ઘરમાં કેટલી રોકડ રાખી શકાય? જાણો શું છે નિયમ અને કાયદાના ભંગ માટે કેટલો ભરવો પડશે દંડ

|

Jan 19, 2023 | 8:30 AM

જો તમને આવકવેરા વિભાગના દરોડામાં રોકડનો સ્ત્રોત પૂછવામાં આવ્યો હોય અને તમે સાચા દસ્તાવેજો બતાવી શક્યા નથી અથવા દસ્તાવેજોમાં કેટલીક વિસંગતતા જોવા મળે છે, તો તમને દંડ થઈ શકે છે. આ દંડ ઘણો ભારે હશે. આવકવેરા કાયદા અનુસાર, તમારે તમારા ઘરમાં મળેલી રોકડ રકમના 137 ટકા દંડ તરીકે ચૂકવવા પડશે.

ઘરમાં કેટલી રોકડ રાખી શકાય? જાણો શું છે નિયમ અને કાયદાના ભંગ  માટે કેટલો ભરવો પડશે દંડ
Symbolic Image

Follow us on

ભારતમાં કોઈપણ ઈમરજન્સી માટે ઘરે રોકડ રાખવાની પ્રથા ઘણી જૂની છે. ભલે બેંકો તેમના ગ્રાહકોને અનેક પ્રકારની ઑફર્સ અને સુવિધાઓ આપે છે પરંતુ આજે પણ લોકો કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિ માટે ઘરે પૈસા રાખવાને વધુ મહત્વ આપે છે. જો કે, ઘરમાં કેટલા પૈસા રાખી શકાય તેની કોઈ મર્યાદા છે? શું તમારે ચોક્કસ રકમ પછી ઘરમાં પડેલી રોકડ વિશે આવકવેરા વિભાગને જાણ કરવી પડશે? તમે ઇચ્છો તેટલી રોકડ ઘરે રાખી શકો છો અને તેની માહિતી કોઈપણ સત્તાધિકારીને આપવાની કોઈ કાનૂની ફરજ નથી.

જો કે, તમારી પાસે જે પણ રોકડ રાખવામાં આવી છે તમારી પાસે કાયદેસર રીતે માન્ય સ્ત્રોત અને સંબંધિત દસ્તાવેજો વિશેની માહિતી હોવી જોઈએ. એટલે કે, તમને તે પૈસા ક્યાંથી મળ્યા, તમારે તેની સાથે સંબંધિત દસ્તાવેજો રાખવા પડશે. જો કોઈના ઘરમાં મોટી માત્રામાં રોકડ હોય અને આવકવેરા વિભાગ તે ઘરમાં દરોડા પાડે તો અધિકારીઓ આ દસ્તાવેજોની માંગણી કરશે.

ટેક્સ અંગેનો નિયમ

જો તમારા ઘરમાં રાખેલી રોકડ ટેક્સના દાયરામાં આવે છે તો તેના પર ટેક્સ ચૂકવવો જોઈએ. જો કોઈ વ્યક્તિ પાસે સ્ત્રોતો અને ટેક્સ ભરેલા તમામ દસ્તાવેજો નથી તો તે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જો આવું થાય તો માત્ર આવકવેરા વિભાગ જ નહીં પરંતુ ED અને CBI પણ તમારી પૂછપરછ કરી શકે છે. જો કે, જો તમારી પાસે યોગ્ય દસ્તાવેજો છે તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

કેટલો દંડ થઈ શકે છે?

જો તમને આવકવેરા વિભાગના દરોડામાં રોકડનો સ્ત્રોત પૂછવામાં આવ્યો હોય અને તમે સાચા દસ્તાવેજો બતાવી શક્યા નથી અથવા દસ્તાવેજોમાં કેટલીક વિસંગતતા જોવા મળે છે, તો તમને દંડ થઈ શકે છે. આ દંડ ઘણો ભારે હશે. આવકવેરા કાયદા અનુસાર, તમારે તમારા ઘરમાં મળેલી રોકડ રકમના 137 ટકા દંડ તરીકે ચૂકવવા પડશે. આનો અર્થ એ છે કે તમારી પાસે જે રોકડ છે તે ચોક્કસપણે જશે તેના ઉપર તમારે 37 ટકા વધુ ચૂકવવા પડશે.

Next Article