Nifty Rebalancing માં Jio Financial અને Zomatoને સ્થાન મળી શકે છે, સપ્ટેમ્બરથી ફેરફાર જોવા મળશે
Nifty Sep Rebalancing : JM ફાઇનાન્શિયલનો અંદાજ છે કે Jio Financial Services અને Zomato ને સપ્ટેમ્બર મહિના માટે નિફ્ટી રિબેલેન્સિંગમાં સ્થાન મળી શકે છે.
Nifty Sep Rebalancing : JM ફાઇનાન્શિયલનો અંદાજ છે કે Jio Financial Services અને Zomato ને સપ્ટેમ્બર મહિના માટે નિફ્ટી રિબેલેન્સિંગમાં સ્થાન મળી શકે છે. જો કે, તેમને ત્યારે જ સ્થાન મળશે જ્યારે તેમના શેર F&Oમાં સામેલ થશે. આ સાથે બ્રોકરેજ હાઉસે અનુમાન લગાવ્યું છે કે Trent Ltdનો પણ નિફ્ટીમાં સમાવેશ થઈ શકે છે.
F&Oમાં સ્થાન હાંસલ કરવું જરૂરી
જિયો ફાઇનાન્શિયલ અને ઝોમેટોને F&Oમાં સામેલ ન કરવામાં આવે તો એવો અંદાજ છે કે Trent અને Bharat Electronics Ltd નિફ્ટીમાં સામેલ થઈ શકે છે. આ બે કંપનીઓ માટે જગ્યા બનાવવા માટે LTIMindtree Ltd અને Divi’s Laboratories Ltdના સ્ટોકને નિફ્ટીમાંથી બહાર કાઢી શકાય છે.
NSE ઇન્ડેક્સમાં સમાવિષ્ટ શેરોના રિબેલેન્સિંગની જાહેરાત ઓગસ્ટમાં કરવામાં આવશે અને સપ્ટેમ્બરમાં તેનો અમલ કરવામાં આવશે. સપ્ટેમ્બર રિબેલેન્સિંગમાં સ્ટોક્સ પસંદ કરવા માટે 1લી ફેબ્રુઆરી અને 31મી જુલાઈ વચ્ચેની સરેરાશ ફ્રી ફ્લોટ માર્કેટ કેપને ધ્યાનમાં લેવામાં આવશે.
F&O સેગમેન્ટમાંથી 25 શેરોને દૂર કરાઈ શકે છે
Jio Financial અને Zomato ની સરેરાશ ફ્રી ફ્લોટ માર્કેટ કેપ Trent અને Bharat Electronics Ltdની સરેરાશ ફ્રી ફ્લોટ માર્કેટ કેપ કરતા વધારે છે. વિશ્લેષકોનો અંદાજ છે કે F&O સેગમેન્ટમાંથી 25 શેરોને બાકાત રાખવામાં આવી શકે છે જ્યારે 78ને સ્થાન મળી શકે છે. નુવામાનો અંદાજ છે કે F&Oમાં સ્થાન મેળવી શકે તેવા 78 શેરોમાં Zomato, Yes Bank, Jio Financial, NHPC, Adani Greenનો સમાવેશ થાય છે.
મંગળવારે જિયો ફાઇનાન્શિયલના શેરમાં થોડો ઘટાડો થયો હતો અને શેર 350ના સ્તરની ઉપર બંધ થયો હતો. સ્ટોકે વર્ષ 2024માં અત્યાર સુધીમાં 50 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. મંગળવારે Zomatoનો શેર એક ટકાથી વધુના વધારા સાથે રૂપિયા 184 પર બંધ થયો હતો. શેરે તેના રોકાણકારોને 137 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે.
ડિસ્ક્લેમર : શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
આ પણ વાંચો : ત્રીજીવાર શપથ લેતા જ મોદી સરકારે લીધો મોટો નિર્ણય, હવે BPCLનું નહીં કરે ખાનગીકરણ, જાણો શેરના ભાવ વધશે કે ઘટશે