1 PAN પર 1,000 એકાઉન્ટ.. જાણો Paytm પેમેન્ટ બેંક કેવી રીતે આવી RBIના રડાર પર?
1,000 થી વધુ વપરાશકર્તાઓ પાસે સમાન પરમેનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે PAN કાર્ડ તેમના એકાઉન્ટ્સ સાથે જોડાયેલા હતા એટલે કે એક પાન કાર્ડ પર 1000થી વધુ અકાઉન્ટ્સ રજિસ્ટ્રર હતા. જે બાદ આરબીઆઈ અને ઓડિટર બંને દ્વારા હાથ ધરવામાં આવેલી ચકાસણી પ્રક્રિયા દરમિયાન આ સામે આવ્યું હતું.

આરબીઆઈ દ્વારા 31 જાન્યુઆરીએ પેટીએમ પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફાસ્ટેગ, વોલેટ અને તેના બેંક ખાતામાં પૈસા જમા કરાવવા પર પણ પ્રતિબંધ મુકી દીધો છે. આરબીઆઈએ કહ્યું કે પેટીએમ બેંકિંગ સેવા 29 ફેબ્રુઆરી પછી કામ કરશે નહીં. નિયમોના ઉલ્લંઘનને કારણે RBIએ આ બેંક પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ શું તમે જાણો છો કે Paytm પેમેન્ટ્સ બેંક RBIના રડાર પર કેવી રીતે આવી?
Paytm પેમેન્ટ્સ બેંક RBIના રડાર પર કેવી રીતે આવી?
મની લોન્ડરિંગની ચિંતાઓ અને વોલેટ Paytm અને તેની બેંકિંગ શાખા વચ્ચે કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારોને કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વિજય શેખર શર્મા દ્વારા ચલાવવામાં આવતી સંસ્થાઓ પર કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડ (PPBL) પાસે લાખો KYC વગરના સુસંગત એકાઉન્ટ્સ હતા અને હજારો કેસોમાં, એક જ PAN નો ઉપયોગ બહુવિધ ખાતા ખોલવા માટે કરવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે એવા કિસ્સાઓ છે કે વ્યવહારોનું કુલ મૂલ્ય કરોડો રૂપિયામાં છે, જે મની લોન્ડરિંગની ચિંતાઓ ઉભી કરે છે.
1 PAN પર 1,000 એકાઉન્ટ રજીસ્ટર
મળતી માહિતી મુજબ 1,000થી વધુ વપરાશકર્તાઓ પાસે સમાન પરમેનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે PAN કાર્ડ તેમના એકાઉન્ટ્સ સાથે જોડાયેલા હતા એટલે કે એક પાન કાર્ડ પર 1000થી વધુ અકાઉન્ટ્સ રજિસ્ટ્રર હતા. જે બાદ આરબીઆઈ અને ઓડિટર બંને દ્વારા હાથ ધરવામાં આવેલી ચકાસણી પ્રક્રિયા દરમિયાન આ સામે આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે આરબીઆઈ ચિંતિત છે કે કેટલાક ખાતાનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે થઈ શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને જાણ કરવાની સાથે, આરબીઆઈએ તેના તારણો ગૃહ મંત્રાલય અને વડા પ્રધાન કાર્યાલયને પણ મોકલ્યા છે.
મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ રોઈટર્સને જણાવ્યું હતું કે જો ગેરકાયદેસર પ્રવૃત્તિના પુરાવા મળશે તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પેટીએમ પેમેન્ટ્સ બેંકની તપાસ કરશે. તમને જણાવી દઈએ કે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને 29 ફેબ્રુઆરી, 2024 પછી કોઈપણ ગ્રાહક ખાતા, પ્રીપેડ ઈન્સ્ટ્રુમેન્ટ, વોલેટ અને ફાસ્ટેગમાં થાપણો અથવા ટોપ-અપ ન સ્વીકારવાનો નિર્દેશ આપ્યો હતો.
આ પણ વાંચો : RBIની કાર્યવાહી બાદ Paytm એપ બંધ થઈ જશે? જાણો અહીં તમામ પ્રશ્નોના જવાબ
Paytm પેમેન્ટ્સ બેંક પાસે લગભગ 35 કરોડ ઈ-વોલેટ છે
એક વિશ્લેષકના જણાવ્યા અનુસાર, Paytm પેમેન્ટ્સ બેંક પાસે લગભગ 35 કરોડ ઈ-વોલેટ્સ છે. તેમાંથી લગભગ 31 કરોડ નિષ્ક્રિય છે, જ્યારે માત્ર ચાર કરોડ જ સક્રિય હશે જેમાં કોઈ બેલેન્સ નથી અથવા ખૂબ જ ઓછી બેલેન્સ છે.સૂત્રોએ જણાવ્યું હતું કે અસામાન્ય રીતે મોટી સંખ્યામાં નિષ્ક્રિય ખાતાઓનો નકલી ખાતાઓ માટે ઉપયોગ થતો હોવાની શંકા છે. આવી સ્થિતિમાં, કેવાયસીમાં મોટી ગેરરીતિઓ થઈ છે, જેના કારણે ગ્રાહકો, થાપણદારો અને વોલેટ ધારકોને ગંભીર જોખમોનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો; મુકેશ અંબાણીને લાગ્યો જેકપોટ ! એક જ ડીલમાં 100થી વધુ ચેનલો આવી જશે હાથમાં
શેરમાં ઘટાડો
RBIના નિર્દેશને પગલે, Paytm બ્રાન્ડની માલિકી ધરાવતી One97 Communications Limitedના શેર છેલ્લા બે દિવસમાં 40 ટકા ઘટ્યા છે.
