AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સમયાંતરે સાંભળવા મળી રહ્યા છે ભૂકંપના અહેવાલ!!! ચિંતા છોડી બસ આ પગલું ભરો જે આપશે સંકટના સમયે આર્થિક રક્ષણ

Earthquake Insurance : વીમા પોલિસી તમારા ઘર અને તેની સામગ્રીને પોસાય તેવા પ્રીમિયમ પર સુરક્ષા પૂરી પાડે છે. ભારતની ગૃહ સંરક્ષણ નીતિ એક પ્રમાણભૂત નીતિ છે. વિવિધ વીમા કંપનીઓ આ વીમો આપે છે. તે ઘર અને ઘરની વસ્તુઓ બંનેને આવરી લે છે. તેનું પ્રીમિયમ રૂ. 2,500 થી રૂ. 5,000 સુધીનું છે.

સમયાંતરે સાંભળવા મળી રહ્યા છે ભૂકંપના અહેવાલ!!! ચિંતા છોડી બસ આ પગલું ભરો જે આપશે સંકટના સમયે આર્થિક રક્ષણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2023 | 7:48 AM
Share

Earthquake Insurance: છેલ્લા કેટલાક સમયથી ધરતીકંપના બનાવ ચિંતાજનક સ્તરે વધ્યા છે. તાજેતરના સમયમાં દેશમાં એકજ દિવસમાં બે વાર ધરા ધ્રુજી હતી. લોકો વર્ષોની કમાણીમાંથી એક-એક પૈસો બચાવીને તેમના ઘરનું સ્વપ્ન પૂરું કરે છે. આપણું ઘર માત્ર આશ્રય જ નહીં પણ ભાવનાત્મક અને નાણાકીય સુરક્ષા પણ પ્રદાન કરે છે. જો તમારું ઘર કુદરતી આફતમાં નાશ પામે તો બરબાદીની સ્થિતિ નજરે પડે છે. તમે જોયું જ હશે કે ઘણીવાર ભૂકંપ જેવી કુદરતી આફતો પળવારમાં હજારો-લાખો લોકો બેઘર થઈ જાય છે અને લોકો પળવારમાં રસ્તા પર આવી જાય છે. આવી સમસ્યાઓથી બચવા તમે વીમાનું કવચ લઈ શકો છો

Home Insurance શું છે?

આજના સમયમાં ઘણી વીમા કંપનીઓ ઘર અને દુકાનના વીમા જેવા ઉત્પાદનો પ્રદાન કરે છે. આવો વીમો તમારા ઘર અને દુકાન માટે રક્ષણાત્મક કવચ સમાન છે. તેઓ ઘર અથવા ઘરની સામગ્રીને નુકસાન થવાના કિસ્સામાં તમને જે નાણાકીય સંકટ ઘટાડે છે. પૂર, ભૂકંપ, આગ અને વીજળી જેવી કુદરતી આફતો અથવા ચોરી, લૂંટ અને રમખાણો જેવા કારણોસર ઘરને નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં, વીમા કંપની તમારા નુકસાનની ભરપાઈ કરે છે.

વીમા હેઠળ શું આવરી લેવામાં આવે છે?

સામાન્ય રીતે બે પ્રકારના home insurance હોય છે. પહેલો ઘરનો વીમો અને બીજો છે ઘરમાં રાખેલા સામાનનો વીમો હોય છે. ઘરની સામગ્રીનો વીમો ઈલેક્ટ્રોનિક ઉત્પાદનો, ફર્નિચર, ઘરેણાં અને અન્ય કીમતી ચીજોને આવરી લે છે. આને સામગ્રી વીમો કહેવામાં આવે છે. બીજી તરફ બીજા પ્રકારના વીમામાં ઘર એટલે કે બિલ્ડિંગને થયેલા નુકસાનને આવરી લેવામાં આવે છે. તેને structure insurance policy કહેવામાં આવે છે.

કેટલા  સમયગાળા માટે વીમો લેવો જોઈએ?

તમે એક અથવા વધુ વર્ષ માટે વીમો ખરીદી શકો છો. ઘર ખરીદતી વખતે તમને લાંબા ગાળાનો વીમો ખરીદવાની પણ સલાહ આપવામાં આવે છે. સ્ટ્રક્ચર માટે 1 થી 30 વર્ષ માટે તો  માલસામાન માટે 1 થી 5 વર્ષ અને બંને માટે સંયુક્ત રીતે 1 થી 5 વર્ષ માટે પોલિસી ખરીદી શકાય છે.

વીમાનું પ્રીમિયમ કેટલું છે?

વીમા પોલિસી તમારા ઘર અને તેની સામગ્રીને પોસાય તેવા પ્રીમિયમ પર સુરક્ષા પૂરી પાડે છે. ભારતની ગૃહ સંરક્ષણ નીતિ એક પ્રમાણભૂત નીતિ છે. વિવિધ વીમા કંપનીઓ આ વીમો આપે છે. તે ઘર અને ઘરની વસ્તુઓ બંનેને આવરી લે છે. તેનું પ્રીમિયમ રૂ. 2,500 થી રૂ. 5,000 સુધીનું છે. તમે વિવિધ કંપનીઓના ઉત્પાદનો અને તેમની સુવિધાઓની તુલના કરીને તમારા માટે સૌથી યોગ્ય વીમો ખરીદી શકો છો.

Follow Us
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">