AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar Energy મામલે ભારતે કર્યો કમાલ, છેલ્લા સાત વર્ષમાં ક્ષમતામાં થયો 17 ગણો વધારો

ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં સૌર ઊર્જાની દિશામાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. છેલ્લા સાત વર્ષમાં ભારતની સૌર ઊર્જા ક્ષમતા 17 ગણી વધી છે.

Solar Energy મામલે ભારતે કર્યો કમાલ, છેલ્લા સાત વર્ષમાં ક્ષમતામાં થયો 17 ગણો વધારો
હવે ખેડૂતો ખેતી સાથે વીજળી પણ કરી શકશે ઉત્પન્ન (File Pic)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 9:07 PM
Share

ભારતે રવિવારે સંયુક્ત રાષ્ટ્ર (UN) ક્લાઈમેટ સમિટમાં કહ્યું કે દેશની સૌર ઉર્જા ક્ષમતા છેલ્લા સાત વર્ષમાં 17 ગણી વધીને 45,000 મેગાવોટ થઈ ગઈ છે. ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે વૈશ્વિક વસ્તીના 17 ટકા હિસ્સો ધરાવે છે અને તેમ છતાં તેનો કુલ ઉત્સર્જનમાં હિસ્સો માત્ર ચાર ટકા છે. ભારતે અહીં યોજાયેલી COP-26 ક્લાઈમેટ સમિટમાં 11મી શેરિંગ ઑફ આઈડિયાઝ (FSV) દરમિયાન તેના ત્રીજા દ્વિવાર્ષિક અપડેટેડ રિપોર્ટ (BUR)ની રજૂઆત દરમિયાન આ વાત કહી. BUR ફેબ્રુઆરીમાં યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ ટ્રીટી (UNFCCC) સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.

આ અહેવાલમાં મુખ્ય મુદ્દા તરીકે ભારતે જણાવ્યું હતું કે તેણે 2005-14ના સમયગાળામાં તેના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ની ઉત્સર્જન તીવ્રતામાં 24 ટકાનો ઘટાડો હાંસલ કર્યો છે. સાથે જ તેણે તેના સૌર કાર્યક્રમમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે.

વૈશ્વિક ઉત્સર્જનમાં યોગદાન માત્ર 4 ટકા છે

ભારત વતી પર્યાવરણ મંત્રાલયના સલાહકાર/વૈજ્ઞાનિક જે.આર. ભટ્ટે કહ્યું કે ભારત વૈશ્વિક વસ્તીના 17 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ આપણું કુલ ઉત્સર્જન માત્ર ચાર ટકા છે અને વર્તમાન વાર્ષિક ગ્રીનહાઉસ ગેસ (GHG) ઉત્સર્જન માત્ર 5 ટકા છે.

સૌર ઉર્જા ક્ષમતા 45 હજાર મેગાવોટ સુધી પહોંચી

ભટ્ટે કહ્યું આ દર્શાવે છે કે ભારત ક્લાઈમેટ ચેન્જ માટે સંવેદનશીલ છે. ભારતની સૌર ઉર્જા ક્ષમતા છેલ્લા સાત વર્ષમાં 17 ગણી વધી છે. તે હવે 45 હજાર મેગાવોટ પર પહોંચી ગઈ છે. કોન્ફરન્સમાં તમામ પક્ષોએ BUR અને આબોહવા પર ભારતના પ્રયાસોની પ્રશંસા કરી, જેમાં નવા પગલાંની તાજેતરની જાહેરાતો પણ સામેલ છે.

ભારત 2070 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરશે

ગ્લાસગોમાં COP26 ક્લાઈમેટ સમિટમાં (COP26 climate summit in Glasgow) પીએમ મોદીએ તાજેતરમાં કહ્યું હતું કે ભારત રિન્યુએબલ એનર્જીની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે 2030 સુધીમાં ભારત જે ઉર્જા ઉત્પન્ન કરશે, તેમાંથી અડધાથી વધુ ગ્રીન એનર્જીથી થશે. ભારતે સૌપ્રથમ 500 ગીગાવોટ નોન-ફોસિલ ઈંધણનું (non-fossil energy) લક્ષ્ય નક્કી કર્યું છે. તેનો બીજો ધ્યેય 2030 સુધીમાં નવીનીકરણીય સ્ત્રોતો દ્વારા જરૂરી અડધી ઉર્જાનું ઉત્પાદન કરવાનો છે.

ભારત હાલમાં તેની કુલ વીજળીની જરૂરિયાતના 70 ટકા માટે કોલસા પર નિર્ભર છે અને 2030 સુધીમાં 50 ટકા બિન-અશ્મિભૂત ઈંધણ મેળવવાનું પડકારજનક રહેશે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ભારત વર્ષ 2070 સુધીમાં શુદ્ધ રૂપથી શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરશે.

આ પણ વાંચો :  Share Market : તેજી સાથે શરૂઆત બાદ લાલ નિશાન નીચે પહોંચ્યો કારોબાર, SENSEX 60000 નીચે સરક્યો

સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
g clip-path="url(#clip0_868_265)">