળ જાહેર કંપનીના મૂલ્યાંકનનું કામ હજુ પૂર્ણ થયું નથી અને તેમાં થોડો વધુ સમય લાગી શકે છે. મૂલ્યાંકન કાર્ય પૂર્ણ થયા પછી પણ ઈશ્યુને લગતી ઘણી નિયમનકારી પ્રક્રિયાઓને પૂર્ણ કરવામાં સમય લાગશે.

અધિકારીએ જણાવ્યું કે IPO લાવતા પહેલા માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ની પૂર્વ મંજૂરી લેવી પડશે. આ સિવાય વીમા ક્ષેત્રની નિયમનકારી સંસ્થા ઈન્સ્યોરન્સ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) પાસેથી પણ પરવાનગી લેવી પડશે. IRDAI ચીફનું પદ લગભગ સાત મહિનાથી ખાલી છે.

LICનું મૂલ્યાંકન ખૂબ જ જટિલ પ્રક્રિયા આ અધિકારીના જણાવ્યા અનુસાર આવી સ્થિતિમાં નાણાકીય વર્ષ 2021-22માં LICનો IPO આવવાની સંભાવના ઘણી ઓછી છે. હવે આ નાણાકીય વર્ષમાં માત્ર ત્રણ મહિના બાકી છે. LIC વેલ્યુએશન એ પોતે જ એક ખૂબ જ જટિલ પ્રક્રિયા છે. તેનું કારણ એ છે કે LICનું કદ ઘણું મોટું છે અને તેની પ્રોડક્ટનું માળખું પણ મિશ્રિત છે. તેની પાસે રિયલ એસ્ટેટ અસ્કયામતો અને કેટલાક પેટાકંપની એકમો પણ છે.

અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી વેલ્યુએશનનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી શેર વેચાણનું કદ નક્કી કરી શકાય નહીં.

સરકાર LICનો IPO લાવવાનો પ્રયાસ કરી રહી છે સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં જ LICનો IPO લાવવાનો પ્રયાસ કરી રહી છે. વાસ્તવમાં આ IPO ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. 1.75 લાખ કરોડના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંકને હાંસલ કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ સિવાય સરકારને BPCLના વ્યૂહાત્મક વેચાણથી પણ ઘણી આશાઓ છે.

તાજેતરમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટની દિશામાં સારી રીતે આગળ વધી રહી છે. તેમણે કહ્યું હતું કે નોકરશાહી અને વિવિધ વિભાગોની ખામીઓને સુધારવામાં સમય લાગે છે પરંતુ સરકાર તેને ઝડપી બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો :  RIL ના માર્કેટકેપમાં 79હજાર કરોડનો ઘટાડો, ટોચની 10 કંપનીઓમાંથી 8ના માર્કેટ કેપમાં રૂ. 2.61 લાખ કરોડનું નુકસાન, જાણો વિગતવાર

આ પણ વાંચો : રેલવે મંત્રીએ કન્ટેનર યુનિટનું કર્યું નિરીક્ષણ, નાના સાહસિકો અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે તૈયાર

Follow Us
વિદેશીઓની અમદાવાદ યાત્રા,મેટ્રો, ગુજરાતી મજેદાર થાળીનો માણ્યો આનંદ
વિદેશીઓની અમદાવાદ યાત્રા,મેટ્રો, ગુજરાતી મજેદાર થાળીનો માણ્યો આનંદ
તમારી રચનાત્મક શક્તિ આજે અપાવશે મોટું માન-સન્માન અને આર્થિક ફાયદો
તમારી રચનાત્મક શક્તિ આજે અપાવશે મોટું માન-સન્માન અને આર્થિક ફાયદો
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
g clip-path="url(#clip0_868_265)">