AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડીઝલની કિંમતમાં 25 રૂપિયાનો વધારો, મુંબઇમાં 122 રૂપિયા પહોંચ્યો ભાવ

આ મહિને પેટ્રોલના વેચાણમાં 20 ટકાનો ઉછાળો આવ્યો છે, ફેબ્રુઆરીની સરખામણીમાં માંગમાં 33 ટકાનો વધારો થયો છે

ડીઝલની કિંમતમાં 25 રૂપિયાનો વધારો, મુંબઇમાં 122 રૂપિયા પહોંચ્યો ભાવ
Diesel price (symbolic image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 3:14 PM
Share

જથ્થાબંધ ઉપભોક્તાઓ માટે ડીઝલના ભાવ ( diesel sold to bulk users) 25 રૂપિયા પ્રતિ લિટર વધ્યા છે. આ માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે જથ્થાબંધ ગ્રાહકોને વેચવામાં આવતા ડીઝલ 25 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં 40 ટકાના ઉછાળા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. જો કે, પેટ્રોલ પંપ દ્વારા વેચાતા ડીઝલના છૂટક ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ મહિને પેટ્રોલના વેચાણમાં 20 ટકાનો ઉછાળો આવ્યો છે. બસ ફ્લીટ ઓપરેટરો અને મોલ્સ જેવા જથ્થાબંધ ઉપભોક્તાઓએ પેટ્રોલ પંપમાંથી ઇંધણ ખરીદે છે. પેટ્રોલિયમ કંપનીઓ પાસેથી સીધા જ ઇંધણ મેળવે છે. તેના કારણે ફ્યુઅલ રિટેલિંગ કંપનીઓની ખોટ વધી છે.

નાયરા એનર્જી, જિયો-બીપી અને શેલ જેવી કંપનીઓને સૌથી વધુ અસર થઈ છે. વેચાણમાં વધારો થયો હોવા છતાં, આ કંપનીઓએ હજુ સુધી જથ્થામાં ઘટાડો કર્યો નથી. પરંતુ હવે પંપ ચલાવવા તે આર્થિક રીતે વ્યવહારીક રહ્યુ નથી. આ બાબતની જાણકારી ધરાવતા ત્રણ સૂત્રોએ જણાવ્યું હતું કે રેકોર્ડ 136 દિવસથી ઈંધણના ભાવમાં વધારો થયો નથી, જેના કારણે કંપનીઓ માટે આ દરો પર વધુ ઈંધણ વેચવાને બદલે પેટ્રોલ પંપ બંધ કરવાનો વારો આવે તેવી શક્યતા છે.

ખાનગી કંપનીઓ પર રિટેલ આઉટલેટ બંધ કરવાનું દબાણ વધ્યું

2008માં, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના તમામ 1,432 પેટ્રોલ પંપ બંધ કર્યા પછી વેચાણ ‘શૂન્ય’ થઈ ગયું. આજે પણ આવી જ સ્થિતિ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જથ્થાબંધ ગ્રાહકો પેટ્રોલ પંપ પરથી ખરીદી કરી રહ્યા છે. જેના કારણે આ છૂટક વેપારીઓની ખોટ વધી રહી છે. મુંબઈમાં જથ્થાબંધ ગ્રાહકો માટે ડીઝલની કિંમત 122.05 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. પેટ્રોલ પંપ પર ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

દિલ્હીમાં ડીઝલની જથ્થાબંધ કિંમત 115 રૂપિયા છે.

દિલ્હીના પેટ્રોલ સ્ટેશનો પર ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે હોલસેલ અથવા ઔદ્યોગિક ગ્રાહકો માટે તેની કિંમત 115 રૂપિયા પ્રતિ લિટર છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓએ 4 નવેમ્બર, 2021થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી. જોકે, આ સમયગાળા દરમિયાન વૈશ્વિક સ્તરે ઈંધણના ભાવમાં ઉછાળો આવ્યો છે. એવું માનવામાં આવે છે કે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો ન હતો.

બજેટ સત્રને કારણે દરમાં કોઈ ફેરફાર નથી

વિધાનસભા ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવી ગયા છે, પરંતુ તે પછી પણ સંસદના બજેટ સત્રના બીજા તબક્કાના કારણે હાલમાં ભાવમાં વધારો થયો નથી. જથ્થાબંધ ઉપભોક્તા અને પેટ્રોલ પંપના ભાવમાં રૂ.25નો મોટો તફાવત હોવાને કારણે જથ્થાબંધ ગ્રાહકો પેટ્રોલ પંપ પરથી ઇંધણની ખરીદી કરી રહ્યા છે. તેઓ પેટ્રોલિયમ કંપનીઓ પાસેથી સીધા ટેન્કર બુક કરાવતા નથી.

પેટ્રોલિયમ કંપનીઓની ખોટ વધી છે

જેના કારણે પેટ્રોલિયમ કંપનીઓનું નુકસાન વધુ વધ્યું છે. નાયરા એનર્જીએ આ સંબંધમાં મોકલેલા ઈ-મેઈલનો જવાબ આપ્યો ન હતો. Jio-BPએ કહ્યું કે રિટેલ આઉટલેટ્સ પર માંગમાં ભારે વધારો થયો છે. છૂટક અને ઔદ્યોગિક ભાવમાં પ્રતિ લિટર રૂ. 25ના તફાવતને કારણે જથ્થાબંધ ગ્રાહકો પણ છૂટક પેટ્રોલ પંપ પરથી ખરીદી કરી રહ્યા છે.

જથ્થાબંધ માંગને કારણે ડીઝલના ભાવમાં વધારો થયો છે

PSJu રિટેલર્સે બસ ફ્લીટ, મોલ્સ, એરપોર્ટ જેવા જથ્થાબંધ વપરાશકારો માટે ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. આ સ્થળોએ ડીઝલની મદદથી વીજળી ઉત્પન્ન થાય છે. ઉદ્યોગમાં પેટ્રોલનો ઉપયોગ નહિવત છે. જથ્થાબંધ વપરાશકારો માત્ર ડીઝલનો ઉપયોગ કરે છે. કિંમતમાં રૂ. 25ના તફાવતને કારણે જથ્થાબંધ વપરાશકારો હવે પેટ્રોલ પંપ પર જઈને રિટેલરોની જેમ ડીઝલ ભરીને મેળવી રહ્યા છે. હવે તેમને ઈંધણની ટાંકી મળી રહી નથી.

ઔદ્યોગિક વપરાશકારો પણ પેટ્રોલ પંપ પર પહોંચી રહ્યા છે

જથ્થાબંધ વપરાશકર્તાઓને સરળ શબ્દોમાં ઔદ્યોગિક વપરાશકારો તરીકે જોઈ શકાય છે. આ ઔદ્યોગિક વપરાશકારો પણ પેટ્રોલ પંપ તરફ વળ્યા છે, જેના કારણે ત્યાં ભીડ વધી છે. ઔદ્યોગિક અને છૂટક વપરાશકારો મોટી માત્રામાં પેટ્રોલ અને ડીઝલ ખરીદે છે અને સંગ્રહ ખોરી કરે છે. તેમને ખ્યાલ છે કે ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી જશે.

ફેબ્રુઆરીની સરખામણીમાં માંગમાં 33 ટકાનો વધારો થયો છે

રિપોર્ટ અનુસાર, ટેન્ક ટ્રકની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે, જેની અસર માંગ પર પણ જોવા મળી રહી છે. ખાનગી રિટેલરોએ માહિતી આપવાનો ઇનકાર કર્યો છે. જોકે, PSU રિટેલર્સે માર્ચમાં 1-15 વચ્ચે 3.53 મિલિયન ટન ડીઝલનું વેચાણ કર્યું છે. જે ફેબ્રુઆરીના સમાન સમયગાળા કરતા 32.8 ટકા વધુ છે. તે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 23.7 ટકા અને 2019માં માર્ચ 1-15 વચ્ચેની સરખામણીમાં 17.3 ટકા વધુ છે.

આ પણ વાંચો : વિદેશી બજારોમાં મંદી, પુરવઠામાં વધારાને કારણે તમામ તેલીબિયાંના ભાવમાં ઘટાડો, સારા ભાવને કારણે તેલીબિયાંનું ઉત્પાદન વધ્યું

આ પણ વાંચો :અમદાવાદમાં એક જ અઠવાડિયામાં ત્રીજી હત્યા, ભાડૂતે મકાન માલિકને બોથડ પદાર્થ ઝીંકી પતાવી દીધો

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">