AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC IPO : LIC પોલિસી ખરીદનારાઓ માટે ખુશખબર, PAN અપડેટ કરશો તો IPO માં મળશે આ વિશેષ લાભ, જાણો વિગતવાર

એલઆઈસીએ ડીમેટ ખાતા વિશે પણ વાત કરી છે. IPOમાં હિસ્સો લેતા પહેલા, ડીમેટ ખાતું હોવું અથવા ખોલવું જરૂરી છે. જો ગ્રાહક પાસે આ ખાતું નથી, તો તેણે તેને પોતાના ખર્ચે શરૂ કરાવવું જોઈએ.

LIC IPO  : LIC પોલિસી ખરીદનારાઓ માટે ખુશખબર, PAN અપડેટ કરશો તો IPO માં મળશે આ વિશેષ લાભ, જાણો વિગતવાર
LIC IPO
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 8:48 AM
Share

ભારતીય જીવન વીમા નિગમ (LIC) તેની જાહેર ઓફર અથવા IPO લાવવાની તૈયારીમાં છે. IPO આવતા પહેલા LICએ તેના પોલિસીધારકોને એક મહત્વપૂર્ણ માહિતી આપી છે. LICએ કહ્યું છે કે તમામ પોલિસીધારકોએ તેમનો PAN તાત્કાલિક અપડેટ કરવો જોઈએ જેથી કરીને તેમને IPOમાં ભાગ લેવાની તક મળી શકે. સૂચિત યોજના અનુસાર, કુલ IPOના 10 ટકા પોલિસીધારક માટે અનામત રાખવામાં આવશે પરંતુ તેનો લાભ ત્યારે જ મળશે જ્યારે પાન કાર્ડ અપડેટ થશે.

LICએ જાહેર નોટિસમાં જણાવ્યું છે કે, IPOમાં ભાગ લેવા માટે પોલિસીધારકોએ ખાતરી કરવી પડશે કે LICના રેકોર્ડમાં તેમનો PAN અપડેટ થયેલ છે. આ ઉપરાંત, દેશમાં કોઈપણ જાહેર ઓફરમાં ભાગ લેવા માટે ગ્રાહક પાસે માન્ય ડીમેટ ખાતું હોવું જરૂરી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે LIC તેના ગ્રાહકોને પરમેનન્ટ એકાઉન્ટ નંબર અથવા PAN અપડેટ કરવાની સતત સલાહ આપી રહી છે કારણ કે IPOમાં ભાગ લેવા માટે તે સૌથી મહત્વપૂર્ણ KYC છે. IPO જારી કરતી વખતે ગ્રાહકોનો PAN અપડેટ કરવો સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે તેના વિના IPO ખરીદી શકાતો નથી. IPOની નિયમનકારી મંજૂરી માટે PAN અપડેટ મહત્વપૂર્ણ છે.

ડીમેટ એકાઉન્ટ પણ જરૂરી છે એલઆઈસીએ ડીમેટ ખાતા વિશે પણ વાત કરી છે. IPOમાં હિસ્સો લેતા પહેલા, ડીમેટ ખાતું હોવું અથવા ખોલવું જરૂરી છે. જો ગ્રાહક પાસે આ ખાતું નથી, તો તેણે તેને પોતાના ખર્ચે શરૂ કરાવવું જોઈએ. ડીમેટ ખાતું ખોલાવવું હોય, PAN જારી કરવું હોય, ડીમેટ ખાતું જાળવવું હોય કે અન્ય સંબંધિત ખર્ચાઓ, ગ્રાહકોએ તે પોતાના ખર્ચે ચૂકવવા પડશે. LIC આવો કોઈ ખર્ચ ઉઠાવશે નહીં.

સરકારની તૈયારી યુનિયન કેબિનેટે જુલાઈ, 2021માં LICનો અમુક હિસ્સો વેચવાનીજાહેરાત કરી હતી. તે પછી LIC તેનો IPO અને શેર્સ લઈને આવશે, જેના દ્વારા લોકો તેમાં હિસ્સો લઈ શકશે. LIC દેશની સૌથી મોટી વીમા કંપની છે અને તેના કરોડો ગ્રાહકો છે. એલઆઈસીના કેટલા શેર વેચવામાં આવશે અથવા કેટલા શેર દૂર કરવામાં આવશે તે નક્કી કરવા માટે એક પેનલની રચના કરવામાં આવી છે, જેનું નેતૃત્વ કેન્દ્રીય નાણામંત્રી કરે છે. એલઆઈસીના ડિસઈન્વેસ્ટમેન્ટ માટે સરકારે પહેલાથી જ એલઆઈસી એક્ટમાં ફેરફાર કર્યા છે. આ માટે ફાયનાન્સ એક્ટ 2022 લાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Upcoming IPO : ડિસેમ્બરમાં 10 કંપનીઓ IPO લાવશે, 10000 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક

આ પણ વાંચો : LPG Portability : હવે તમે પસંદગીના ડિસ્ટ્રીબ્યુટર પાસે LPG Cylinder મંગાવી શકશો , જાણો કેવી રીતે?

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">