AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake : દ્વારકામાં અનુભવાયો 4.3ની તીવ્રતાનો ભૂકંપ ! જાણો ધરતીકંપનું કેન્દ્રબિંદુ

ગુજરાતના દ્વારકામાં આજે એટલે કે સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપ પૃથ્વીથી 15 કિમી નીચે આવ્યો હતો.

Earthquake : દ્વારકામાં અનુભવાયો 4.3ની તીવ્રતાનો ભૂકંપ ! જાણો ધરતીકંપનું કેન્દ્રબિંદુ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2023 | 8:38 AM
Share

ગુજરાતના દ્વારકામાં આજે એટલે કે સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપ પૃથ્વીથી 15 કિમી નીચે આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જો કે, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ મુજબ, ધરતીકંપનું કેન્દ્રબિંદુ દ્વારકાથી ઉતર દિશામાં 431 કિમી દુર નોંધાયું હતું. ભૂકંપના કારણે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

આ સ્થળોએ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા

તમને જણાવી દઈએ કે આજે સોમવારે સવારે 5.07 કલાકે આંદામાન-નિકોબારના નિકોબાર ટાપુ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5 માપવામાં આવી છે. જ્યારે, ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રવિવાર-સોમવારની રાત્રે 12 કલાકની અંદર ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. સિરોરના જંગલમાં 12.45 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 2.5 માપવામાં આવી હતી. બીજો આંચકો પણ થોડી વાર પછી આવ્યો હતો. જ્યારે ત્રીજો આંચકો લગભગ સવારે 10.10 વાગ્યે આવ્યો, જેની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 1.8 હતી. ભૂકંપનું કેન્દ્ર ઉત્તરકાશીનો ઉત્તરીય વિસ્તાર હોવાનું કહેવાય છે.

ભૂકંપ માપવા માટેનું માપ શું છે

રિએક્ટર સ્કેલ પર 2.0 થી ઓછી તીવ્રતાવાળા ભૂકંપને માઇક્રો શ્રેણીમાં રાખવામાં આવે છે. મતલબ કે આ પ્રકારના ભૂકંપની તીવ્રતા એટલી ઓછી રહે છે કે લોકોને તેનો અનુભવ થતો નથી. તે માત્ર અત્યાધુનિક સિસ્મોમીટરથી જ શોધી શકાય છે. 2.0 થી 2.9 ની તીવ્રતાના ભૂકંપો ગૌણ શ્રેણીમાં આવે છે. 3.0 થી 3.9 સુધીની તીવ્રતાના આંચકામાં કોઈપણ પ્રકારના નુકસાનની શક્યતા નહિવત છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">