AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

₹15 લાખથી વધુની સેલેરી પર પણ એકપણ રૂપિયો ટેક્સ નહીં ચૂકવવો પડે, બસ કરો આ ‘નાનું કામ’

નાણાકીય વર્ષ 2026-27માં નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ નોકરિયાત લોકો માટે ટેક્સ બચાવવાની એક ઉત્તમ તક છે. જો તમે યોગ્ય સેલરી સ્ટ્રક્ચર અને કંપની તરફથી મળતી કેટલીક ખાસ સુવિધાઓનો ઉપયોગ કરો, તો 15.85 લાખ રૂપિયાના વાર્ષિક પગાર પર પણ તમારો ઇન્કમ ટેક્સ ઝીરો થઈ શકે છે.

₹15 લાખથી વધુની સેલેરી પર પણ એકપણ રૂપિયો ટેક્સ નહીં ચૂકવવો પડે, બસ કરો આ 'નાનું કામ'
| Updated on: Jun 24, 2026 | 8:22 PM
Share

નાણાકીય વર્ષ 2026-27માં નવી ટેક્સ વ્યવસ્થા (New Tax Regime) હેઠળ નોકરિયાત લોકો માટે ટેક્સ બચાવવાની એક મોટી તક છે. યોગ્ય સેલેરી સ્ટ્રક્ચર અને કેટલીક ખાસ સુવિધાઓનો ઉપયોગ કરીને 15.85 લાખ રૂપિયાના વાર્ષિક પગાર પર પણ આવકવેરાની જવાબદારી (ઇન્કમ ટેક્સ લાયબિલિટી) શૂન્ય સુધી લાવી શકાય છે.

વાસ્તવમાં, નવી ટેક્સ વ્યવસ્થામાં 12 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક (ટેક્સેબલ ઇન્કમ) પર સેક્શન 87A હેઠળ સંપૂર્ણ ટેક્સ રિબેટ મળે છે. આવી સ્થિતિમાં, જો તમારી ટેક્સેબલ આવક 12 લાખ રૂપિયાથી નીચે આવી જાય છે, તો તમારે કોઈ ઇન્કમ ટેક્સ ચૂકવવો પડતો નથી. હવે જો તમારો પગાર 15 લાખ રૂપિયાથી વધુ છે, તો તમે કેવી રીતે ટેક્સ બચાવી શકો છો? ચાલો સમજીએ…

કેવી રીતે 15.85 લાખ રૂપિયાના પગાર પર ટેક્સ ઝીરો થશે?

  • કર્મચારીની કુલ વાર્ષિક સેલેરી (CTC) 15.85 લાખ રૂપિયા છે. જો કે, કેટલીક કપાત (ડિડક્શન્સ) અને કંપની તરફથી મળતા ફાયદાઓને ઉમેર્યા પછી કરપાત્ર આવક ઘણી ઓછી થઈ જાય છે.
  • સૌથી પહેલા 75,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે. આ તમામ કર્મચારીઓ માટે છે અને આના માટે અલગથી કોઈ રોકાણ કરવાની જરૂર હોતી નથી.
  • આ સિવાય મીલ વાઉચર (Meal Voucher) નો લાભ લઈ શકાય છે. જો કર્મચારીને દરરોજ 200 રૂપિયા સુધીનું મીલ વાઉચર મળે છે, તો વર્ષભરમાં આશરે 1.05 લાખ રૂપિયા સુધીની ટેક્સ બચત થઈ શકે છે.

કંપની તરફથી મળતો મોટો ફાયદો (Company PF Contribution)

નવી ટેક્સ વ્યવસ્થામાં તમારી કંપની તરફથી તમારા માટે કરવામાં આવેલા રોકાણ પર પણ ટેક્સ બચે છે.

કંપનીનું PF માં યોગદાન (Employer PF): જો તમારી કંપની તમારા બેઝિક પગારનો 12% હિસ્સો તમારા પીએફ (PF) ખાતામાં જમા કરે છે, તો આનાથી તમને ટેક્સમાં આશરે 95,100 રૂપિયાનો ફાયદો મળી શકે છે.

કંપનીનું NPS માં યોગદાન (Employer NPS): આવી જ રીતે, જો તમારી કંપની તમારા નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) ખાતામાં પોતાની તરફથી નાણાં જમા કરે છે, તો તેના પર પણ ટેક્સ છૂટ મળે છે. ઉદાહરણ તરીકે, આનાથી આશરે 1.10 લાખ રૂપિયાનો ટેક્સ લાભ મળી શકે છે. આ એ નાણાં છે, જે કંપની પોતાની તરફથી તમારા PF અને NPSમાં નાખે છે તેમજ તેના પર તમારે કોઈ ટેક્સ આપવો પડતો નથી.

કુલ કપાત 3.86 લાખ રૂપિયા સુધી

સ્ટાન્ડર્ડ ડિડક્શન, મીલ વાઉચર, પીએફ અને એનપીએસને મળીને કુલ ડિડક્શન આશરે 3.86 લાખ રૂપિયા થાય છે. એવામાં જ્યારે 15.85 લાખ રૂપિયાની કુલ સેલેરીમાંથી 3.86 લાખ રૂપિયાની કપાત ઘટાડવામાં આવે છે, ત્યારે કરપાત્ર આવક આશરે 11.98 લાખ રૂપિયા રહી જાય છે, જે 12 લાખ રૂપિયાની મર્યાદાથી નીચે છે.

મળશે સંપૂર્ણ ‘ટેક્સ રિબેટ’

કરપાત્ર આવક 12 લાખ રૂપિયાથી ઓછી છે, તેથી કર્મચારીને સેક્શન 87A હેઠળ સંપૂર્ણ ટેક્સ રિબેટ મળી શકે છે. આનો અર્થ એ કે, અંતિમ ટેક્સની જવાબદારી શૂન્ય થઈ શકે છે. જો કે, આ લાભ ત્યારે જ શક્ય છે જ્યારે કંપનીનું સેલેરી સ્ટ્રક્ચર આ સુવિધાઓને એડ (Add) કરતું હોય અને તમામ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે. તેથી કર્મચારીઓએ પોતાની HR ટીમ અથવા ટેક્સ સલાહકાર સાથે વાત કરીને સેલેરી સ્ટ્રક્ચરને ધ્યાનથી સમજવું જોઈએ.

એક વર્ષમાં આપ્યું 211 % સુધીનું રિટર્ન… ગ્લોબલ માર્કેટમાં રોકાણ કરે છે આ ‘4 મ્યુચ્યુઅલ ફંડ’, તમે તમારા પૈસા શેમાં ઇન્વેસ્ટ કરશો?

Follow Us
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
g clip-path="url(#clip0_868_265)">