AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે તાજેતરમાં મારુતિની કાર ખરીદી છે? આ સમસ્યાના કારણે કંપની 87000 કાર પરત મંગાવી રહી છે

ભારતમાં સૌથી વધુ વેચાતી કાર મારુતિ સુઝુકીના વાહનોમાં ગરબડની ફરિયાદો આવી છે. કાર નિર્માતાએ ખામીને સુધારવા માટે તેના 87,599 યુનિટ પાછા મંગાવ્યા છે. આ અંગે શેરબજારને માહિતી આપતા મારુતિ સુઝુકીએ કહ્યું છે કે 5 જુલાઈ, 2021 અને 15 ફેબ્રુઆરી, 2023 વચ્ચે ઉત્પાદિત Maruti S Presso અને મારુતિ EECO વાહનોમાં ખામીની ફરિયાદો મળી છે.

શું તમે તાજેતરમાં મારુતિની કાર ખરીદી છે? આ સમસ્યાના કારણે કંપની 87000 કાર પરત મંગાવી રહી છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2023 | 7:45 AM
Share

ભારતમાં સૌથી વધુ વેચાતી કાર મારુતિ સુઝુકીના વાહનોમાં ગરબડની ફરિયાદો આવી છે. કાર નિર્માતાએ ખામીને સુધારવા માટે તેના 87,599 યુનિટ પાછા મંગાવ્યા છે. આ અંગે શેરબજારને માહિતી આપતા મારુતિ સુઝુકીએ કહ્યું છે કે 5 જુલાઈ, 2021 અને 15 ફેબ્રુઆરી, 2023 વચ્ચે ઉત્પાદિત Maruti S Presso અને મારુતિ EECO વાહનોમાં ખામીની ફરિયાદો મળી છે. તેમના સ્ટીયરીંગ રોડમાં ગરબડ હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદો બાદ કાર નિર્માતાએ આ એકમોને પાછા મંગાવાનું શરૂ કર્યું છે.

કંપનીને વારંવાર ફરિયાદ મળતી હતી

વાહનોને લઈને સતત ફરિયાદો બાદ ઓટોમોબાઈલ કંપનીએ ફરી એકવાર રિકોલ કરવાનો નિર્ણય લીધો છે. મારુતિના વાહનોના 87599 યુનિટ પાછા મંગાવામાં આવી રહ્યા છે. ઓટો મોબાઈલ કંપનીએ કહ્યું કે તેમને શંકા છે કે આ વાહનોમાં ઉપયોગમાં લેવાતા સ્ટીયરિંગ ટાઈ રોડના એક ભાગમાં ખામી છે. જે ટૂંક સમયમાં ઠીક કરવામાં આવશે. જે વાહનોમાં ફરિયાદો આવી રહી છે તેને તાત્કાલિક સુધારવામાં આવી રહી છે.

સાવચેતીના પગલા તરીકે બંને કારને રિકોલ કરવાનો નિર્ણય લેવાયો

કંપનીએ સાવચેતીના પગલા તરીકે બંને કારને રિકોલ કરવાનું શરૂ કરી દીધું છે. કંપની મારુતિ S-Presso અને Eeco માં ખામીને કોઈ પણ ખર્ચ વિના બદલશે. જો તમારી પાસે પણ મારુતિના આ વાહનો છે, તો તમારે અધિકૃત વર્કશોપ કસ્ટમર કેરનો સંપર્ક કરવો પડશે અને તેમને તમારી સમસ્યા જણાવવી પડશે. કંપની આ કારોને બિલકુલ ફ્રીમાં ચેક કરશે અને રિપ્લેસ કરશે. આ પહેલો કિસ્સો નથી. મારુતિ સુઝુકીએ આ વર્ષે ત્રણ વખત પોતાના વાહનોને પરત મંગાવ્યા છે. જાન્યુઆરીમાં, કંપનીએ 17,362 વાહનોને રિકોલ કર્યા હતા, જ્યારે એપ્રિલમાં તેણે 7,213 વાહનોને રિકોલ કર્યા હતા. હવે ત્રીજી વખત કંપનીએ 87000થી વધુ વાહનોને પરત મંગાવાયા છે.

અગાઉ પણ આવા પગલાં ભરાયા છે

હાલના સમયમાં કંપની દ્વારા હાથ ધરવામાં આવેલી સૌથી મોટી રિકોલ પૈકીની એક છે. સપ્ટેમ્બર 2021માં કંપનીએ ખામીયુક્ત મોટર જનરેટર યુનિટને બદલવા માટે Ciaz, Vitara Brezza અને XL6 સહિત વિવિધ મોડલ્સના પેટ્રોલ ટ્રિમના 1,81,754 યુનિટ પાછા મંગાવ્યા હતા. જુલાઇ 2020 માં ઓટોમેકરે ખામીયુક્ત ઇંધણ પંપનું નિરીક્ષણ કરવા અને બદલવા માટે WagonR અને Baleno મોડલના 1,34,885 યુનિટ પાછા મંગાવ્યા હતા.એ જ રીતે ડિસેમ્બર 2019 માં, કંપનીએ જાહેરાત કરી હતી કે તે ખામીયુક્ત મોટર જનરેટર યુનિટ (MGU) ને સુધારવા માટે Ciaz, Ertiga અને XL6 મોડલના પેટ્રોલ સ્માર્ટ હાઇબ્રિડ (SHVS) વેરિઅન્ટના 63,493 યુનિટ પાછા મંગાવ્યા હતા.

આ તમામ વચ્ચે સોમવારે મારુતિ સુઝુકીનો શેર BSE પર 0.75 ટકા ઘટીને ₹9,694.70 પર બંધ થયો હતો.

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">