IRCTC ના રોકાણકારોને એકજ દિવસમાં 22000 કરોડનું થયું નુકશાન, જાણો વિગતવાર

શેરમાં અચાનક ઘટાડો રોકાણકારો માટે આઘાત તરીકે આવ્યો છે. ટ્રેડિંગ સત્ર દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં 22,356 કરોડનો ઘટાડો થયો હતો.

IRCTC ના રોકાણકારોને એકજ દિવસમાં 22000 કરોડનું થયું નુકશાન, જાણો વિગતવાર
IRCTC
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 7:28 AM

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) ના શેરમાં મંગળવારે મોટી વધઘટ જોવા મળી હતી. IRCTC નો શેર BSE પર વેપારમાં 19 ટકા વધીને રૂ 6,393 ની નવી 52-સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો પરંતુ આ સાથે ટ્રેડિંગ દરમિયાન શેર 1400 પોઇન્ટ અથવા 15 ટકા ઘટીને રૂ. 4995.75 ની નીચી સપાટીએ આવી ગયો હતો. જોકે, ટ્રેડિંગના અંતે IRCTC નો શેર 8.75 ટકા અથવા 514 પોઇન્ટ ઘટીને 5,363 રૂપિયા પર બંધ થયો હતો. શેરમાં ઘટાડાથી રોકાણકારોને ભારે નુકસાન થયું હતું.

IRCTC નું માર્કેટ કેપ મંગળવારે 1 લાખ કરોડનો આંકડો પાર કરી ગયું છે. માર્કેટ કેપ રૂ 1,02,288 કરોડની વિક્રમી સપાટીએ પહોંચી ગયું હતું જે બાદ 1 લાખ કરોડથી વધુની માર્કેટ કેપ સાથે તે નવમો જાહેર ક્ષેત્રનો ઉપક્રમ (PSU) બન્યો છે.

શેર અચાનક કેમ તૂટ્યો? RITES એ રેલ્વેમાં નિયમનકારોની નિમણૂકની જાણ કરી છે. રાઈટ્સના રિપોર્ટ બાદ હવે કેબિનેટની નોંધ કરવામાં આવશે. ખાનગી ટ્રેનો માટે રેગ્યુલેટરની ભલામણ કરવામાં આવે છે. પેસેન્જર ટ્રેનો પણ નિયમનકારના દાયરામાં આવશે. આ સમાચાર બાદ IRCTC નો સ્ટોક 1400 પોઇન્ટ ઘટીને 4995.75 ની નીચી સપાટીએ આવી ગયો હતો.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

રોકાણકારોને 22000 કરોડનો ફટકો શેરમાં અચાનક ઘટાડો રોકાણકારો માટે આઘાત તરીકે આવ્યો છે. ટ્રેડિંગ સત્ર દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં 22,356 કરોડનો ઘટાડો થયો હતો.

અત્યાર સુધી ૧૮ ગણું રિટર્ન આપ્યું IRCTC ના શેર 14 ઓક્ટોબર, 2019 ના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ હતા. તે સમયે તેની ઇશ્યૂ કિંમત રૂ.320 હતી. આ શેર ઇશ્યૂ પ્રાઇસની સરખામણીમાં લગભગ 18 ગણો ઉછળ્યો છે. આ સંદર્ભમાં છેલ્લા બે વર્ષમાં આ સ્ટોકે લગભગ 1800 ટકાનું વળતર આપ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં શેર 30 ટકા, એક મહિનામાં 62 ટકા, ત્રણ મહિનામાં 160 ટકા, આ વર્ષે અત્યાર સુધીમાં 335 ટકા અને છેલ્લા એક વર્ષમાં 370 ટકા વધ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કોલ ઇન્ડિયા, એનએમડીસી, ઇન્ડિયન ઓઇલ, પાવર ગ્રીડ, એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ, ભારત પેટ્રોલિયમ, એસબીઆઇ કાર્ડ્સ પહેલેથી જ 1 લાખ કરોડની માર્કેટ કેપ ધરાવતી સરકારી કંપનીઓની યાદીમાં છે.

સરકાર પાસે 68 ટકા હિસ્સો છે સરકાર પાસે કંપનીમાં 67.40 ટકા હિસ્સો છે. વિદેશી રોકાણકારો 7.81 ટકા, સ્થાનિક રોકાણકારો 8.48 ટકા અને જાહેર 16.32 ટકા હિસ્સો ધરાવે છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પ્રમોટર એટલે કે સરકારનો હિસ્સો સ્થિર રહ્યો હતો. મ્યુચ્યુઅલ ફંડ્સે તેમનો હિસ્સો 7.28 ટકાથી ઘટાડીને 4.78 ટકા કર્યો છે. વિદેશી રોકાણકારો એટલે કે FIIs / FPIs એ તેમનો હિસ્સો 8.07 ટકાથી ઘટાડીને 7.81 ટકા કર્યો છે. 25 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમો દ્વારા આ સ્ટોકનું રોકાણ કરવામાં આવે છે.

આ પણ વાંચો : કેન્દ્ર સરકાર કર્મચારીઓને દિવાળીની ભેટ આપશે! આ કર્મચારીઓને 30 દિવસનું બોનસ મળશે, જાણો બોનસની ગણતરીની ફોર્મ્યુલા

આ પણ વાંચો : ડીમાર્ટનો સ્ટોક 54% તૂટી શકે છે, રૂ 5900 નો શેર 2700 સુધી ગગડે તેવા બ્રોકરેજ હાઉસના અનુમાન, શું છે રોકાણકારો માટે સલાહ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">