AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચાલુ નાણાકીય વર્ષમાં LIC નો IPO આવવો જરૂરી નહીંતર સરકારે આ સમસ્યા સામે ઝઝૂમવું પડશે, જાણો વિગતવાર

એક અહેવાલ મુજબ જો નાણાકીય વર્ષ 2021-22માં LICનો IPO પૂર્ણ થઈ જાય તો સરકાર પાસે લગભગ 3 લાખ કરોડ રૂપિયા રોકડ હશે.

ચાલુ નાણાકીય વર્ષમાં LIC નો IPO આવવો જરૂરી નહીંતર સરકારે આ સમસ્યા સામે ઝઝૂમવું પડશે, જાણો વિગતવાર
માર્ચ સુધી LIC IPO લાવવા તૈયારી ચાલી રહી છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 7:58 AM
Share

લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના IPOને લઈને કેપિટલ માર્કેટમાં ચિંતા વધી ગઈ છે. આ IPOથી સરકારી ઉધાર કે નાણાકીય ખાધ ઘટાડવાના અનુમાન પણ આવવા લાગ્યા છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના અર્થશાસ્ત્રીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલ મુજબ જો નાણાકીય વર્ષ 2021-22માં LICનો IPO પૂર્ણ થઈ જાય તો સરકાર પાસે લગભગ 3 લાખ કરોડ રૂપિયા રોકડ હશે.

રિપોર્ટમાં સરકારને કોઈપણ નવો ટેક્સ લગાવવા અંગે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે કારણ કે વેલ્થ ટેક્સ જેવા કોઈપણ નવા ટેક્સથી લાભ કરતાં નુકસાન થવાની શક્યતા વધુ છે. તેનાથી વિપરીત બજેટમાં લાંબા ગાળાની જગ્યાએ ટૂંકા ગાળાની નીતિમાં સ્થિરતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

‘સરકારે રાજકોષીય ખાધને નિયંત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ’

SBIના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષ કહે છે કે સરકારે ધીમે ધીમે રાજકોષીય ખાધને નિયંત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. બજેટમાં સરકારે નાણાકીય વર્ષ 2022-23 માટે રાજકોષીય ખાધને માત્ર 0.3-0.4 ટકા ઘટાડવાનું લક્ષ્ય રાખવું જોઈએ. નાણાકીય વર્ષ 2022-23માં રાજકોષીય ખાધ 16.5 લાખ કરોડ રૂપિયા અથવા જીડીપીના 6.3 ટકા રહેવાનો અંદાજ છે.

EcoRap રિપોર્ટમાં કરવામાં આવેલા આકલન મુજબ આગામી નાણાકીય વર્ષમાં સરકારનું ઉધાર રૂ. 12 લાખ કરોડ થવાની શક્યતા છે. જો LICનો IPO ચાલુ નાણાકીય વર્ષ એટલે કે માર્ચ 2022 સુધીમાં પૂર્ણ થઈ જાય તો સરકાર પાસે રૂ. 3 લાખ કરોડથી વધુ રોકડ સરકારને નાણાકીય વર્ષ 2022-23 માટે રાજકોષીય ખાધને દૂર કરવામાં મદદ કરશે.

માર્ચ સુધી  દેશનો સૌથી મોટો IPO લાવવા તૈયારી

સરકાર માર્ચ સુધીમાં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ની પ્રારંભિક જાહેર ઓફર (IPO) લાવશે અને તેની મંજૂરી માટે જાન્યુઆરીના અંત સુધીમાં માર્કેટ રેગ્યુલેટર SEBIને ડ્રાફ્ટ સબમિટ કરશે.

આ મામલા સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે LICના જુલાઈ-સપ્ટેમ્બર 2021ના નાણાકીય ડેટાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ભંડોળના વિભાજનની પ્રક્રિયા પણ ચાલી રહી છે. તેઓ આ મહિનાના અંત સુધીમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ને આઈપીઓની દરખાસ્ત સબમિટ કરવાની અપેક્ષા રાખે છે. વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં LICનો IPO આવશે તે નિશ્ચિત છે.

આ પણ વાંચો : Budget 2022: બજેટમાં Railway ને લઈ નાણાં મંત્રી મોટી જાહેરાત કરી શકે છે, Railtel ના IRCTC માં મર્જરના મળી રહ્યા છે સંકેત

આ પણ વાંચો :  Adani Wilmar IPO: ગૌતમ અદાણીની કંપની 27 જાન્યુઆરીએ લાવી રહી છે કમાણીની તક, જાણો કંપનીની યોજના વિશે વિગતવાર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">