AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈન્કમટેક્સ બચાવવા માટે બચ્યા છે 14 દિવસ, જાણો કઈ રીતે બચાવી શકાશે ટેક્સ

આપ ફાયનાન્સીયલ વર્ષ 2019-20 માટેના ટેક્સ લાભને લઈને સેક્શન 80-સી, 80-ડી અને 80-જી અંતર્ગત આવવા વાળી યોજનાઓમાં 30 જૂન સુધી ઈન્વેસ્ટ કરી શકો છો. પાછલા વર્ષમાં અગર આપ પર્યાપ્ત રીતે ઈન્વેસ્ટ નથી કરી  શક્યા તો આપના પાસે હજું 14 દિવસ બચ્યા છે.                સામાન્ય રીતે ફાયનાન્સીયલ વર્ષ 31 માર્ચે […]

ઈન્કમટેક્સ બચાવવા માટે બચ્યા છે 14 દિવસ, જાણો કઈ રીતે બચાવી શકાશે ટેક્સ
http://tv9gujarati.in/income-tax-bacha…a-jaano-tax-plan/
| Updated on: Jun 19, 2020 | 9:11 AM
Share

આપ ફાયનાન્સીયલ વર્ષ 2019-20 માટેના ટેક્સ લાભને લઈને સેક્શન 80-સી, 80-ડી અને 80-જી અંતર્ગત આવવા વાળી યોજનાઓમાં 30 જૂન સુધી ઈન્વેસ્ટ કરી શકો છો. પાછલા વર્ષમાં અગર આપ પર્યાપ્ત રીતે ઈન્વેસ્ટ નથી કરી  શક્યા તો આપના પાસે હજું 14 દિવસ બચ્યા છે.

               સામાન્ય રીતે ફાયનાન્સીયલ વર્ષ 31 માર્ચે પુરૂ થઈ જતું હોય છે  પરંતુ પાછલા વર્ષે છેલ્લા સમયગાળામાં જ દેશભરમાં લોકડાઉન થઈ ગયું હતું જેને કારણે અનેક કરદાતા ટેક્સ બચતનાં સાધનોમાં પુરી રીતે ઈન્વેસ્ટ નોહતા કરી શક્યા, સરકારે આ તમામ ઈન્વેસ્ટરોને સમય વધારી આપ્યો કે જે વર્ષ 2019-20 માટે ટેક્સ બચાવવાની યોજના બનાવી રહ્યા છે. આપ હજુ પણ સેક્શન 80-સી, 80-ડી અને 80-જી અંતર્ગત આવવા વાળા ટેક્સનાં લાભ મેળવી શકો છો. આપ રાષ્ટ્રીય પેન્શન યોજનામાં એકાઉન્ટ ખોલી શકો છો. NPSને PFRDA દ્વારા નિયંત્રિત કરાય છે. આ રીટાયરમેન્ટ પછીની રહેણીકરણી માટે માસીક આવક મેળવવા માટેનું સારી માધ્યમ છે.

                         અગર આપ લિક્વીડીટીને શોધી રહ્યા છો તો આપ ELSS (ઈક્વીટી લિન્ક્ડ સેવિંગ સ્કીમ) મ્યુચ્યૂલ ફંડ પર વિચાર કરી શકો છો. આ માત્ર ત્રણ વર્ષનાં લોક ઈન પિરિયડ સાથે આવે છે. અગર તમે નક્કી કરેલી આવકને ઈચ્છો છો અને પોતાના પૈસાને 15 વર્ષ સુધી લોક ઈન રાખી શકો તો પબ્લીક પ્રોવિંડંડ ફંડ (PPF)માં ઈન્વેસ્ટ કરી શકો છો. સેક્શન 80-ડી અંતર્ગત કોઈ પણ વ્યક્તિ કે જે પોતાના જીવનસાથી, બાળકો માટે હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રિમિયમ ચુકવે છે તો તેને 80-ડી મુજબ 25 હજાર સુધી ટેક્સનો લાભ મેળવી શકે છે. આ 60 વર્ષથી ઓછી વય વાળાઓ માટે છે.

                       કોરોના મહામારીનાં કારણે થયેલા લોકડાઉન દરમિયાન આપણામાંથી કેટલાયે લોકો એ પીએમ કેર્સ ફંડ અગર તો એનજીઓમાં પૈસા દાન આપ્યા હશે. તમે એ રકમ માટે પણ ટેક્સનો લાભ લઈ શકો છો. દાન, ચેક અથવા તો ડ્રાફ્ટ કે પછી કેસનાં રૂપમાં આપી શકાય છે, જો કે 10 હજાર રૂપિયાથી વધારેની કેશ રકમ માટે મંજુરી નથી અપાઈ. દાન કે યોગદાન અપાયેલી 100 ટકા રકમને કપાત માટે યોગ્ય માનવામાં આવે.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">