AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારના નિર્ણયોને કારણે અર્થવ્યવસ્થામાં ઝડપી રિકવરી, 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનું સપનું સાકાર થશેઃ અમિત શાહ

આજે એક સમિટમાં ભાગ લેતા અમિત શાહે કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા કોરોના સંકટમાંથી સૌથી ઝડપથી બહાર આવી છે અને આ મોદી સરકારના નીતિગત નિર્ણયોનું પરિણામ છે.

સરકારના નિર્ણયોને કારણે અર્થવ્યવસ્થામાં ઝડપી રિકવરી, 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનું સપનું સાકાર થશેઃ અમિત શાહ
Amit Shah
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 6:52 PM
Share

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) કહ્યું કે મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા નીતિગત નિર્ણયોના કારણે જ દેશની અર્થવ્યવસ્થા (Economy) વિશ્વમાં સૌથી ઝડપી રિકવરી નોંધાવવામાં સફળ રહી છે. આ સાથે તેમણે કહ્યું કે કોરોનાના (Corona Virus) છતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (Narendra Modi) ભારતીય અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું સપનું ચોક્કસપણે પૂરું થશે.

ભારતીય અર્થવ્યવસ્થા સૌથી ઝડપી રિકવરી થઈ આજે એક સમિટમાં ભાગ લેતા અમિત શાહે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા કોરોના સંકટમાંથી સૌથી ઝડપથી બહાર આવી છે અને આ મોદી સરકારના નીતિગત નિર્ણયોનું પરિણામ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકારે સ્વાસ્થ્ય (Health) માળખા પર આગામી ત્રણ વર્ષમાં રૂ. 15 લાખ કરોડનું રોકાણ કરવાનો નિર્ણય કર્યો હોવા છતાં, તેની સાથે 80 કરોડ લોકોને મફત રાશન અને 130 કરોડ લોકોને મફત રસીકરણ આપવામાં આવ્યું છે. ખાધ નિયંત્રણમાં રહી છે.

ભારતીય અર્થવ્યવસ્થાની મજબૂતી અને તણાવને દૂર કરવાની તેની ક્ષમતાથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારત વિશ્વની અર્થવ્યવસ્થાઓમાં મજબૂત સ્થાન બનાવશે અને વડાપ્રધાન મોદીનું 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનું સ્વપ્ન સાકાર થશે.

સરકારે જીડીપીનું માનવીય પાસું સામે લાવી અમિત શાહે કહ્યું કે વર્તમાન સરકાર જીડીપીના (GDP) માનવીય પાસાને બહાર લાવી છે, જેમાં લોકોને પીવાના પાણીની સપ્લાય, રાંધણ ગેસ, શૌચાલયનું નિર્માણ, જે લોકોનું જીવન સુધારે છે. માનવીય પાસાનો અર્થ સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે જ્યારે 10 કરોડ શૌચાલય બનાવવામાં આવશે અને ઘરોમાં ગેસનો પુરવઠો વધશે ત્યારે તેની અસર દેશના જીડીપી પર પણ સ્પષ્ટપણે જોવા મળશે. આ સાથે તેમણે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT), ગરીબી નાબૂદી, ગ્રામીણ વિદ્યુતીકરણનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ખાનગી રોકાણને પ્રોત્સાહિત કરવાના પગલા તેમણે કહ્યું કે ખાનગી રોકાણને (Investment) પ્રોત્સાહિત કરવા ખાણકામ ક્ષેત્રમાં સુધારો કરવામાં આવ્યો છે, કેપ્ટિવ અને નોન-કેપ્ટિવ ખાણો વચ્ચેનો ભેદ દૂર કરવામાં આવ્યો છે, ખનિજ સૂચકાંકનો વિકાસ કરવામાં આવ્યો છે, કોલસા અને ખાણ ક્ષેત્રે અન્ય ઘણા પગલાં લેવામાં આવ્યા છે. રોકાણની ઘણી તકો છે. રોકાણ આવી રહ્યું છે અને ઉત્પાદન વધ્યું છે.

આ પણ વાંચો : Jawad Cyclone: પુરીમાં ત્રાટકશે વાવાઝોડું જવાદ, પાકને થઈ શકે છે ભારે નુકસાન, રેલવેએ 75 ટ્રેનો રદ કરી

આ પણ વાંચો : અખિલેશ યાદવ મમતા બેનર્જીના વૈકલ્પિક મોરચામાં જોડાશે ! સપા પ્રમુખે કહ્યું- બંગાળની જેમ યુપીમાં પણ ભાજપનો સફાયો થશે

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">