AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત અને UAEમાં વેપાર કરાર, કરારથી બંને દેશોની આર્થિક ક્ષમતા વધશે નિકાસને ઝડપ મળશે

વડાપ્રધાને કહ્યું કે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં લોજિસ્ટિક્સ, હેલ્થકેર, હોસ્પિટાલિટી સહિતના તમામ ક્ષેત્રોમાં UAE દ્વારા રોકાણને આવકારે છે.

ભારત અને UAEમાં વેપાર કરાર, કરારથી બંને દેશોની આર્થિક ક્ષમતા વધશે નિકાસને ઝડપ મળશે
The trade agreement was signed on behalf of India by Commerce Minister Piyush Goyal and UAE Minister of Economic Affairs Abdullah bin Touq Al Mari.
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2022 | 7:00 AM
Share

ભારત અને સંયુક્ત આરબ અમીરાતે (United Arab Emirates) શુક્રવારે વેપારી સંબંધોને મજબૂત કરવા અને પરસ્પર સહયોગને વધારવા માટે ભાવિ બ્લુપ્રિન્ટ રજૂ કરવા માટે વ્યાપક આર્થિક જોડાણ કરાર પર હસ્તાક્ષર કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને UAE સશસ્ત્ર દળોના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન(Sheikh Mohammed bin Zayed Al Nahyan) વચ્ચે ડિજિટલ મીટિંગ બાદ આ સમજૂતી થઈ હતી. ભારત વતી વેપાર કરાર પર વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને UAEના આર્થિક બાબતોના પ્રધાન અબ્દુલ્લા બિન તૌક અલ મારીએ હસ્તાક્ષર કર્યા હતા.

ડિજિટલ માધ્યમ દ્વારા યોજાયેલી બેઠકમાં, PM મોદી અને અલ નાહ્યાને ‘પ્રોગ્રેસ ઇન ઇન્ડિયા એન્ડ UAE કમ્પોઝિટ સ્ટ્રેટેજિક એલાયન્સઃ ન્યૂ ફ્રન્ટિયર્સ, ન્યૂ માઇલસ્ટોન્સ’ નામનું સંયુક્ત વિઝન પેપર બહાર પાડ્યું. આ નિવેદનમાં ભારત અને UAE વચ્ચે આગળ દેખાતા સહયોગ માટે રોડમેપ નક્કી કરવામાં આવ્યો છે અને મુખ્ય ક્ષેત્રો અને પરિણામોની ઓળખ કરવામાં આવી છે, એમ સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે CEPA બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર માટે ખૂબ મદદરૂપ થશે, જેમાં વિસ્તૃત માર્કેટ એક્સેસ અને નીચા ટેરિફનો સમાવેશ થાય છે.

CEPA આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપાર વર્તમાન $60 બિલિયનથી વધારીને $100 બિલિયન થવાની ધારણા છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મને ખુબ ખુશી છે કે બંને દેશો આજે વ્યાપક આર્થિક જોડાણ કરાર પર હસ્તાક્ષર કરી રહ્યા છે. નોંધનીય છે કે અમે ત્રણ મહિનાથી ઓછા સમયમાં આવા મહત્વના કરાર પર વાટાઘાટો કરી શક્યા છીએ. સામાન્ય રીતે આ પ્રકારના કરાર માટે વર્ષો લાગે છે.તેમણે કહ્યું કે આ કરાર બંને દેશો વચ્ચે ઊંડી મિત્રતા, સહિયારી દ્રષ્ટિ અને વિશ્વાસને દર્શાવે છે. મને ખાતરી છે કે આ આપણા આર્થિક સંબંધોમાં એક નવા યુગની શરૂઆત કરશે.

પીએમ મોદીએ આશા વ્યક્ત કરી કે આ સાથે આગામી પાંચ વર્ષમાં બંને દેશોનો વેપાર 60 અબજ ડોલરથી વધીને 100 અબજ ડોલર થઈ જશે. વડાપ્રધાને કહ્યું કે અમે બંને દેશોમાં સંયુક્ત સંશોધન અને સંયુક્ત ભંડોળ દ્વારા સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરી શકીએ છીએ. એ જ રીતે, અમારા લોકોના કૌશલ્ય વિકાસ માટે, અમે આધુનિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ એક્સલન્સને પણ સહકાર આપી શકીએ છીએ, એમ તેમણે જણાવ્યું હતું.પીએમ મોદીએ કહ્યું કે ગયા મહિને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરની UAEની સફળ મુલાકાત બાદ અમીરાતની ઘણી કંપનીઓએ જમ્મુ અને કાશ્મીરમાં રોકાણ કરવામાં રસ દાખવ્યો છે.                                                                                                                                     
વડાપ્રધાને કહ્યું કે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં લોજિસ્ટિક્સ, હેલ્થકેર, હોસ્પિટાલિટી સહિતના તમામ ક્ષેત્રોમાં UAE દ્વારા રોકાણને આવકારે છે. અલ નાહયાન સાથેની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારા સંબંધોને મજબૂત બનાવવામાં તમારી અંગત ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી છે. કોવિડ રોગચાળા દરમિયાન પણ તમે UAE ના ભારતીય સમુદાયની જે રીતે કાળજી લીધી તેના માટે હું હંમેશા તમારો આભારી રહીશ.                                                                                                                                  તેમણે કહ્યું કે અમે યુએઈમાં તાજેતરના આતંકવાદી હુમલાની નિંદા કરીએ છીએ અને ભારત અને યુએઈ આતંકવાદ સામે ખભે ખભા મિલાવીને ઊભા રહેશે. બંને નેતાઓએ ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ અને સંયુક્ત આરબ અમીરાતની સ્થાપનાની 50મી વર્ષગાંઠ નિમિત્તે સંયુક્ત ટપાલ ટિકિટ બહાર પાડી.                                                                                                                                                 

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">