Last Date To Exchange ₹ 2000 Note : નોટ બદલવાની આજે છેલ્લી તારીખ, RBI એ સમયમર્યાદા ન વધારી
Last Date To Exchange ₹ 2000 Note : Rupees 2,000 મૂલ્યની ચલણી બૅન્કનોટ(Rs 2000) આજે 30 સપ્ટેમ્બર 2023ના રોજ શનિવાર(Rs 2000 Currency Note Exchange Deadline) પછી તેનું મૂલ્ય ગુમાવી દેશે. જો કોઈ તેને કોઈપણ બેંકમાં આજે સાંજ સુધીમાં ન બદલે તો તે માત્ર એક કાગળનો ટુકડો બની જશે.

Last Date To Exchange ₹ 2000 Note : Rupees 2,000 મૂલ્યની ચલણી બૅન્કનોટ(Rs 2000) આજે 30 સપ્ટેમ્બર 2023ના રોજ શનિવાર(Rs 2000 Currency Note Exchange Deadline) પછી તેનું મૂલ્ય ગુમાવી દેશે. જો કોઈ તેને કોઈપણ બેંકમાં આજે સાંજ સુધીમાં ન બદલે તો તે માત્ર એક કાગળનો ટુકડો બની જશે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) એ શુક્રવારે છેલ્લી તારીખ વધારવાની આશાઓ ઉપર ઠંડુ પાણી ફેરવી દીધું છે.
93 ટકા નોટ બેંકિંગ સિસ્ટમમાં પરત આવી
આરબીઆઈએ અગાઉ 30 સપ્ટેમ્બર 2023 છેલ્લી તારીખ નક્કી કરી હતી. આ કવાયત સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા અને લોકોને પૂરતો સમય આપવાના હેતુ માટે છેલ્લી તારીખ તરીકે જાહેર કરાઈ હતી.
ગયા મહિનાની શરૂઆતમાં આરબીઆઈએ જણાવ્યું હતું કે મે મહિનામાં સેન્ટ્રલ બેંકે ઉચ્ચ મૂલ્યની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો ત્યારથી ₹2,000 ની લગભગ 93 ટકા નોટ બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે.
આ પણ વાંચો : Last Date to Exchange Rs 2000 Notes : ₹2000 ની નોટ બદલવાનો સમયગાળો વધશે? હવે શું કરવું? જાણો RBI નો રાહત આપનારો નિયમ
19 મે 2023 ના રોજ ચલણી નોટ પરત ખેંચવામાં આવી હતી
લોકોને તેમની ₹2,000ની નોટો બેંક શાખાઓ અને RBIની પ્રાદેશિક શાખાઓમાં બદલી આપવા અથવા જમા કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. બિન-એકાઉન્ટ ધારક કોઈપણ બેંક શાખામાં એક સમયે ₹ 20,000 ની મર્યાદા સુધી ₹ 2000 ની નોટ બદલી શકે છે.
19 મેના રોજ RBIએ ₹2000 મૂલ્યની બૅન્કનોટને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો પરંતુ કહ્યું હતું કે તે કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે. જોકે, આરબીઆઈએ બેંકોને તાત્કાલિક અસરથી આવી નોટો ઈશ્યુ કરવાનું બંધ કરવાની સલાહ આપી હતી.
આ પણ વાંચો : RBI May Extend Deadline : ₹2000 ની નોટો પરત કરવા ઓક્ટોબરના અંત સુધીનો સમય મળે તેવી શક્યતા : સૂત્ર
વર્ષ 2018-19માં ₹ 2000 ની નોટ છાપવાનું બંધ કરવામાં આવ્યું હતું
₹ 2000 મૂલ્યની બૅન્કનોટ નવેમ્બર 2016 માં રજૂ કરવામાં આવી હતી, મુખ્યત્વે તે સમયે ચલણમાં રહેલી તમામ ₹ 500 અને ₹ 1000 ની બૅન્કનોટની કાનૂની ટેન્ડર સ્થિતિ પાછી ખેંચી લીધા પછી અર્થતંત્રની ચલણની જરૂરિયાતને ઝડપી રીતે પૂરી કરવા માટે.
₹ 2000 ની બૅન્કનોટ રજૂ કરવાનો ઉદ્દેશ્ય જ્યારે અન્ય મૂલ્યોની બૅન્કનોટ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થઈ ત્યારે પૂરો થયો. તેથી, 2018-19માં ₹ 2000 ની નોટ છાપવાનું બંધ કરવામાં આવ્યું હતું.