‘માલિક’ વેચશે કંપનીના 77 લાખ શેર, બજારમાં મચી ગયો હડકંપ, રોકાણકારો થયા નિરાશ, શેર 4 ટકા તૂટ્યો

આ શેરમાં આજે 4 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. અહેવાલો અનુસાર, કંપનીના પ્રમોટર્સ તેમનો હિસ્સો ઘટાડી શકે છે. પ્રમોટર્સ લગભગ 77 લાખ શેર વેચવાની યોજના બનાવી રહ્યા છે.

'માલિક' વેચશે કંપનીના 77 લાખ શેર, બજારમાં મચી ગયો હડકંપ, રોકાણકારો થયા નિરાશ, શેર 4 ટકા તૂટ્યો
IndiGo Share Price
Follow Us:
| Updated on: Jun 11, 2024 | 1:24 PM

IndiGo Share Price: ઈન્ટરગ્લોબ એવિએશન લિમિટેડ (IndiGo)ના શેરમાં આજે 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.પ્રાપ્ત અહેવાલ મુજબ કંપનીના પ્રમોટર્સ તેમનો હિસ્સો 2 ટકા ઘટાડી શકે છે, આ સમાચારને કારણે આજે શેરબજારમાં કંપનીના શેરની સ્થિતી નબળી પડી છે.

મંગળવારે BSEમાં કંપનીના શેર રૂ. 4409.95 પર ખુલ્યા હતા. પરંતુ થોડા સમય પછી તે 4471.90 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો. એટલે કે પ્રમોટરોએ તેમનો હિસ્સો વેચવાની વાતને કારણે શેર 4.40 ટકા તુટ્યો હતો. તમને જણાવી દઈએ કે, ઈન્ડિગોના પ્રમોટર્સ એન્ટરગ્લોબ એન્ટરપ્રાઈઝ છે.

77 લાખ શેર વેચી શકે છે

અહેવાલો અનુસાર, ઇન્ટરગ્લોબ એન્ટરપ્રાઇઝના વડા રાહુલ ભાટિયા 77 લાખ શેર વેચી શકે છે. આ માટે પ્રતિ શેરની કિંમત 4266 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જે સોમવારે કંપનીના બંધ રૂ. 4566.60 કરતાં સસ્તું છે. તમને જણાવી દઈએ કે, આજે ઈન્ટરગ્લોબ એવિએશન લિમિટેડનું માર્કેટ કેપ ઘટીને 1,69.551 કરોડ રૂપિયા થઈ ગયું છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

31 માર્ચ, 2024ના ડેટા મુજબ, એન્ટરગ્લોબ એન્ટરપ્રાઇઝિસનો કુલ હિસ્સો 37.75 ટકા હતો. શેરબજારમાં કંપનીની કામગીરીની વાત કરીએ તો છેલ્લા 6 મહિનામાં પોઝિશનલ રોકાણકારોને 60 ટકાનો નફો થયો છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 82 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.

કંપનીનું 52 વીક હાઇ સ્થિતીની વાત કરીએ તો તે રૂ. 4,610 છે અને 52 વીક લો પ્રાઇસ રૂ. 2331.20 છે. મ્યુચ્યુઅલ ફંડનો કુલ હિસ્સો 12.38 ટકા હિસ્સો છે. વિદેશી રોકાણકારોનો હિસ્સો 23.66 ટકા છે.

કંપનીના માર્ચ ક્વાર્ટર વિશે માહિતી

કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 919.20 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. જે વાર્ષિક ધોરણે 26 ટકા વધુ છે. જાન્યુઆરીથી માર્ચ 2024 દરમિયાન કંપનીની આવક રૂ. 17,825.30 કરોડ હતી. EBITDAમાં 48.70 ટકાનો વધારો જોવા મળ્યો છે.

( શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લો.)

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">