AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોટા સમાચાર! 1 એપ્રિલથી 20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે E-Invoice થશે ફરજિયાત

20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વ્યવસાયોએ 1 એપ્રિલથી B2B ટ્રાન્ઝેક્શન માટે ઇલેક્ટ્રોનિક ઇન્વૉઇસ જનરેટ કરવાના રહેશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સે આ માહિતી આપી છે.

મોટા સમાચાર! 1 એપ્રિલથી 20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે E-Invoice થશે ફરજિયાત
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 11:57 PM
Share

20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા કારોબારોએ (Business) 1 એપ્રિલથી B2B વ્યવહારો માટે ઈલેક્ટ્રોનિક ઈન્વોઈસ (E-Invoice) જનરેટ કરવાનું રહેશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સે આ માહિતી આપી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એક્ટ હેઠળ,  500 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે 1 ઓક્ટોબર 2020 થી બિઝનેસ ટુ બિઝનેસ (B2B) વ્યવહારો માટે ઈ-ઈનવોઈસિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. તેને બાદમાં 1 જાન્યુઆરી, 2021 થી એ કંપનીઓ માટે પણ લાગુ કરવામાં આવ્યું હતું, જેનું ટર્નઓવર 100 કરોડથી વધુ છે.

ગયા વર્ષે 1 એપ્રિલથી, 50 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ B થી B ઇનવોઇસ જનરેટ કરી રહી હતી. હવે તેને વધારીને 20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે લાગુ કરવામાં આવી રહ્યો છે. આ સાથે, 1 એપ્રિલ 2022 થી વધુ સપ્લાયરોએ ઈ-ઈનવોઈસ જનરેટ કરવાની જરૂર પડશે. જો ઇનવોઇસ માન્ય ન હોય, તો વ્યક્તિ યોગ્ય દંડ સિવાય તેના પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ શકશે નહીં.

પીટીઆઈના અહેવાલ મુજબ, EY ઈન્ડિયાના ટેક્સ પાર્ટનર બિપિન સાપરાએ જણાવ્યું હતું કે, આ પગલા સાથે, સરકાર કમ્પ્લાયન્સ ઓટોમેશનને મોટી સંખ્યામાં કરદાતાઓ સુધી લઈ ગઈ છે, જે માત્ર અનુપાલનને જ સરળ નહીં બનાવે, તેના બદલે, ઇનપુટ ટેક્સ ક્રેડિટ ફ્રોડને કારણે થનારુ આવકનું નુકસાન પણ ઓછું થશે.

AMRG એન્ડ એસોસિએટ્સના સિનિયર પાર્ટનર રાજન મોહનનું કહેવું છે કે SME સેક્ટરે ટૂંક સમયમાં આ ફેરફાર લાગુ કરવો પડશે, જેના કારણે કંપનીઓને ઘણી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓ પણ બદલવી પડી શકે છે.

ઇનવોઇસનો શું ફાયદો થશે?

તમને જણાવી દઈએ કે ઈન્વોઈસિંગ હેઠળ કરદાતાઓએ તેમની આંતરિક સિસ્ટમ દ્વારા બિલ જનરેટ કરવાનું હોય છે અને તેની માહિતી ઓનલાઈન ઈન્વોઈસ રજીસ્ટ્રેશન પોર્ટલ (IRP)ને આપવાની હોય છે. ઈ-ઈનવોઈસ બિલિંગ સિસ્ટમ હેઠળ, ઈન્વોઈસ સિસ્ટમમાં તમામ સ્થળોએ એક જ ફોર્મેટના બિલ ચોક્કસ રીતે જનરેટ કરવામાં આવશે. આ બિલ દરેક જગ્યાએ એકસરખા બનાવવામાં આવશે અને રિયલ ટાઈમમાં દેખાશે.

ઈલેક્ટ્રોનિક ઈન્વોઈસ બિલિંગ સિસ્ટમમાં, દરેક હેડને પ્રમાણભૂત ફોર્મેટમાં લખવામાં આવશે. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે બિલ બનાવ્યા પછી ઘણી જગ્યાએ ફાઇલિંગ નહીં કરવું પડે. દર મહિને GST રિટર્ન ફાઇલ કરવા માટે એક અલગ ઇનવોઇસ એન્ટ્રી હોય છે. વાર્ષિક રિટર્ન ફાઈલ કરવા માટે અલગ એન્ટ્રી છે અને ઈ-વે બિલ જનરેટ કરવા માટે અલગ એન્ટ્રી કરવાની હોય છે. હવે અલગથી ફાઇલ કરવાની જરૂર નથી.

આ પણ વાંચો :  રશિયાને SWIFT નેટવર્કમાંથી બહાર કરવાના પ્રયાસો વધુ તેજ, જાણો શું છે આ સિસ્ટમ અને શું થશે નિર્ણયની અસર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">