યુરોપિયન સેન્ટ્રલ બેંકે વ્યાજ દર ઘટાડ્યો, શું હવે RBI ઘટાડશે તમારી લોનની EMI?

|

Jun 07, 2024 | 7:08 AM

ભારતમાં સરકાર રચાય તે પહેલા વિશ્વની આર્થિક વ્યવસ્થામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. યુરોપિયન સેન્ટ્રલ બેંક ECBએ નીતિગત વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. વર્ષ 2019 પછી આ પ્રથમ વખત છે જ્યારે યુરોપની સેન્ટ્રલ બેંકે તેના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે.

યુરોપિયન સેન્ટ્રલ બેંકે વ્યાજ દર ઘટાડ્યો, શું હવે RBI ઘટાડશે તમારી લોનની EMI?

Follow us on

લોકસભાની ચૂંટણી બાદ મહાગઠબંધનના કારણે ભારતમાં નવી સરકારના સૂરમાં થોડો ફેરફાર થવાના સંકેત દેખાઈ રહ્યા છે. ભારતમાં સરકાર રચાય તે પહેલા વિશ્વની આર્થિક વ્યવસ્થામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. યુરોપિયન સેન્ટ્રલ બેંક ECBએ નીતિગત વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. વર્ષ 2019 પછી આ પ્રથમ વખત છે જ્યારે યુરોપની સેન્ટ્રલ બેંકે તેના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે.

ECBએ બેન્ચમાર્ક વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ એટલે કે 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. યુરોપિયન સેન્ટ્રલ બેંક દ્વારા કરવામાં આવેલ આ વ્યાજમાં ઘટાડો યુરોપના મોટાભાગના દેશોની અર્થવ્યવસ્થાને અસર કરશે.

વ્યાજ દર 3.75 ટકા કરવામાં આવ્યો

અત્યાર સુધી યુરોપિયન સેન્ટ્રલ બેંકનો વ્યાજ દર 4 ટકા હતો જે હવે ઘટીને 3.75 ટકા થઈ ગયો છે. ફ્રેન્કફર્ટમાં ECB હેડક્વાર્ટર ખાતે 26 સભ્યોની સમિતિએ વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. ECB એ તેના નિવેદનમાં કહ્યું છે કે કિંમતનું દબાણ નબળું પડ્યું છે. આ ઉપરાંત મોંઘવારી ઘટવાના સંકેતો દરેક જગ્યાએથી દેખાઈ રહ્યા છે તેથી વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ECBનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે પહેલાથી જ યુએસ ફેડરલ રિઝર્વ વિશ્વભરમાં વ્યાજદરમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. અમેરિકામાં નિર્ણય પણ જૂનમાં જ લેવાનો છે. ભારતની કેન્દ્રીય બેંક RBI પણ આ અંગે નિર્ણય લેવા જઈ રહી છે. ECBના આ નિર્ણયથી યુરોપમાં વપરાશ અને માંગ વધવાની શક્યતા છે.

શું હવે RBI તમારી EMI ઘટાડશે?

યુરોપિયન સેન્ટ્રલ બેંક દ્વારા વ્યાજ દરોમાં આ ઘટાડા બાદ હવે લોકોની નજર ભારતમાં RBIના નિર્ણય પર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી એટલેકે MPCની બેઠક ચાલી રહી છે. આજે  7 જૂને આરબીઆઈ તેની દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરવા જઈ રહી છે. આમાં તે રેપો રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય લઈ શકે છે જે એક વર્ષથી વધુ સમયથી 6.5 ટકા પર છે.

જો આરબીઆઈ આવતીકાલે મોનેટરી પોલિસી હેઠળ વ્યાજદરમાં ઘટાડો કરશે તો દેશમાં બેંક લોનના દરો નીચે આવશે. જેના કારણે હોમ લોનથી લઈને પર્સનલ લોન સુધીના લોકોની ઈએમઆઈમાં ઘટાડો થવાની સંભાવના છે.

આ પણ વાંચો : યુરોપના એક નિર્ણયે સોના-ચાંદીનો ચળકાટ વધાર્યો, સોનું 73000 અને ચાંદી 92000 નજીક પહોંચી

Next Article