Education Loan : આ બેંકો સૌથી ઓછા વ્યાજે એજ્યુકેશન લોન આપી રહી છે, શિક્ષણમાં નહીં આવે અડચણ

Education Loan : આપણા દેશમાં મોટાભાગના માતા-પિતા તેમના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માંગે છે. જો કે, ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ સામાન્ય રીતે ખૂબ ખર્ચાળ હોય છે. જેના કારણે દર વર્ષે દેશભરમાં હજારો બાળકો પૈસાના અભાવે તેમનું શિક્ષણ ચૂકી જાય છે.

Education Loan : આ બેંકો સૌથી ઓછા વ્યાજે એજ્યુકેશન લોન આપી રહી છે, શિક્ષણમાં નહીં આવે અડચણ
Education-Loan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2022 | 11:59 AM

Education Loan : જો તમે તમારા બાળકોને સારું શિક્ષણ(Education Loan) આપવા ઈચ્છો છો અને તમારી પાસે નાણા નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ માટે દેશની કેટલીક બેંકો બાળકોના સારા શિક્ષણ માટે સૌથી ઓછા વ્યાજે એજ્યુકેશન લોન આપી રહી છે. જેની મદદથી હવે તમે બેંક (Bank) માંથી એજ્યુકેશન લોન લઈને તમારા બાળકો માટે સારું શિક્ષણ મેળવી શકશો. તમને જણાવી દઈએ કે આપણા દેશના મોટાભાગના માતા-પિતા તેમના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માંગે છે. જો કે, ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ સામાન્ય રીતે ખૂબ ખર્ચાળ હોય છે. જેના કારણે દર વર્ષે દેશભરમાં હજારો બાળકો પૈસાના અભાવે તેમનું શિક્ષણ ચૂકી જાય છે. અને તેઓ સારું શિક્ષણ મેળવી શકતા નથી.

ખરેખર, ભારતમાં, અભ્યાસક્રમ અને ડિગ્રી અભ્યાસ માટે શિક્ષણ લોનની પ્રથા હવે સામાન્ય બની ગઈ છે. ટ્યુશન, રહેઠાણ, કપડાં, પુસ્તકાલયો અને પ્રયોગશાળાઓની ફી, પુસ્તકો અને ઘણું બધું સહિત કોર્સ-સંબંધિત ખર્ચાઓને આવરી લેવા માટે એજ્યુકેશન લોનનો ઉપયોગ વારંવાર કરવામાં આવે છે. અહીં અમે તમને તે બેંકોની યાદી વિશે જણાવી રહ્યા છીએ. જે બાળકોના શિક્ષણ માટે ઓછા વ્યાજ દરે એજ્યુકેશન લોન આપી રહ્યા છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા

માહિતી અનુસાર, બાળકોને સારું શિક્ષણ મળી શકે તે માટે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 6.95 ટકાના સૌથી ઓછા વ્યાજ દરે એજ્યુકેશન લોન આપી રહી છે. બેંક 7 વર્ષ માટે 20 લાખ સુધીની લોન આપી રહી છે. જે સમાન માસિક હપ્તા (રૂ. 30,136)માં ચૂકવી શકાય છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

પંજાબ નેશનલ બેંક

પંજાબ નેશનલ બેંક (PNB) 7.45%ના વ્યાજ દરે એજ્યુકેશન લોન ઓફર કરે છે. 20 લાખ રૂપિયાની લોન માટે કુલ EMI રૂપિયા 30,627 છે.

એસબીઆઈ

SBI વિદ્યાર્થીઓને 7.5% ના વ્યાજ દરે શૈક્ષણિક લોન આપે છે, જે સામાન્ય કરતા થોડી વધારે છે. આ લોનની EMI 30,677 રૂપિયા છે. આ ઉપરાંત યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને IDBI બેંક પણ સમાન વ્યાજ દરે એજ્યુકેશન લોન ઓફર કરે છે.

ઈન્ડિયન બેંક

ઈન્ડિયન બેંક રૂ. 20 લાખની સાત વર્ષની લોન માટે 7.9%ના દરે વ્યાજ લે છે. તેની EMI 31,073 રૂપિયા છે.

બેંક ઓફ બરોડા

બેંક ઓફ બરોડા સાત વર્ષના કાર્યકાળ માટે રૂ. 20 લાખની એજ્યુકેશન લોન પર 7.9%ના દરે વ્યાજ વસૂલે છે. બેંક ઓફ બરોડા લોનની EMI રૂ. 31,073 છે.

બેન્ક ઓફ ઇન્ડિયા

આ સરકારી બેંકનો વ્યાજ દર 8.25 ટકા છે. તેની EMI કુલ 31,422 રૂપિયા આવે છે.

કેનેરા બેંક

સાત વર્ષના પેબેક સમયગાળા સાથે કેનેરા બેંક તરફથી 20 લાખની એજ્યુકેશન લોન 8.3% ના વ્યાજ દર ઓફર કરે છે. તેની લોનની કુલ EMI 31,472 રૂપિયા છે.

બેંક ઓફ મહારાષ્ટ્ર એજ્યુકેશન લોન

વિદ્યાર્થી લોન માટે બેંક ઓફ મહારાષ્ટ્રનો વ્યાજ દર 8.35% છે. તેની માસિક ચુકવણી રૂ. 31,522 છે.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">