ચાલુ નાણાકીય વર્ષમાં LIC નો IPO આવવો જરૂરી નહીંતર સરકારે આ સમસ્યા સામે ઝઝૂમવું પડશે, જાણો વિગતવાર

એક અહેવાલ મુજબ જો નાણાકીય વર્ષ 2021-22માં LICનો IPO પૂર્ણ થઈ જાય તો સરકાર પાસે લગભગ 3 લાખ કરોડ રૂપિયા રોકડ હશે.

ચાલુ નાણાકીય વર્ષમાં LIC નો IPO આવવો જરૂરી નહીંતર સરકારે આ સમસ્યા સામે ઝઝૂમવું પડશે, જાણો વિગતવાર
માર્ચ સુધી LIC IPO લાવવા તૈયારી ચાલી રહી છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 7:58 AM

લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના IPOને લઈને કેપિટલ માર્કેટમાં ચિંતા વધી ગઈ છે. આ IPOથી સરકારી ઉધાર કે નાણાકીય ખાધ ઘટાડવાના અનુમાન પણ આવવા લાગ્યા છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના અર્થશાસ્ત્રીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલ મુજબ જો નાણાકીય વર્ષ 2021-22માં LICનો IPO પૂર્ણ થઈ જાય તો સરકાર પાસે લગભગ 3 લાખ કરોડ રૂપિયા રોકડ હશે.

રિપોર્ટમાં સરકારને કોઈપણ નવો ટેક્સ લગાવવા અંગે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે કારણ કે વેલ્થ ટેક્સ જેવા કોઈપણ નવા ટેક્સથી લાભ કરતાં નુકસાન થવાની શક્યતા વધુ છે. તેનાથી વિપરીત બજેટમાં લાંબા ગાળાની જગ્યાએ ટૂંકા ગાળાની નીતિમાં સ્થિરતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

‘સરકારે રાજકોષીય ખાધને નિયંત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ’

SBIના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષ કહે છે કે સરકારે ધીમે ધીમે રાજકોષીય ખાધને નિયંત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. બજેટમાં સરકારે નાણાકીય વર્ષ 2022-23 માટે રાજકોષીય ખાધને માત્ર 0.3-0.4 ટકા ઘટાડવાનું લક્ષ્ય રાખવું જોઈએ. નાણાકીય વર્ષ 2022-23માં રાજકોષીય ખાધ 16.5 લાખ કરોડ રૂપિયા અથવા જીડીપીના 6.3 ટકા રહેવાનો અંદાજ છે.

EcoRap રિપોર્ટમાં કરવામાં આવેલા આકલન મુજબ આગામી નાણાકીય વર્ષમાં સરકારનું ઉધાર રૂ. 12 લાખ કરોડ થવાની શક્યતા છે. જો LICનો IPO ચાલુ નાણાકીય વર્ષ એટલે કે માર્ચ 2022 સુધીમાં પૂર્ણ થઈ જાય તો સરકાર પાસે રૂ. 3 લાખ કરોડથી વધુ રોકડ સરકારને નાણાકીય વર્ષ 2022-23 માટે રાજકોષીય ખાધને દૂર કરવામાં મદદ કરશે.

માર્ચ સુધી  દેશનો સૌથી મોટો IPO લાવવા તૈયારી

સરકાર માર્ચ સુધીમાં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ની પ્રારંભિક જાહેર ઓફર (IPO) લાવશે અને તેની મંજૂરી માટે જાન્યુઆરીના અંત સુધીમાં માર્કેટ રેગ્યુલેટર SEBIને ડ્રાફ્ટ સબમિટ કરશે.

આ મામલા સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે LICના જુલાઈ-સપ્ટેમ્બર 2021ના નાણાકીય ડેટાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ભંડોળના વિભાજનની પ્રક્રિયા પણ ચાલી રહી છે. તેઓ આ મહિનાના અંત સુધીમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ને આઈપીઓની દરખાસ્ત સબમિટ કરવાની અપેક્ષા રાખે છે. વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં LICનો IPO આવશે તે નિશ્ચિત છે.

આ પણ વાંચો : Budget 2022: બજેટમાં Railway ને લઈ નાણાં મંત્રી મોટી જાહેરાત કરી શકે છે, Railtel ના IRCTC માં મર્જરના મળી રહ્યા છે સંકેત

આ પણ વાંચો :  Adani Wilmar IPO: ગૌતમ અદાણીની કંપની 27 જાન્યુઆરીએ લાવી રહી છે કમાણીની તક, જાણો કંપનીની યોજના વિશે વિગતવાર

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">