AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO : જો તમે E-Nomination નથી કર્યું તો પણ તમારા PF ના નાણાં અટકશે નહિ, જાણો શું છે આખો મામલો

EPFO ​​તેની વેબસાઇટ પર EPF ખાતાધારકો માટે એક સ્પષ્ટતા કરી છે. આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે EPFO ​​એ ઈ-નોમિનેશન માટે કોઈ છેલ્લી તારીખ નક્કી કરી નથી. પીએફના એડવાન્સ ક્લેમ માટે ઈ-નોમિનેશન જરૂરી નથી.

EPFO  : જો તમે E-Nomination નથી કર્યું તો પણ તમારા PF ના નાણાં અટકશે નહિ, જાણો શું છે આખો મામલો
EPFO
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 9:11 AM
Share

નાણાકીય વર્ષ 2021-22 આજે સમાપ્ત થઇ રહ્યું છે. એવા ઘણા નાણાકીય કાર્યો છે જેની છેલ્લી તારીખ 31 માર્ચ છે. આ સિવાય નવા નાણાકીય વર્ષ 2022-23માં ઘણા નાણાકીય નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. નોકરી કરતા લોકો માટે EPF (Employees’ Provident Fund) સંબંધિત કામ નિયત તારીખ સુધીમાં પૂર્ણ કરવું જરૂરી છે. પીએફ ખાતાધારકો માટે નોમિની બનાવવા અને તેમના ઈ-નોમિનેશનને લઈને છેલ્લા કેટલાક દિવસોથી મૂંઝવણભર્યા સમાચારો વહેતા થઈ રહ્યા છે. એવા સમાચાર ચાલી રહ્યા છે કે જો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સબસ્ક્રાઇબર્સે 31 માર્ચ સુધીમાં તેમના PF ખાતાના નોમિનીનું ઇ-નોમિનેશન(e-nomination) નથી કરાવ્યું તો PF ના પૈસા અટકી જશે. આવા ખાતાધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ સમાચાર સંપૂર્ણપણે સાચા નથી. આમાં માત્ર અડધુ સત્ય છે. આ મૂંઝવણને દૂર કરવા માટે EPFOએ તેની વેબસાઇટ પર સ્પષ્ટતા આપી છે.

EPFOએ શું કહ્યું?

EPFO ​​તેની વેબસાઇટ પર EPF ખાતાધારકો માટે એક સ્પષ્ટતા કરી છે. આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે EPFO ​​એ ઈ-નોમિનેશન માટે કોઈ છેલ્લી તારીખ નક્કી કરી નથી. પીએફના એડવાન્સ ક્લેમ માટે ઈ-નોમિનેશન જરૂરી નથી. એટલે કે જો તમે તમારા નોમિનીનું ઈ-નોમિનેશન કર્યું નથી તો ગભરાવાની જરૂર નથી. તમે આ કામ ગમે ત્યારે કરી શકો છો કારણ કે નોમિની બનાવવું હવે ફરજિયાત છે.

અર્ધ સત્ય શું છે

વાસ્તવમાં અર્ધસત્ય એ છે કે જો તમે 31 માર્ચ સુધીમાં ઈ-નોમિનેશન નહીં કરો તો 1 એપ્રિલથી તમે PF મેમ્બરની પાસબુક ઓનલાઈન જોઈ શકશો નહીં. એટલે કે આ તારીખ પછી પાસબુક ઓનલાઈન જોવા માટે પહેલા તમારે ઈ-નોમિનેશન કરવું પડશે. ઈ-નોમિનેશન પછી જ તમે તમારી પાસબુક ઓનલાઈન ચેક કરી શકશો. આ સિવાય જો તમે તમારું પીએફ એકાઉન્ટ બંધ કરાવવા માંગતા હોય તો તેના માટે ઈ-નોમિનેશન પણ જરૂરી છે. તાજેતરમાં, EPFOએ એક ટ્વીટમાં તમામ ખાતાધારકોને અપીલ કરી હતી કે તેઓએ ઈ-નોમિનેશન કરવું જોઈએ. આ ટ્વિટ પછી અર્ધસત્ય અહેવાલો ચાલવા લાગ્યા.

આ પણ વાંચો : કંપની શેરમાર્કેટમાંથી ડીલિસ્ટ થાય એ સમાચાર ફાયદાના કે નુકસાનના છે? નક્કી કરવામાં આ અહેવાલ મદદરૂપ સાબિત થશે

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : છેલ્લા 10 દિવસમાં 9 વખત પેટ્રોલ – ડીઝલ મોંઘા થયા, જાણો આજનો તમારા શહેરનો ભાવ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">