Income Tax Rules : શું તમે જાણો છો કે તમે કાર લોન પર પણ ટેક્સમાં છૂટ મેળવી શકો છો, જાણો કેવી રીતે મળશે લાભ

ધારો કે, જો તમારી વાર્ષિક આવક રૂ. 10 લાખ છે અને તમે કાર લોન માટે બેંકને વાર્ષિક 70 હજાર વ્યાજ ચૂકવો છો તો આવક ની ગણતરી રૂ.૯.૩૦ લાખ પર ગણવાની રહેશે તેમાં ઇંધણ અને ડિપ્રેશિએશન ખર્ચનો સમાવેશ થશે નહીં.

Income Tax Rules  : શું તમે જાણો છો કે તમે કાર લોન પર પણ ટેક્સમાં છૂટ મેળવી શકો છો, જાણો કેવી રીતે મળશે લાભ
કાર લોનનું વ્યાજ કરમાફી તરીકે ક્લેઇમ કરી શકાય છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 8:15 AM

કાર(Car)ને લક્ઝરી પ્રોડક્ટ ગણવામાં આવે છે અને સામાન્ય રીતે તેની લોન પર (Income Tax)ટેક્સમાં છૂટ મળતી નથી. જો કે તમે જો વ્યવસાયિક છો અથવા તમારા વ્યવસાય માટે કારનો ઉપયોગ કરો છો તો તમે રિટર્ન ફાઇલ કરતી વખતે ટેક્સ કપાત(Tax Exemption)નો દાવો કરી શકો છો.કર્મચારીઓ(Employee)ને આના પર ટેક્સમાં છૂટ મળતી નથી. ક્લિયરના સ્થાપક અને સીઈઓ અર્ચિત ગુપ્તા કહે છે કે જો તમે કાર લોન(Car Loan) પર ટેક્સ કપાતનો દાવો કરવા માંગતા હો તો તેમાં મહત્વપૂર્ણ છે કે તે કાર નો ઉપયોગ વ્યવસાયિક હેતુઓ માટે કરવામાં આવે તે જરૂરી છે.

દાખલ તરીકે જો તમે કાર ભાડેથી ચલાવો છો અથવા ટ્રાવેલ એજન્સીમાં ઉપયોગ કરો છો કે પછી તમારો પોતાનો વ્યવસાય ચલાવો છો અથવા તમે પ્રોફેશનલ છો તો પણ તમે કાર લોન પર વાર્ષિક ચૂકવવામાં આવતા વ્યાજની બરાબર કર કપાતનો દાવો કરી શકો છો. આ માટે ચૂકવવામાં આવેલ વ્યાજની રકમ રિટર્ન ફાઇલ કરતી વખતે વ્યવસાયની કિંમત તરીકે દર્શાવવાની રહેશે.

ફ્યુલ અને જાળવણીના ખર્ચ પર પણ છૂટ મળે છે

માત્ર કાર લોન પરનું વ્યાજ જ નહીં પરંતુ વાર્ષિક ઉપયોગમાં લેવાતા ઈંધણ અને કારની જાળવણી પર થતા ખર્ચને પણ આવકવેરા કપાતમાં સામેલ કરી શકાય છે. આ ઉપરાંત તમે ડિપ્રેશિએશન ખર્ચ એટલે કે કારની ખરીદી કિંમતમાં વાર્ષિક ધોરણે ઘટાડો કરવા પર છૂટ મેળવી શકો છો. જો કે ઇંધણની માત્ર ચોક્કસ રકમ જ કર કપાતપાત્ર છે અને ડિપ્રેશિએશન ખર્ચ કારના મૂલ્યના વાર્ષિક 15-20% સુધી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ધારો કે જો તમારી વાર્ષિક આવક રૂ. 10 લાખ છે અને તમે કાર લોન માટે બેંકને વાર્ષિક 70 હજાર વ્યાજ ચૂકવો છો તો આવક ની ગણતરી રૂ ૯.૩૦ લાખ પર ગણવાની રહેશે તેમાં ઇંધણ અને ડિપ્રેશિએશન ખર્ચનો સમાવેશ થશે નહીં.

આ બાબતોનું ધ્યાન રાખો

  • જો કારનો ઉપયોગ વ્યવસાયિક હેતુ માટે ન થયો હોય તો આવકવેરા અધિકારી દાવાને રદ કરી શકે છે.
  •  દાવા માટે બેંક પાસેથી વ્યાજ પ્રમાણપત્ર મેળવવાની ખાતરી કરો. આવકવેરા વિભાગ વેરિફિકેશન તરીકે આ પ્રમાણપત્ર માંગી શકે છે.
  • કાર સંબંધિત વ્યવસાય અથવા તેના માલિકના નામે નોંધાયેલ હોવી આવશ્યક છે.
  • દાવાઓમાં આયકર ના જરૂરી નિયમો ની સાવધાની રાખો

કર અને રોકાણ સલાહકાર બળવંત જૈન કહે છે કે કરદાતાઓએ ધ્યાનમાં રાખવું પડશે કે દાવા સમયે આવકવેરા વિભાગ પુરાવા માંગી શકે છે કે કારનો બિઝનેસમાં ઉપયોગ થયો છે. જો કોઈએ ખોટો દાવો કર્યો હોય તો માત્ર દાવો નકારી કાઢવામાં આવશે એટલું જ નહીં આવકવેરા વિભાગ કાયદાકીય કાર્યવાહી પણ કરી શકે છે. કરદાતા માટે રિટર્ન ફાઇલ કરતી વખતે તમામ જરૂરી દસ્તાવેજોનો ઉલ્લેખ કરવો ખુબ જરૂરી છે.

આ પણ વાંચો : MONEY9: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે લાર્જ-કેપ, મિડ-કેપની ચિંતા છોડો મલ્ટિ-કેપ અજમાવો !

આ પણ વાંચો : MONEY9: શેરબજારમાંથી થતી કમાણી પરનો ટેક્સ બચાવવો છે? જાણો ટિપ્સ આ વીડિયોમાં

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">