મોટા સમાચાર! 1 એપ્રિલથી 20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે E-Invoice થશે ફરજિયાત

20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વ્યવસાયોએ 1 એપ્રિલથી B2B ટ્રાન્ઝેક્શન માટે ઇલેક્ટ્રોનિક ઇન્વૉઇસ જનરેટ કરવાના રહેશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સે આ માહિતી આપી છે.

મોટા સમાચાર! 1 એપ્રિલથી 20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે E-Invoice થશે ફરજિયાત
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 11:57 PM

20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા કારોબારોએ (Business) 1 એપ્રિલથી B2B વ્યવહારો માટે ઈલેક્ટ્રોનિક ઈન્વોઈસ (E-Invoice) જનરેટ કરવાનું રહેશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સે આ માહિતી આપી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એક્ટ હેઠળ,  500 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે 1 ઓક્ટોબર 2020 થી બિઝનેસ ટુ બિઝનેસ (B2B) વ્યવહારો માટે ઈ-ઈનવોઈસિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. તેને બાદમાં 1 જાન્યુઆરી, 2021 થી એ કંપનીઓ માટે પણ લાગુ કરવામાં આવ્યું હતું, જેનું ટર્નઓવર 100 કરોડથી વધુ છે.

ગયા વર્ષે 1 એપ્રિલથી, 50 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ B થી B ઇનવોઇસ જનરેટ કરી રહી હતી. હવે તેને વધારીને 20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે લાગુ કરવામાં આવી રહ્યો છે. આ સાથે, 1 એપ્રિલ 2022 થી વધુ સપ્લાયરોએ ઈ-ઈનવોઈસ જનરેટ કરવાની જરૂર પડશે. જો ઇનવોઇસ માન્ય ન હોય, તો વ્યક્તિ યોગ્ય દંડ સિવાય તેના પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ શકશે નહીં.

પીટીઆઈના અહેવાલ મુજબ, EY ઈન્ડિયાના ટેક્સ પાર્ટનર બિપિન સાપરાએ જણાવ્યું હતું કે, આ પગલા સાથે, સરકાર કમ્પ્લાયન્સ ઓટોમેશનને મોટી સંખ્યામાં કરદાતાઓ સુધી લઈ ગઈ છે, જે માત્ર અનુપાલનને જ સરળ નહીં બનાવે, તેના બદલે, ઇનપુટ ટેક્સ ક્રેડિટ ફ્રોડને કારણે થનારુ આવકનું નુકસાન પણ ઓછું થશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

AMRG એન્ડ એસોસિએટ્સના સિનિયર પાર્ટનર રાજન મોહનનું કહેવું છે કે SME સેક્ટરે ટૂંક સમયમાં આ ફેરફાર લાગુ કરવો પડશે, જેના કારણે કંપનીઓને ઘણી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓ પણ બદલવી પડી શકે છે.

ઇનવોઇસનો શું ફાયદો થશે?

તમને જણાવી દઈએ કે ઈન્વોઈસિંગ હેઠળ કરદાતાઓએ તેમની આંતરિક સિસ્ટમ દ્વારા બિલ જનરેટ કરવાનું હોય છે અને તેની માહિતી ઓનલાઈન ઈન્વોઈસ રજીસ્ટ્રેશન પોર્ટલ (IRP)ને આપવાની હોય છે. ઈ-ઈનવોઈસ બિલિંગ સિસ્ટમ હેઠળ, ઈન્વોઈસ સિસ્ટમમાં તમામ સ્થળોએ એક જ ફોર્મેટના બિલ ચોક્કસ રીતે જનરેટ કરવામાં આવશે. આ બિલ દરેક જગ્યાએ એકસરખા બનાવવામાં આવશે અને રિયલ ટાઈમમાં દેખાશે.

ઈલેક્ટ્રોનિક ઈન્વોઈસ બિલિંગ સિસ્ટમમાં, દરેક હેડને પ્રમાણભૂત ફોર્મેટમાં લખવામાં આવશે. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે બિલ બનાવ્યા પછી ઘણી જગ્યાએ ફાઇલિંગ નહીં કરવું પડે. દર મહિને GST રિટર્ન ફાઇલ કરવા માટે એક અલગ ઇનવોઇસ એન્ટ્રી હોય છે. વાર્ષિક રિટર્ન ફાઈલ કરવા માટે અલગ એન્ટ્રી છે અને ઈ-વે બિલ જનરેટ કરવા માટે અલગ એન્ટ્રી કરવાની હોય છે. હવે અલગથી ફાઇલ કરવાની જરૂર નથી.

આ પણ વાંચો :  રશિયાને SWIFT નેટવર્કમાંથી બહાર કરવાના પ્રયાસો વધુ તેજ, જાણો શું છે આ સિસ્ટમ અને શું થશે નિર્ણયની અસર

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">