AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Hallmarking : જાણો સરકારના નવા નિયમથી કેમ નારાજ છે જવેલર્સ ? શું છે HUID જેને સ્વીકારવા સુવર્ણકાર તૈયાર નથી

HUID એટલે હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન. આ એક અલગ ઓળખ બનાવવા માટે જ્વેલરીના દરેક ભાગ પર 6 અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ લાગુ પડે છે. જેમ ભારતમાં દરેક વ્યક્તિનો આધાર નંબર અલગ હોય છે, તેમ દરેક જ્વેલરી પીસ પાસે HUID હોય છે.

Gold Hallmarking : જાણો સરકારના નવા નિયમથી કેમ નારાજ છે જવેલર્સ ? શું છે HUID જેને સ્વીકારવા સુવર્ણકાર તૈયાર નથી
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 12:51 PM
Share

HUID (hallmark unique identification number) સાથે સોનાના દાગીનાના Hallmarkingને લાગુ કરવાના સરકારના નિર્ણય સામે આજે સુવર્ણકારોએ હડતાલનું એલાન આપ્યું છે જોકે કેટલાક સંગઠનોએ હડતાલમાં નહિ જોડાવાની પણ જાહેરાત કરી છે. અહીં એ જાણવું જરૂરી છે કે જવેલર્સ અને સરકાર વચ્ચે વિવાદનું કારણ બનેલ HUID શું છે ?

જ્વેલર્સે સોનાના દાગીના પર હોલમાર્કિંગ યુનિક આઈડી (Hallmarking Unique ID) એટલે કે HUID સામે વિરોધ કર્યો છે. આજે દેશભરમાં જ્વેલર્સ એક દિવસની હડતાલ પર છે. જ્વેલર્સનું કહેવું છે કે હોલમાર્ક બરાબર છે પરંતુ HUID કોઈપણ સ્વરૂપે સ્વીકારવામાં આવશે નહિ. દેશમાં હોલ માર્કિંગ પ્રક્રિયાના મનસ્વી અમલના વિરોધમાં જ્વેલર્સ આજે 23 ઓગસ્ટ, 2021 ના ​​રોજ સાંકેતિક હડતાલ પર ઉતરશે.

HUID શું છે? HUID એટલે હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન. આ એક અલગ ઓળખ બનાવવા માટે જ્વેલરીના દરેક ભાગ પર 6 અંકનો આલ્ફાન્યૂમેરિક કોડ લાગુ પડે છે. જેમ ભારતમાં દરેક વ્યક્તિનો આધાર નંબર અલગ હોય છે, તેમ દરેક જ્વેલરી પીસ પાસે HUID હોય છે. 16 જૂનથી દેશના 256 જિલ્લાઓમાં હોલ માર્ક જ્વેલરી વેચવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે પરંતુ તેની સાથે HUID દાખલ કરવામાં આવ્યું છે . HUID પાસે જ્વેલરીની તમામ માહિતી હશે જેમ કે તેના ઉત્પાદક કોણ છે, તેનું વજન શું છે, જ્વેલરી શું છે? કોને વેચવામાં આવ્યા હતા વગેરે.

આપને જણાવી દઇએ કે દેશભરમાં 15મી જૂનથી 14, 18 અને 22 કેરેટના સોનાના ઘરેણા પર BIS હોલમાર્કિંગ ફરજિયાત કરાયું છે. એટલે કે હવે જ્વેલર્સ હોલમાર્કિંગ વગરની સોનાની જ્વેલરી નહીં વેચી શકે. કેન્દ્ર સરકારની નવી વ્યવસ્થાથી ગ્રાહકોના હિતની રક્ષા થશે. અને સોનાની ખરીદીમાં ગ્રાહકો સાથે થતી છેતરપિંડીથી અટકાવી શકાશે.

HUID નો કેમ કરાઈ રહ્યો છે વિરોધ ?

જવેલરી ટ્રેકિંગ જ્વેલર્સના જણાવ્યા મુજબ, હવે જ્યારે પણ તેઓ કોઈ પણ જ્વેલરીનો વેચે છે ત્યારે તેમને દરેક ભાગની HUID વિગતો અપલોડ કરવી પડશે અને કોને વેચવામાં આવી હતી તે સહીત BIS ના પોર્ટલ પર આ તમામ માહિતી આપવી પડશે તેમનું કહેવું છે કે આનાથી જ્વેલર્સની સાથે સાથે ગ્રાહક પર નજર રાખવામાં આવશે જે ગ્રાહકની ગોપનીયતાને જોખમમાં મુકી શકે છે.

હોલમાર્કિંગમાં વિલંબ દેશના 256 જિલ્લાઓમાં માત્ર હોલમાર્ક જ્વેલરી વેચી શકાય છે જેમાં ફરજિયાત હોલમાર્કિંગ લાગુ કરવામાં આવ્યું છે. આમાં પણ HUID ની જોગવાઈ સાથે હોલમાર્કિંગમાં સમય લાગી રહ્યો છે જેના કારણે વેપાર અટકી ગયો છે. જ્વેલર્સ જણાવે છે કે જ્યાં એક જ દિવસે હોલમાર્ક કરવામાં આવતો હતો હવે તેમાં 5 થી 10 દિવસ લાગી રહ્યા છે.

હોલમાર્ક સેન્ટરની જવાબદારી નહીં જ્વેલર્સનું કહેવું છે કે જ્યારે સરકારે સત્તાવાર રીતે હોલમાર્ક સેન્ટર સ્થાપ્યું છે જ્યાં ચોક્કસ રકમ ચૂકવીને જ્વેલરીને હોલમાર્ક કરી શકાય છે. તો જો આવતીકાલે જ્વેલરીની ગુણવત્તામાં કોઈ ઘટાડો થાય તો હોલમાર્ક સેન્ટરને બદલે જવાબદારી ઝવેરી પર શા માટે મૂકવામાં આવી છે?

જ્વેલરીનુકશાન માટે જવાબદાર કોણ? જ્વેલર્સ કહે છે કે હોલમાર્ક સેન્ટરમાં જ્વેલરીને માર્ક કરતી વખતે ઘટ અને તૂટવાથી નુકશાન , જ્વેલરીની ફિનિશિંગ બગડવી અથવા જ્વેલરીનું વજન ઓછું થવા માટે કોણ જવાબદાર કોને ગણવાનું રહેશે તે મૂંઝવણ છે.

ઓલ્ટ્રેશન માટે શું કરવું? લરીના દરેક ભાગનું HUID નક્કી કરવામાં આવશે. જેમાં જ્વેલરીના દરેક ભાગનું વજન, નિર્માણ કે સંયોજન નક્કી કરવામાં આવશે તેથી જો ગ્રાહક પોતાની પસંદગીના દાગીનાનો ટુકડો બદલવા માંગતો હોય અથવા બે અલગ અલગ આભૂષણોનું સંયોજન બનાવવા માંગતો હોય તો સમસ્યાઓ થશે.

આ પણ વાંચો :  Jewellers on Strike : Hallmarking પ્રક્રિયા સામે જ્વેલર્સ આજે હડતાલ પર ઉતરશે, કેટલાક સંગઠનો નહિ જોડાય

આ પણ વાંચો :   Gold Price Today : સપ્તાહના પહેલા કારોબારી દિવસે સોનાની શું છે સ્થિતિ? જાણો રોકાણ અંગે નિષ્ણાંતોના અભિપ્રાય

Follow Us
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
g clip-path="url(#clip0_868_265)">