AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતમાં 140 ટન સોનુ આયાત કરવામાં આવશે, અબજો રૂપિયાનું સોનું સસ્તી કિંમતે લાવવા સરકાર તૈયારી કરી રહી છે

ગયા વર્ષે રાહત દરે 110 મેટ્રિક ટન સોનાની આયાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમાંથી માત્ર 81 લાખ ટનની આયાત કરવામાં આવી હતી. એક અહેવાલમાં જણાવ્યા અનુસાર UAEએ માત્ર જ્વેલરી ઉત્પાદકોને સોનાના TRQ ફાળવવા અને તમામ આયાતકારોને ક્વોટા મેળવવા માટે લાયક બનવાની મંજૂરી આપવા જેવા પ્રતિબંધિત ધોરણો દૂર કરવા વિનંતી કરી હતી.

ભારતમાં 140 ટન સોનુ આયાત કરવામાં આવશે, અબજો રૂપિયાનું સોનું સસ્તી કિંમતે લાવવા સરકાર તૈયારી કરી રહી છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2023 | 7:34 PM
Share

ભારત ટૂંક સમયમાં UAE માંથી કન્સેશનલ ડ્યુટી પર 140 ટન સોનું આયાત કરી શકે છે. આ આયાત દ્વિપક્ષીય વેપાર કરાર હેઠળ કરવામાં આવશે. ભારત ક્વોટા સિસ્ટમ દ્વારા 140 ટન સોનાની આયાત માટે નવી વિન્ડો ખોલશે જેને વેપારી ભાષામાં ટેરિફ રેટ ક્વોટા (TRQ) કહેવાય છે અને આ હેઠળ આયાતને મંજૂરી આપવામાં આવશે. ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ સંતોષ સારંગીએ જણાવ્યું હતું કે INDIA-UAE કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (CEPA) ના સુધારેલા સરળ પાત્રતા માપદંડો અને ભારતીય આયાતકારો માટે અનુપાલન બોજ ઘટાડીને જૂના અને નવા અરજદારોને ગોલ્ડ TRQs ફાળવવામાં આવશે. DGFT મુજબ વર્તમાન અરજી પ્રક્રિયાથી અરજદારોના જૂથ અથવા વર્ગને ભૌતિક રીતે ફાયદો થશે નહીં.

આવકમાં નુકસાન નહીં

બીજી તરફ અધિકારીઓએ કહ્યું કે ઉત્પાદકો અને જ્વેલર્સને આ વિન્ડોનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવશે. તેના પાત્રતા માપદંડમાં ફેરફાર કર્યા પછી ક્વોટા સિસ્ટમ હેઠળ આયાતને કારણે કોઈ આવકનું નુકસાન થશે નહીં એમ તેમણે જણાવ્યું હતું.

આયાત માત્ર 1 ટકાની છૂટ સાથે કરી શકાય છે

CEPA મુજબ, ભારત 2023-24માં UAEમાંથી 140 ટનની આયાત કરી શકે છે જેમાં અસરકારક કસ્ટમ ડ્યુટી અથવા મોસ્ટ ફેવર્ડ નેશન રેટની સામે 1 ટકાની ડ્યુટી કન્સેશન છે, જે 15 ટકા છે.

આ પણ વાંચો: જાણો દેશના સૌથી આલીશાન ઘર વિશે, અંબાણીથી લઈ અમિતાભ સુધી ધનિકોના મકાનનો વૈભવ કેવો છે? જાણો આ Photo Story દ્વારા

ગયા વર્ષે 110 મેટ્રિક ટન સોનું આયાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે રાહત દરે 110 મેટ્રિક ટન સોનાની આયાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમાંથી માત્ર 81 લાખ ટનની આયાત કરવામાં આવી હતી. એક અહેવાલમાં જણાવ્યા અનુસાર UAEએ માત્ર જ્વેલરી ઉત્પાદકોને સોનાના TRQ ફાળવવા અને તમામ આયાતકારોને ક્વોટા મેળવવા માટે લાયક બનવાની મંજૂરી આપવા જેવા પ્રતિબંધિત ધોરણો દૂર કરવા વિનંતી કરી હતી. સરકાર હવે ગોલ્ડ TRQ માટે નવી અરજીઓ આમંત્રિત કરવા માટે નવી વિન્ડો સિસ્ટમ જારી કરશે જે આયાતકાર નિકાસકાર કોડ ધરાવતા તમામ લોકો માટે ખુલ્લી રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">