AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Investment Plan: યોગ્ય ઉંમરે સમજદારીથી કરો ઈન્વેસ્ટમેન્ટ, આ રીતે રોકાણ કરવાથી મળશે વધારે વળતર

નાની ઉંમરથી યોગ્ય રીતે રોકાણ કરવું જરૂરી છે. ઘણા લોકો વિચારે છે કે 20 થી 30 વર્ષની ઉંમરે કેટલું કરવું જોઈએ. નિષ્ણાતોના મતે, આ ઉંમરે ઇક્વિટીમાં 100 ટકા રોકાણ જરૂરી છે. પરંતુ તે લાંબા ગાળાનું રોકાણ હોવું જોઈએ. જેથી તમે લાંબા ગાળે વધુ નફો મેળવી શકો.

Investment Plan: યોગ્ય ઉંમરે સમજદારીથી કરો ઈન્વેસ્ટમેન્ટ, આ રીતે રોકાણ કરવાથી મળશે વધારે વળતર
Investment Plan
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2023 | 7:47 PM
Share

Investment Plan: છેલ્લા કેટલાક વર્ષોમાં શેરબજાર (Stock Market) પ્રત્યે લોકોનો અભિગમ બદલાયો છે. શેરબજાર જુગાર નથી, નિષ્ણાતોની સલાહથી કરવામાં આવેલ રોકાણ તમને નફો આપશે, પરંતુ તેના માટે ધીરજની જરૂર છે. ડિજીટાઈઝેશનથી શેરબજારમાં રોકાણ અત્યંત સરળ બન્યું છે. સૌથી વધુ ડીમેટ ખાતા શેરબજારમાં કોરોના સમયગાળા દરમિયાન ખોલવામાં આવ્યા હતા. જેમણે યોગ્ય રોકાણ યોજના બનાવી છે, તે મોટો વર્ગ શેરબજારમાં રોકાણ કરી રહ્યો છે. કેટલાક સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ એટલે કે SIP દ્વારા રોકાણ કરી રહ્યા છે. તેનો ફાયદો પણ તેઓને મળી રહ્યો છે.

20 થી 30 વર્ષમાં રોકાણ

નાની ઉંમરથી યોગ્ય રીતે રોકાણ કરવું જરૂરી છે. ઘણા લોકો વિચારે છે કે 20 થી 30 વર્ષની ઉંમરે કેટલું કરવું જોઈએ. નિષ્ણાતોના મતે, આ ઉંમરે ઇક્વિટીમાં 100 ટકા રોકાણ જરૂરી છે. પરંતુ તે લાંબા ગાળાનું રોકાણ હોવું જોઈએ. જેથી તમે લાંબા ગાળે વધુ નફો મેળવી શકો. વધારાના વળતર ઉપલબ્ધ છે. રોકાણકારોને વધુ નફો મળે છે. તમે નાની ઉંમરે રોકાણ કરો છો તેથી તમે 20 થી 30 વર્ષ સુધી રોકાણ કરી શકો છો.

30 થી 45 વર્ષની વયે રોકાણ

જો તમારી ઉંમર 30 થી 45 વર્ષની વચ્ચે છે અને તમને શેરબજારમાં 5-7 વર્ષનો અનુભવ છે તો તમને સારું વળતર મળી શકે છે. પરંતુ આ માટે પોર્ટફોલિયોમાં ફેરફાર જરૂરી છે. જો તમે આ ઉંમરે તમારા બધા પૈસા ઇક્વિટી ફંડમાં રોકાણ કરી રહ્યા છો, તો તમારે આ પેટર્ન બદલવી પડશે. કેટલાક નાણા લોન સ્કીમમાં રોકાણ કરવા જોઈએ. જેમ તમારી ઉંમર વધે તે મૂજબ તમે ઈક્વિટીમાં ઓછું રોકાણ કરી શકો છો અને નફા માટે તેને અન્ય ફંડમાં ટ્રાન્સફર કરી શકો છો. આ માટે નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

આ પણ વાંચો : શેરબજારથી લઈને સોના સુધી, આ પાંચ સંપત્તિઓએ રોકાણકારોને કેટલી કમાણી કરાવી, જાણો અહીં

50 વર્ષની ઉંમરે ઈન્વેસ્ટમેન્ટ

મોટાભાગના લોકો 50 ની ઉંમરને નિવૃત્તિ તરીકે જુએ છે. તેથી, આ ઉંમરે કરવામાં આવેલ રોકાણ વૃદ્ધાવસ્થા માટેની જોગવાઈ છે. કોઈ રોકાણકારને જોખમ લેવું ન પડે તેના માટે તમે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં 65-75% અને બાકીની રકમ ઇક્વિટી ફંડમાં રોકાણ કરી શકો છો. વૃદ્ધાવસ્થામાં આ રોકાણથી ઘણો ફાયદો થઈ શકે છે. રોકાણ કરતા પહેલા તમારું પોતાનું સંશોધન અને નિષ્ણાંતનો અભિપ્રાય લેવો જરૂરી છે. જોખમ ઘટાડવા અને વધુ સારું વળતર મેળવવા માટે રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
g clip-path="url(#clip0_868_265)">