EPFO : ઇકવીટીમાં રોકાણ વધારવામાં વિચારણા, જુલાઈ મહિનામાં બેઠકમાં લેવાઈ શકે છે નિર્ણય

EPFOની બેઠક આવતા મહિને 8 થી 9 જુલાઈ દરમિયાન બેંગ્લોરમાં યોજાશે. એક અખબારી અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે EPFO ​​દ્વારા પ્રસ્તાવને અંતિમ સ્વરૂપ આપ્યા પછી તેને અંતિમ મંજૂરી માટે નાણાં મંત્રાલય(Ministry of Finance) અને શ્રમ મંત્રાલયને મોકલવામાં આવશે.

EPFO : ઇકવીટીમાં રોકાણ વધારવામાં વિચારણા, જુલાઈ મહિનામાં બેઠકમાં લેવાઈ શકે છે નિર્ણય
EPFO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2022 | 6:57 AM

આવતા મહિને EPFO ​​બોર્ડની બેઠક મળવા જઈ રહી છે અને આ બેઠકમાં ઈક્વિટીમાં રોકાણ મર્યાદા વધારવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.  ગયા મહિને જ EPFOની ફાયનાન્સ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઓડિટ કમિટીની બેઠક આ મુદ્દે ચર્ચા કરવા માટે યોજવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર EPFO ​​આવતા મહિને ઈક્વિટી એટલે કે સ્ટોક માર્કેટમાં રોકાણની મર્યાદા 15 ટકાથી વધારીને 25 ટકા કરવાના પ્રસ્તાવ પર નિર્ણય લઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મર્યાદામાં આ વધારો બે તબક્કામાં થઈ શકે છે. જો કે બીજી તરફ ઘણા કર્મચારી યુનિયનો ઈક્વિટીમાં રોકાણ મર્યાદા વધારવાનો વિરોધ કરી રહ્યા છે.

 જુલાઈના પ્રથમ પખવાડિયામાં બેઠક યોજાશે

EPFOની બેઠક આવતા મહિને 8 થી 9 જુલાઈ દરમિયાન બેંગ્લોરમાં યોજાશે. એક અખબારી અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે EPFO ​​દ્વારા પ્રસ્તાવને અંતિમ સ્વરૂપ આપ્યા પછી તેને અંતિમ મંજૂરી માટે નાણાં મંત્રાલય(Ministry of Finance) અને શ્રમ મંત્રાલયને મોકલવામાં આવશે. હાલમાં PF ડિપોઝિટના 15 ટકા ઇક્વિટીમાં રોકાણ કરી શકાય છે. પ્રસ્તાવ મુજબ આ મર્યાદા વધારીને 25 ટકા કરવાની છે જેમાં પ્રથમ તબક્કામાં મર્યાદા 15 ટકાથી વધારીને 20 ટકા અને બીજા તબક્કામાં મર્યાદા 20 ટકાથી વધારીને 25 ટકા કરવામાં આવશે.  અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ બેઠકમાં EPFO ​​હેઠળ રચાયેલી 4 સબ-કમિટીના અહેવાલ અને સલાહ પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ સમિતિઓ ડિજિટલાઇઝેશન, સામાજિક સુરક્ષા, પેન્શન વગેરે જેવા મુદ્દાઓ સાથે સંબંધિત છે. બીજી તરફ અન્ય એક રિપોર્ટમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે જો રોકાણની મર્યાદા 15 ટકાથી વધારીને 25 ટકા કરવામાં આવે તો EPFO ​​દર મહિને શેરબજારમાં લગભગ 3000 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરી શકશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ખાતાધારકોના વળતરમાં વધારો કરવાનો નિર્ણય

EPFO હાલમાં તેના ખાતાધારકોને 4 દાયકામાં સૌથી નીચો વ્યાજ દર ઓફર કરી રહ્યું છે. ઓછા જોખમવાળા રોકાણ વિકલ્પોમાંથી ઓછા વળતરને ધ્યાનમાં રાખીને, ફંડ હવે વધુ સારા રોકાણ વિકલ્પો તરફ વળે છે જ્યાં તે વધુ વળતર મેળવી શકે છે અને તેના બદલામાં ખાતાધારકોને તેમની થાપણો પર વધુ વ્યાજ ઓફર કરે છે. ભૂતકાળમાં બજારમાં ફંડના સારા અનુભવ પછી બોર્ડ હવે ઇક્વિટી માર્કેટમાં વધુ રોકાણ કરવાની તૈયારી કરી રહ્યું છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">