AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું વીમા કંપનીઓને પણ કોરોનાની ત્રીજી લહેરનો ભય? એક વર્ષ માં બીજી વાર મોંઘો થશે ઇન્શ્યોરન્સ

વિશ્વના કેટલાક દેશોમાં ઓમીક્રોન સાથે કોરોનાની ત્રીજી લહેર દસ્તક આપી રહી છે. ભારતમાં પણ છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે.

શું વીમા કંપનીઓને પણ કોરોનાની ત્રીજી લહેરનો ભય? એક વર્ષ માં બીજી વાર મોંઘો થશે ઇન્શ્યોરન્સ
LIC Policy
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 7:37 AM
Share

ઓમીક્રોન(Omicron) માત્ર તમારા સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તમારા ખિસ્સા પર પણ અસર કરશે. હવે ટર્મ ઈન્સ્યોરન્સ(term insurance) લેવું વધુ મોંઘુ (Costly)પડશે. ખબર મળી રહી છે કે ટોચની ખાનગી જીવન વીમા કંપનીઓ(insurance Company) તેમના ટર્મ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ(insurance premium )ના દરોમાં ફેરફાર કરવા જઈ રહી છે. વર્તમાન નાણાકીય વર્ષમાં જીવન વીમા ઉદ્યોગમાં ભાવ વધારાનો આ બીજો રાઉન્ડ છે.

ટર્મ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ જેને પ્યોર પ્રોટેક્શન કહેવાય છે તે ફરીથી વધવા જઈ રહ્યું છે. આ વખતે પ્રીમિયમ 25 થી 45 ટકા વધી શકે છે. ઈન્ડસ્ટ્રીની જાણકારી ધરાવતા લોકોનું કહેવું છે કે વૈશ્વિક બજારમાં રિ-ઈન્શ્યોરન્સ રેટમાં નોંધપાત્ર વધારો થયો છે જેના કારણે ભારતમાં પણ કિંમતમાં વધારો થવા જઈ રહ્યો છે.

કેટલો ભાવ વધશે કેટલીક જીવન વીમા કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષમાં તેમના પ્રિમિયમમાં પણ વધારો કર્યો હતો. કોવિડ-19ના કારણે મૃત્યુદરમાં થયેલા વધારાને કારણે તેણે પ્રીમિયમ વધાર્યું હતું. આ વખતે પણ તેનું કારણ જણાવવામાં આવી રહ્યું છે.

વિતરકોના જણાવ્યા અનુસાર ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ અને HDFC લાઈફ ઈન્સ્યોરન્સે ચોથા ક્વાર્ટરમાં સુધારાની શક્યતા વિશે જાણ કરી છે. એક ફેરફાર એ છે કે વીમા કંપનીઓ હવે ઉચ્ચ-મૂલ્યની પોલિસીઓ ફક્ત તે જ લોકોને વેચી રહી છે જેઓ સ્નાતક છે અથવા જેમનો પગાર રૂપિયા ૧૦ લાખ થી વધુ છે.

જાણકારોનું કહેવું છે કે ભારતમાં વીમા સુરક્ષાની કિંમતો, શ્રેષ્ઠ સ્વાસ્થ્ય અને ઉચ્ચત્તમ જીવન જરૂરી છે. જ્યારે પણ ગ્‍લોબલ માર્કેટમાં રી-ઇંશ્‍યોરેંસ દરમાં ફેરફાર થાય છે તો અહીં પણ દર વધારવાની જરૂર ઉભી થાય છે.

ત્રીજી લહેરનો ભય? વિશ્વના કેટલાક દેશોમાં ઓમીક્રોન સાથે કોરોનાની ત્રીજી લહેર દસ્તક આપી રહી છે. ભારતમાં પણ છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. આ સ્થિતિ ચિંતાનું સ્વરૂપ ધારણ કરી રહી છે. વીમા કંપનીઓ પણ કોરોનની ત્રીજી લહેર સાથે બિઝનેસને જોડી રહી હોય તેમ લાગી રહ્યું છે જે વર્ષમાં બીજીવાર પ્રીમિયમમાં વધારો ઝીકી શકે છે.

આ પણ વાંચો :  Indipaisa અને NSDL પેમેન્ટ બેંકે ફીનટેક પ્લેટફોર્મ લોન્ચ કરવા માટે કરી ભાગીદારી, ભારતના વિકાસશીલ 63 મિલિયન SME ક્ષેત્રનું લક્ષ્ય

આ પણ વાંચો :  Bank Holidays in January 2022: જો આ દિવસે જશો બેંકમાં તો થશે ધરમ ધક્કો, રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">