AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

31 માર્ચ પહેલા આ ખાતાઓમાં મિનિમમ એમાઉન્ટ જમા કરો નહીંતર નુકસાનનો સામનો કરવો પડશે

આ યોજનાઓમાં દર વર્ષે ઓછામાં ઓછી રકમ જમા કરાવવી પડે છે. આમ કરવામાં નિષ્ફળતા આ યોજનાઓ સાથે સંકળાયેલા ખાતાઓને નિષ્ક્રિય કરે છે જેના કારણે પોલિસીધારકને વધુ રોકાણ માટે તેને નિયમિત ભરવાની જરૂર પડશે.

31 માર્ચ પહેલા આ ખાતાઓમાં મિનિમમ એમાઉન્ટ જમા કરો નહીંતર નુકસાનનો સામનો કરવો પડશે
31 માર્ચ પહેલા આ કામ નિપટાવવું જરૂરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 7:45 AM
Share

નાણાકીય વર્ષ 2021-22 પૂરા થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. હવે એ જોવું રહ્યું કે બધા મહત્તવપૂર્ણ ટેક્સ બચત(Tax Saving) અને રોકાણ (Investment)સંબંધિત તમામ પેડિંગ કામ સમયસર કરવામાં આવે. એવી સંખ્યાબંધ કર બચત યોજનાઓ છે જેમાં દરેક નાણાકીય વર્ષમાં ન્યૂનતમ થાપણની જરૂર હોય છે. આ યોજનાઓમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), નેશનલ પેન્શન સ્કીમ (NPS) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)નો સમાવેશ થાય છે. આ યોજનાઓમાં દર વર્ષે ઓછામાં ઓછી રકમ જમા કરાવવી પડે છે. આમ કરવામાં નિષ્ફળતા આ યોજનાઓ સાથે સંકળાયેલા ખાતાઓને નિષ્ક્રિય કરે છે જેના કારણે પોલિસીધારકને વધુ રોકાણ માટે તેને નિયમિત ભરવાની જરૂર પડશે. તમારે એકાઉન્ટને નિયમિત કરવામાં ઘણો સમય પસાર કરવો પડી શકે છે અને સાથે જ તમારે દંડ પણ ચૂકવવો પડી શકે છે. તે કિસ્સામાં, તમારા માટે નાણાકીય વર્ષ સમાપ્ત થાય તે પહેલાં આ ખાતાઓમાં ઓછામાં ઓછી રકમ જમા કરાવવી વધુ સારું રહેશે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)

જો તમે 31 માર્ચ સુધીમાં તમારા PPF ખાતામાં ન્યૂનતમ રકમ જમા કરાવવામાં સક્ષમ ન હો, તો તમને રૂ.50 નો દંડ આપવામાં આવશે. નાણાકીય વર્ષ માં PPF ખાતામાં ઓછામાં ઓછી રૂ.500/- ડિપોઝીટ જમા કરાવવી જરૂરી છે. તમે તમારા ખાતામાં જેટલા વર્ષો સુધી પૈસા જમા નહીં કરાવો ત્યાં સુધી તમારે લેટ ફી અને ન્યૂનતમ રકમ જમા કરાવવી પડશે. તેમજ જો તમે કોઈપણ નાણાકીય વર્ષમાં રૂ. 500 જમા નહીં કરાવો તો તમારુ ખાતું નિષ્ક્રિય ખાતું ગણવામાં આવશે. નિષ્ક્રિય ખાતાને લોન અથવા ડિપોઝિટના આંશિક ઉપાડ જેવી સુવિધા મળતી નથી સિવાય કે તે તેનું એકાઉન્ટ ફરીથી સક્રિય કરે. નિષ્ક્રિય ખાતાને પાકતી તારીખ પહેલા સક્રિય કરવું પડશે. પાકતી તારીખ પછી એકાઉન્ટ એક્ટિવેટ કરી શકાતું નથી.

રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS)

NPS ના ટિયર-1 ખાતા માં દરેક નાણાકીય વર્ષ માં લઘુત્તમ થાપણ રૂ.1000 જમા કરવાની હોઈ છે આ ખાતા માં થાપણ જમા કરવાની કોઈ મહત્તમ મર્યાદા નથી. ટિયર-2 ખાતાઓમાં કોઈ ન્યૂનતમ થાપણની આવશ્યકતા નથી. પણ અગર જો તમારું ટીયર-૧ ખાતું છે અને તમે ન્યૂનતમ રકમ જમા કરાવી નથી, તો તમારું એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે. આ પછી તમારે દંડની રકમ રૂ.100. એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે ભરવાના રહેશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)

સુકન્યા સમૃદ્ધિ ખાતું ચાલુ રાખવા માટે દરેક નાણાકીય વર્ષમાં રૂ.250 ની લઘુત્તમ ડિપોઝીટ જરૂરી છે. જો મિનિમમ રકમ એકાઉન્ટ માં જમા ન થાય તો એકાઉન્ટને ડિફોલ્ટ એકાઉન્ટ તરીકે ગણવામાં આવે છે. ડિફોલ્ટ ખાતું ખોલવાની તારીખથી 15 વર્ષની અંદર નિયમિત થઈ શકે છે. જોકે આ માટે રૂ. 50/- વાર્ષિક લઘુત્તમ રકમ સાથે દંડ ચૂકવવાની પડશે.

આ પણ વાંચો : Kam-Ni-Vaat: વહેલી તકે PANCARD સાથે AADHAARને કરી લો લિંક, 31 માર્ચ પછી નુકસાનનો કરવો પડશે સામનો

આ પણ વાંચો : MONEY9: બેન્ક FD અને આકસ્મિક ખર્ચ, કેવી રીતે કરશો સંતુલન, જુઓ આ વીડિયોમાં

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">