AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News for Taxpayers: હવે Income Tax પોર્ટલની સમસ્યાઓના હલ માટે નહિ કરવો પડે લાંબો સમય ઇંતેજાર

નવી આવકવેરા વેબસાઇટમાં સતત સમસ્યાઓ અંગે નાણામંત્રીએ કહ્યું કે આગામી થોડા દિવસોમાં આ સમસ્યા દૂર થશે. નંદન નિલેકણી પોતે આ સમસ્યા પર નજર રાખી રહ્યા છે. મોટાભાગની સમસ્યાઓ હલ થઈ ગઈ છે.

Good News for Taxpayers: હવે Income Tax પોર્ટલની સમસ્યાઓના હલ માટે નહિ કરવો પડે લાંબો સમય ઇંતેજાર
ITR FILING
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 8:41 AM
Share

Good News for Taxpayers: કેન્દ્ર સરકારે કરદાતાઓ માટે એક નવી વેબસાઇટ બનાવી જેના દ્વારા સામાન્ય કરદાતા સરળતાથી જાતે ITR ફાઇલ કરી શકે. પરંતુ શરૂઆતથી જ ઇન્ફોસિસ દ્વારા બનાવવામાં આવેલી નવી વેબસાઇટ પર અનેક પ્રકારની સમસ્યાઓ આવતી રહી છે. દાવો કરવામાં આવે છે કે વેબસાઇટની ખામીઓ જલ્દી સુધારી દેવામાં આવી રહી છે પરંતુ હજુ સમસ્યાઓ ઠેરની ઠેર છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે એક નિવેદનમાં કહ્યું હતું કે નવા ટેક્સ પોર્ટલની તકનીકી મુશ્કેલીઓ આગામી 2 થી 3 અઠવાડિયામાં સુધારી દેવામાં આવશે. આ અગાઉ વેબસાઇટ નિર્માતા ઇન્ફોસિસે પણ દાવો કર્યો હતો કે તે વેબસાઇટની તમામ ખામીઓને સુધારવા માટે ઝડપથી કામ કરી રહી છે.

નવી આવકવેરા વેબસાઇટમાં સતત સમસ્યાઓ અંગે નાણામંત્રીએ કહ્યું કે આગામી થોડા દિવસોમાં આ સમસ્યા દૂર થશે. નંદન નિલેકણી પોતે આ સમસ્યા પર નજર રાખી રહ્યા છે. મોટાભાગની સમસ્યાઓ હલ થઈ ગઈ છે અને કેટલીક એવી સમસ્યા છે જે શક્ય તેટલી વહેલી તકે ઉકેલાઈ જશે.

મહેસૂલ સચિવ ટેક્સ પોર્ટલની ખામીઓ પર સતત નજર રાખી રહ્યા છે. હવે જૂના પોર્ટલ પર પાછા જઈ શકાય તેમ નથી કારણ કે તેનાથી ઘણી મૂંઝવણ થશે. નંદન નિલેકણી વેબસાઈટ પર ચાલી રહેલા કામ અંગે દર અઠવાડિયે અપડેટ મોકલે છે. જો ટેક્સ રિટર્નની સમયમર્યાદા લંબાવવામાં આવે તો તમને સૂચિત કરવામાં આવશે.

આર્થિક સુધારા અંગે નાણામંત્રીએ કહ્યું કે આગામી તહેવારોની સિઝનમાં આર્થિક મોરચે સારા સમાચાર આવશે. તેમણે કહ્યું કે અમારો પ્રયાસ ચાલુ છે અને અમે ત્રીજી લહેરને રોકવામાં સક્ષમ રહીશું. રસીકરણની મદદથી લોકોનો વિશ્વાસ મજબૂત થઈ રહ્યો છે. આગામી તહેવારોની સીઝનમાં માંગ વધશે અને આર્થિક સુધારાને વેગ મળશે. ફુગાવા અંગે તેમણે જણાવ્યું હતું કે ફુગાવાનો દર 2-6 ટકાની રેન્જમાં રહેશે તેવી સારી તક છે. રાજકોષીય પરિસ્થિતિ અંગે તેમણે જણાવ્યું હતું કે હાલમાં લોન લેતા પહેલા સરકારે કરેલી જાહેરાત મુજબ લોન લેવામાં આવી રહી છે.

આ પણ વાંચો :  ALERT! જો તમે ચેક દ્વારા ચૂકવણી કરો છો, તો સાવચેત રહેજો , નવી સિસ્ટમમાં કરશો ચૂક તો દંડનો સામનો કરવો પડી શકે છે

આ પણ વાંચો :  IPO : ડેટા એનાલિટિક્સ કંપની 600 કરોડ એકત્રિત કરવા IPO લાવશે, જાણો કંપની અને તેની યોજનાઓ વિશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">