AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO : જો તમે E-Nomination નથી કર્યું તો પણ તમારા PF ના નાણાં અટકશે નહિ, જાણો શું છે આખો મામલો

EPFO ​​તેની વેબસાઇટ પર EPF ખાતાધારકો માટે એક સ્પષ્ટતા કરી છે. આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે EPFO ​​એ ઈ-નોમિનેશન માટે કોઈ છેલ્લી તારીખ નક્કી કરી નથી. પીએફના એડવાન્સ ક્લેમ માટે ઈ-નોમિનેશન જરૂરી નથી.

EPFO  : જો તમે E-Nomination નથી કર્યું તો પણ તમારા PF ના નાણાં અટકશે નહિ, જાણો શું છે આખો મામલો
EPFO
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 9:11 AM
Share

નાણાકીય વર્ષ 2021-22 આજે સમાપ્ત થઇ રહ્યું છે. એવા ઘણા નાણાકીય કાર્યો છે જેની છેલ્લી તારીખ 31 માર્ચ છે. આ સિવાય નવા નાણાકીય વર્ષ 2022-23માં ઘણા નાણાકીય નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. નોકરી કરતા લોકો માટે EPF (Employees’ Provident Fund) સંબંધિત કામ નિયત તારીખ સુધીમાં પૂર્ણ કરવું જરૂરી છે. પીએફ ખાતાધારકો માટે નોમિની બનાવવા અને તેમના ઈ-નોમિનેશનને લઈને છેલ્લા કેટલાક દિવસોથી મૂંઝવણભર્યા સમાચારો વહેતા થઈ રહ્યા છે. એવા સમાચાર ચાલી રહ્યા છે કે જો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સબસ્ક્રાઇબર્સે 31 માર્ચ સુધીમાં તેમના PF ખાતાના નોમિનીનું ઇ-નોમિનેશન(e-nomination) નથી કરાવ્યું તો PF ના પૈસા અટકી જશે. આવા ખાતાધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ સમાચાર સંપૂર્ણપણે સાચા નથી. આમાં માત્ર અડધુ સત્ય છે. આ મૂંઝવણને દૂર કરવા માટે EPFOએ તેની વેબસાઇટ પર સ્પષ્ટતા આપી છે.

EPFOએ શું કહ્યું?

EPFO ​​તેની વેબસાઇટ પર EPF ખાતાધારકો માટે એક સ્પષ્ટતા કરી છે. આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે EPFO ​​એ ઈ-નોમિનેશન માટે કોઈ છેલ્લી તારીખ નક્કી કરી નથી. પીએફના એડવાન્સ ક્લેમ માટે ઈ-નોમિનેશન જરૂરી નથી. એટલે કે જો તમે તમારા નોમિનીનું ઈ-નોમિનેશન કર્યું નથી તો ગભરાવાની જરૂર નથી. તમે આ કામ ગમે ત્યારે કરી શકો છો કારણ કે નોમિની બનાવવું હવે ફરજિયાત છે.

અર્ધ સત્ય શું છે

વાસ્તવમાં અર્ધસત્ય એ છે કે જો તમે 31 માર્ચ સુધીમાં ઈ-નોમિનેશન નહીં કરો તો 1 એપ્રિલથી તમે PF મેમ્બરની પાસબુક ઓનલાઈન જોઈ શકશો નહીં. એટલે કે આ તારીખ પછી પાસબુક ઓનલાઈન જોવા માટે પહેલા તમારે ઈ-નોમિનેશન કરવું પડશે. ઈ-નોમિનેશન પછી જ તમે તમારી પાસબુક ઓનલાઈન ચેક કરી શકશો. આ સિવાય જો તમે તમારું પીએફ એકાઉન્ટ બંધ કરાવવા માંગતા હોય તો તેના માટે ઈ-નોમિનેશન પણ જરૂરી છે. તાજેતરમાં, EPFOએ એક ટ્વીટમાં તમામ ખાતાધારકોને અપીલ કરી હતી કે તેઓએ ઈ-નોમિનેશન કરવું જોઈએ. આ ટ્વિટ પછી અર્ધસત્ય અહેવાલો ચાલવા લાગ્યા.

આ પણ વાંચો : કંપની શેરમાર્કેટમાંથી ડીલિસ્ટ થાય એ સમાચાર ફાયદાના કે નુકસાનના છે? નક્કી કરવામાં આ અહેવાલ મદદરૂપ સાબિત થશે

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : છેલ્લા 10 દિવસમાં 9 વખત પેટ્રોલ – ડીઝલ મોંઘા થયા, જાણો આજનો તમારા શહેરનો ભાવ

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">