AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોટા સમાચાર! 1 એપ્રિલથી 20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે E-Invoice થશે ફરજિયાત

20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વ્યવસાયોએ 1 એપ્રિલથી B2B ટ્રાન્ઝેક્શન માટે ઇલેક્ટ્રોનિક ઇન્વૉઇસ જનરેટ કરવાના રહેશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સે આ માહિતી આપી છે.

મોટા સમાચાર! 1 એપ્રિલથી 20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે E-Invoice થશે ફરજિયાત
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 11:57 PM
Share

20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા કારોબારોએ (Business) 1 એપ્રિલથી B2B વ્યવહારો માટે ઈલેક્ટ્રોનિક ઈન્વોઈસ (E-Invoice) જનરેટ કરવાનું રહેશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સે આ માહિતી આપી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એક્ટ હેઠળ,  500 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે 1 ઓક્ટોબર 2020 થી બિઝનેસ ટુ બિઝનેસ (B2B) વ્યવહારો માટે ઈ-ઈનવોઈસિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. તેને બાદમાં 1 જાન્યુઆરી, 2021 થી એ કંપનીઓ માટે પણ લાગુ કરવામાં આવ્યું હતું, જેનું ટર્નઓવર 100 કરોડથી વધુ છે.

ગયા વર્ષે 1 એપ્રિલથી, 50 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ B થી B ઇનવોઇસ જનરેટ કરી રહી હતી. હવે તેને વધારીને 20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે લાગુ કરવામાં આવી રહ્યો છે. આ સાથે, 1 એપ્રિલ 2022 થી વધુ સપ્લાયરોએ ઈ-ઈનવોઈસ જનરેટ કરવાની જરૂર પડશે. જો ઇનવોઇસ માન્ય ન હોય, તો વ્યક્તિ યોગ્ય દંડ સિવાય તેના પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ શકશે નહીં.

પીટીઆઈના અહેવાલ મુજબ, EY ઈન્ડિયાના ટેક્સ પાર્ટનર બિપિન સાપરાએ જણાવ્યું હતું કે, આ પગલા સાથે, સરકાર કમ્પ્લાયન્સ ઓટોમેશનને મોટી સંખ્યામાં કરદાતાઓ સુધી લઈ ગઈ છે, જે માત્ર અનુપાલનને જ સરળ નહીં બનાવે, તેના બદલે, ઇનપુટ ટેક્સ ક્રેડિટ ફ્રોડને કારણે થનારુ આવકનું નુકસાન પણ ઓછું થશે.

AMRG એન્ડ એસોસિએટ્સના સિનિયર પાર્ટનર રાજન મોહનનું કહેવું છે કે SME સેક્ટરે ટૂંક સમયમાં આ ફેરફાર લાગુ કરવો પડશે, જેના કારણે કંપનીઓને ઘણી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓ પણ બદલવી પડી શકે છે.

ઇનવોઇસનો શું ફાયદો થશે?

તમને જણાવી દઈએ કે ઈન્વોઈસિંગ હેઠળ કરદાતાઓએ તેમની આંતરિક સિસ્ટમ દ્વારા બિલ જનરેટ કરવાનું હોય છે અને તેની માહિતી ઓનલાઈન ઈન્વોઈસ રજીસ્ટ્રેશન પોર્ટલ (IRP)ને આપવાની હોય છે. ઈ-ઈનવોઈસ બિલિંગ સિસ્ટમ હેઠળ, ઈન્વોઈસ સિસ્ટમમાં તમામ સ્થળોએ એક જ ફોર્મેટના બિલ ચોક્કસ રીતે જનરેટ કરવામાં આવશે. આ બિલ દરેક જગ્યાએ એકસરખા બનાવવામાં આવશે અને રિયલ ટાઈમમાં દેખાશે.

ઈલેક્ટ્રોનિક ઈન્વોઈસ બિલિંગ સિસ્ટમમાં, દરેક હેડને પ્રમાણભૂત ફોર્મેટમાં લખવામાં આવશે. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે બિલ બનાવ્યા પછી ઘણી જગ્યાએ ફાઇલિંગ નહીં કરવું પડે. દર મહિને GST રિટર્ન ફાઇલ કરવા માટે એક અલગ ઇનવોઇસ એન્ટ્રી હોય છે. વાર્ષિક રિટર્ન ફાઈલ કરવા માટે અલગ એન્ટ્રી છે અને ઈ-વે બિલ જનરેટ કરવા માટે અલગ એન્ટ્રી કરવાની હોય છે. હવે અલગથી ફાઇલ કરવાની જરૂર નથી.

આ પણ વાંચો :  રશિયાને SWIFT નેટવર્કમાંથી બહાર કરવાના પ્રયાસો વધુ તેજ, જાણો શું છે આ સિસ્ટમ અને શું થશે નિર્ણયની અસર

Follow Us
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">