નવી નોકરીની સાથે ઊંચો પગાર પણ, જાણો IT અને FMCGથી પર્યટન સુધી દરેક ક્ષેત્રની સ્થિતિ

|

Aug 23, 2021 | 11:07 PM

આઈટી, કોમ્યુનિકેશન્સ, પાવર, ફાર્મા અને એફએમસીજી એ પાંચ ક્ષેત્રો હતા, જેમના વેતન બિલમાં નાણાકીય વર્ષ 2021ના ​​તમામ ક્વાર્ટર દરમિયાન ક્યારેય ઘટાડો થયો ન હતો. આઈટી સેક્ટરમાં વેતન બિલ તમામ ક્વાર્ટર દરમિયાન સતત વધતું રહ્યું.

નવી નોકરીની સાથે ઊંચો પગાર પણ, જાણો IT અને FMCGથી પર્યટન સુધી દરેક ક્ષેત્રની સ્થિતિ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

કોરોનાની પ્રથમ અને બીજી લહેરે વિશ્વભરના દેશોમાં તબાહી મચાવી હતી. ખાસ કરીને અર્થતંત્ર આ મહામારીને કારણે ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. હવે ભારત સહિત અન્ય દેશો પરિસ્થિતીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોરોનાને કારણે મોટી સંખ્યામાં લોકોએ નોકરી ગુમાવી છે. જેમની નોકરીઓ બચી છે તે લોકોના પગારમાં કાપ મુકાયો છે.

 

રાહતની વાત છે કે દેશ કોરોનાની અસરમાંથી ઉભરી રહ્યો છે. ત્યારે હવે કંપનીઓએ પણ ફરી ભરતી કરવાનું શરૂ કર્યું છે. કંપનીઓ નવી ભરતી પણ કરી રહી છે સાથે જ સારો પગાર પણ ઓફર કરી રહી છે. આ સાથે જૂના કર્મચારીઓને પણ ઈન્ક્રીમેન્ટ મળ્યું છે. જો આપણે કેન્દ્રીય બેંક આરબીઆઈના રિપોર્ટ પર નજર કરીએ તો નાણાકીય વર્ષ 2020-21ના ​​છેલ્લા ત્રિમાસિક ગાળામાં કંપનીઓનો નફો ફરી વધવા લાગ્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

ફરીથી ભરતી શરૂ થવાથી સારી અસર

અર્થવ્યવસ્થા અંગે રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું છે કે ચાલુ નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટરમાં પણ કંપનીઓના નફામાં વધારો જોવા મળી રહ્યો છે. આરબીઆઈના અહેવાલ મુજબ 16 સેક્ટરોમાં વેતન બીલ એટલે કે પગાર – ભથ્થાંમાં પણ વધારો થયો છે. આનું મુખ્ય કારણ ભરતી ફરી શરૂ થવી અને પગારમાં વાર્ષિક વધારો છે. વેતન બિલમાં સૌથી વધુ વધારો કાપડ ક્ષેત્ર (37.7 ટકા) અને સૌથી ઓછો વધારો પરિવહન (1.8 ટકા) ક્ષેત્રમાં જોવા મળ્યો હતો.

 

એપ્રિલથી જૂન 2021 સુધીમાં સુધારો

17 ઓગસ્ટના આરબીઆઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે “છેલ્લા પાંચ ક્વાર્ટરમાં સતત વધારા સાથે કંપનીઓનો પગાર અને ભથ્થામાં ખર્ચ વધ્યો છે, જે ભરતીમાં વધારો થયાનો સંકેત દર્શાવે છે. આઈટી અને ઓટો સેક્ટરમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. એ જ રીતે 2021ના ​​એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન કાપડ ઉદ્યોગમાં વેતન બિલ 37.7 ટકા વધ્યું હતું. જોકે પરિવહન ક્ષેત્રે સૌથી ઓછી વૃદ્ધિ જોવા મળી હતી. તેમાં ફક્ત 1.8 ટકા જ વધારો થયો.

 

ટેક્સટાઈલ પછી ઓટો સેક્ટરનો નંબર

આરબીઆઈનો રિપોર્ટ કહે છે કે ટેક્સટાઈલ સેક્ટર (37.7 ટકા ઉછાળો) પછી ઓટો સેક્ટરનો નંબર આવે છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં તેનું વેતન બિલ 25.5 ટકા વધ્યું છે. કોરોના પછી વાહનોનું વેચાણ વધ્યું, જેના કારણે આ ક્ષેત્રમાં નોકરીઓ વધી. એ જ રીતે, મેટલ અને માઈનિંગ તેમજ ગ્રાહક સમાન વિસ્તારોમાં વેતન બિલમાં 20 ટકાથી વધુનો વધારો થયો છે.

 

આ પાંચ સેક્ટરમાં કોઈ ઘટાડા વગર તેજી આવી

આઈટી, કોમ્યુનિકેશન્સ, પાવર, ફાર્મા અને એફએમસીજીએ પાંચ ક્ષેત્રો હતા, જેમના વેતન બિલમાં નાણાકીય વર્ષ 2021ના ​​તમામ ક્વાર્ટર દરમિયાન ક્યારેય ઘટાડો થયો ન હતો. આઈટી સેક્ટરમાં વેતન બિલ તમામ ક્વાર્ટર દરમિયાન સતત વધતું રહ્યું. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં તેમાં 16.7 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. કોરોના મહામારી દરમિયાન ફાર્મા સેક્ટરને સારો નફો થયો.

 

FMCG, પાવર અને કોમ્યુનિકેશન સેક્ટર

એફએમસીજી સેક્ટરના વેતન બિલમાં એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન 10.6%નો વધારો થયો છે. રોગચાળાને કારણે વીજ ક્ષેત્રમાં વપરાશ ઓછો થયો, પરંતુ નાણાકીય વર્ષ 2021 દરમિયાન તમામ ક્વાર્ટરમાં તેનું વેતન બિલ વધ્યું. આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં તેમાં 11.6%નો વધારો થયો છે. તેવી જ રીતે સંચાર ક્ષેત્રના વેતન બિલમાં 7.4 ટકાનો વધારો થયો છે.

 

પરિવહન અને પ્રવાસન ક્ષેત્રે ખરાબ અસર

પરિવહન ક્ષેત્રે સૌથી ઓછો 1.8 ટકાનો વૃદ્ધિદર જોયો. પરિવહન પછી કોરોના મહામારીની સૌથી ખરાબ અસર પ્રવાસન ક્ષેત્ર પર પડી. ગયા નાણાકીય વર્ષના ચાર ક્વાર્ટર દરમિયાન તેના વેતન બિલમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં તેમાં 4.3 ટકાનો વધારો થયો છે, જે સુધારો દર્શાવે છે.

 

સતત સુધારાના સંકેતો

કેન્દ્રીય બેન્ક RBIએ તેના રિપોર્ટમાં કહ્યું છે કે અર્થતંત્રમાં ફરી તેજી આવવાના સંકેતો મળી રહ્યા છે. દેશની 1,427 લિસ્ટેડ નોન-ફાઈનાન્સિયલ કંપનીઓના રિપોર્ટના પરિણામો અનુસાર આ વર્ષના આધાર પર જૂન ક્વાર્ટરમાં તેમના વેચાણમાં 57 ટકાનો વધારો થયો છે. જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળામાં તેમાં 34 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે દેશનું અર્થતંત્ર ફરી વેગ પકડશે.

 

 

આ પણ વાંચો :  રાજ્યમાં 27 લાખથી વધુ જનધન ખાતા બંધ થયા, તમારું ખાતું બંધ ન થાય તેના માટે આટલું ધ્યાન રાખો

Next Article