PPF એકાઉન્ટ પર સરળતાથી લઈ શકાય છે લોન, અપ્લાઈ કરતા પહેલા આ 5 બાબતોનું રાખો ધ્યાન

પીપીએફ ખાતા (PPF account) સામે નાણાકીય વર્ષમાં માત્ર એક જ વાર લોન લઈ શકાય છે. પરંતુ તમે સમગ્ર કાર્યકાળ દરમિયાન એકથી વધુ વખત લોન લઈ શકો છો. તે ધ્યાનમાં રાખવું પડશે કે જો તમે બીજી વખત લોન માટે અરજી કરી રહ્યા છો, તો પહેલી લોનની ચુકવણી કરો.

PPF એકાઉન્ટ પર સરળતાથી લઈ શકાય છે લોન, અપ્લાઈ કરતા પહેલા આ 5 બાબતોનું રાખો ધ્યાન
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 6:45 PM

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં લાંબા સમય સુધી રોકાણ કરવાથી સારી રકમ એકત્ર કરી શકાય છે. ખાસ કરીને નિવૃત્તિના સંદર્ભમાં આ ખૂબ જ સારો વિકલ્પ છે. તે ટેક્સ બચાવવામાં પણ ઘણી મદદ કરે છે. પીપીએફના વ્યાજ અને મેચ્યોરિટી મની પર કોઈ ટેક્સ ચૂકવવાનો નથી. આમાં કરેલા રોકાણને આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કરમુક્તિ મળે છે. વધુ એક ખાસ વાત. તમે PPF સામે લોન પણ લઈ શકો છો. લોનની રકમ પીપીએફ ખાતામાં જમા થયેલી રકમ પર નિર્ભર કરે છે. જો તમે ઈચ્છો તો પીએફ સામે બે વાર લોન લઈ શકો છો. પરંતુ આ ત્યારે જ થશે જ્યારે પ્રથમ લોનના નાણાં પરત કરવામાં આવશે.

PPF એકાઉન્ટ સામે લોન લેવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. લોન લેવાની યોગ્યતા શું છે અને વ્યાજ દર શું છે, તમારે આ બાબતો પર ચોક્કસ ધ્યાન આપવું જોઈએ. જો તમે વ્યાજ પર ધ્યાન નહીં આપો તો પછીથી લોન તમારા માટે મોંઘી સાબિત થઈ શકે છે. તો ચાલો જોઈએ PPF સામે લોન માટે જરૂરી 5 વસ્તુઓ.

1- કોણ લોન લઈ શકે છે

પીપીએફ ખાતું ખોલતાની સાથે જ તમે લોન લઈ શકતા નથી. ખાતું ખોલવાના ત્રીજાથી છઠ્ઠા વર્ષની વચ્ચે લોન લઈ શકાય છે. ધારો કે તમે 2020-21માં PPF ખાતું ખોલાવ્યું છે, તો તમે PPF સામે 2022-23માં જ લોન લઈ શકો છો. ધ્યાનમાં રાખો કે PPF પર ટૂંકા ગાળાની લોન ઉપલબ્ધ છે, જેનો કાર્યકાળ 36 મહિનાનો છે. તે પછી, કોઈપણ સંજોગોમાં, તેના પૈસા ચૂકવવા પડશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

2- કેટલું વ્યાજ લેવામાં આવશે

તમારે PPF પર લીધેલી લોનની રકમ પર એક ટકા વ્યાજ ચૂકવવું પડશે. જો કે, એક ટકા વ્યાજ દર એવા ગ્રાહકો માટે છે જેઓ PPF લોનની રકમ 36 મહિનાની અંદર ચૂકવે છે. જો લોનની રકમ 36 મહિના પછી ચૂકવવામાં આવે છે, તો વ્યાજ દર વાર્ષિક 6% હશે. આ રેટ જે તારીખે લોન આપવામાં આવશે તે તારીખથી ઉમેરવામાં આવશે.

3- લોનમાં કેટલી રકમ લઈ શકાય છે

PPF ખાતું ખોલવાના બીજા વર્ષના અંતે, ખાતામાં રહેલી બાકી રકમના 25% લોન તરીકે લઈ શકાય છે. તમે ત્રીજા વર્ષમાં લોન માટે અરજી કરી શકો છો. ધારો કે ગ્રાહક 2022-23 સમયગાળા માટે લોન માટે અરજી કરે છે, તો 31 માર્ચ, 2021 સુધીમાં, PPF ખાતામાં બાકી રહેલી રકમના 25 ટકા લોન તરીકે લઈ શકાય છે. આ લોનની મહત્તમ રકમ હશે.

4- કયું ફોર્મ ભરવાનું રહેશે

PPF સામે લોન લેવા માટે, ગ્રાહકે ફોર્મ D ભરવું પડશે. આ ફોર્મમાં પીપીએફના એકાઉન્ટ નંબર અને લોનની રકમની માહિતી આપવાની રહેશે. ફોર્મ પર ખાતાધારકે સહી કરવી જોઈએ. આ ફોર્મ સાથે પીપીએફ પાસબુક જોડવાની રહેશે અને પીપીએફ ખાતું જ્યાં ચાલી રહ્યું છે તે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં સબમિટ કરવું પડશે.

5- કેટલી વાર લોન લઈ શકાય છે

પીપીએફ ખાતા સામે નાણાકીય વર્ષમાં માત્ર એક જ વાર લોન લઈ શકાય છે. પરંતુ તમે સમગ્ર કાર્યકાળ દરમિયાન એકથી વધુ વખત લોન લઈ શકો છો. તે ધ્યાનમાં રાખવું પડશે કે જો તમે બીજી વખત લોન માટે અરજી કરી રહ્યા છો, તો પહેલા પહેલી લોનની ચુકવણી કરો. નહિંતર, તમને PPF પર બીજી લોન નહીં મળે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">