Air India વેચાયુ, કર્મચારીઓની નોકરી-પગાર અને ભથ્થાઓનું શું થશે? અહીં જાણો આ બધા પ્રશ્નોના જવાબ

હવે સૌથી મોટો પ્રશ્ન જે મનમાં આવે છે તે એ છે કે એર ઈન્ડિયામાં કામ કરતા સરકારી કર્મચારીઓનું શું થશે? શું તેની નોકરી યથાવત રહેશે કે કેવા પ્રકારના ફેરફારો શક્ય છે? તેમને મળતી તમામ સુવિધાઓનું શું થશે?

Air India વેચાયુ, કર્મચારીઓની નોકરી-પગાર અને ભથ્થાઓનું શું થશે? અહીં જાણો આ બધા પ્રશ્નોના જવાબ
Air india
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 6:31 PM

ટાટા સન્સે (Tata Sons) એર ઈન્ડિયા માટે બોલી જીતી લીધી છે. વિનિવેશ સચિવે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે એર ઈન્ડિયાએ 18,000 કરોડ રૂપિયાની બોલી જીતી છે. 4 ઓક્ટોબરના રોજ ટાટા સન્સની બિડ મંજૂર કરવામાં આવી હતી. મંત્રીઓની પેનલે બિડને મંજૂરી આપી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

હવે સૌથી મોટો પ્રશ્ન જે મનમાં આવે છે તે એ છે કે એર ઈન્ડિયામાં કામ કરતા સરકારી કર્મચારીઓનું શું થશે? શું તેની નોકરી યથાવત રહેશે કે કેવા પ્રકારના ફેરફારો શક્ય છે? તેમને મળતી તમામ સુવિધાઓનું શું થશે?

અત્યારે એર ઈન્ડિયામાં કેટલા કર્મચારીઓ છે?

સરકારે કહ્યું કે એર ઈન્ડિયામાં લગભગ 12,085 કર્મચારીઓ કામ કરે છે. તેમાંથી 8,084 કાયમી કર્મચારીઓ અને 4,001 કોન્ટ્રાક્ટ આધારીત  કર્મચારીઓ છે. તેમાંથી 3,400 કાયમી કર્મચારીઓ 2023-24 ના નાણાકીય વર્ષમાં નિવૃત્ત પણ થશે. એર ઈન્ડિયા એક્સપ્રેસમાં કુલ 1,434 કર્મચારીઓ છે. 191 કાયમી કર્મચારીઓ છે. 1,156 કોન્ટ્રાક્ટ  આધારીત કર્મચારીઓ છે.

હવે કર્મચારીઓનું શું થશે?

એવિએશન સચિવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કોઈની નોકરી જશે નહીં. ટાટા સન્સ તમામ કર્મચારીઓને એક વર્ષ માટે જાળવી રાખશે. બીજા વર્ષમાં ટાટા સન્સ VRS ઓફર કરી શકે છે. સચિવે કહ્યું કે તમામ ભથ્થાઓ અકબંધ રહેશે. ગ્રેચ્યુઈટી પણ સમયસર આપવામાં આવશે.

ઘર ખાલી કરવાનું કહેવામાં આવ્યું

તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બરના અંતમાં ઉડ્ડયન મંત્રાલયે એર ઈન્ડિયાના ચેરમેનને ઔપચારિક રીતે એક પત્ર મોકલ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે 15 દિવસની અંદર કર્મચારીઓએ એક લેખિત બાંહેધરી આપવી પડશે કે તેઓ નિવાસસ્થાનને શાંતિથી ખાલી કરી રહ્યા છે.

9 ઓગસ્ટના રોજ એક બેઠકમાં AISAMએ નિર્ણય લીધો હતો કે એર ઈન્ડિયાના કર્મચારીઓ કંપનીના રહેણાંક વસાહતોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ પછી છ મહિના સુધી રહી શકે છે અથવા આ મિલકતો વેચાય ત્યાં સુધી જે પણ તારીખ પહેલા આવતી હોય ત્યાં સુધી રહી શકે છે. એર ઈન્ડિયાની રહેણાંક વસાહતોમાં રહેતા તમામ નિવૃત્ત કર્મચારીઓને તાત્કાલિક ખાલી કરવાની નોટિસ આપવામાં આવશે. પરંતુ જેઓ સેવામાં છે તેમને ડિસઈન્વેસ્ટમેન્ટ પછી છ મહિના સુધી રહેવા દેવામાં આવશે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે જે કર્મચારીઓ નિયત સમયમાં મકાન ખાલી નહીં કરે તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. તેમની પાસેથી દંડ તરીકે બજારથી ડબલ ભાડું વસુલવામાં આવી શકે છે અને દિલ્હી-મુંબઈના આવા કર્મચારીઓ પાસેથી 10થી 15 લાખ રૂપિયાનું ડેમેજ ચાર્જ પણ લેવામાં આવી શકાય છે.

આ પણ વાંચો :  Aryan Khan drugs case: જામીનઅરજીના ચુકાદાની રાહ જોયા વિના, આર્યન ખાન સહીતના આરોપીઓને આર્થર રોડ જેલમાં પૂરતી NCB

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">