AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Future-Reliance Deal: દિલ્હી હાઈકોર્ટ તરફથી ફ્યુચર રિટેલને ઝટકો, ઈન્ટરનેશનલ આર્બિટ્રેશનના નિર્ણય પર સ્ટે માંગતી અરજી ફગાવી

દિલ્હી હાઈકોર્ટે આર્બિટ્રેશન ટ્રિબ્યુનલના નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો. કોર્ટે રિલાયન્સ અને ફ્યુચર ગ્રૂપ વચ્ચે  24,731 કરોડની ડીલ પર ઈમરજન્સી આર્બિટ્રેટરના નિર્ણયમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો.

Future-Reliance Deal: દિલ્હી હાઈકોર્ટ તરફથી ફ્યુચર રિટેલને ઝટકો, ઈન્ટરનેશનલ આર્બિટ્રેશનના નિર્ણય પર સ્ટે માંગતી અરજી ફગાવી
દીલ્હી કોર્ટે ફ્યુચર ગ્રુપની અરજી ફગાવી.
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 11:31 PM
Share

DELHI : દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન ટ્રિબ્યુનલના આદેશ પર સ્ટેની માંગ કરતી ફ્યુચર ગ્રુપની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે રિલાયન્સ અને ફ્યુચર ગ્રૂપ વચ્ચે  24,731 કરોડની ડીલ પર ઈમરજન્સી આર્બિટ્રેટરના નિર્ણયમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ સુરેશ કુમાર કૈતે અમેરિકન ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોન પાસેથી જવાબ માંગ્યો હતો. એમેઝોને સિંગાપોર આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ સમક્ષ મર્જરને પડકાર્યો હતો. ફ્યુચર કૂપન્સ પ્રાઈવેટ લિમિટેડ (FCPL) અને ફ્યુચર રિટેલ લિમિટેડ (FRL)ની અપીલ પરના કેસની આગામી સુનાવણી 4 જાન્યુઆરીએ થશે.

FRL તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ અદાલતને આ સ્પષ્ટ કરવા માટે એક વચગાળાનો આદેશ પસાર કરવાની વિનંતી કરી કે સુપ્રીમ કોર્ટ દ્વારા પસાર કરાયેલ અગાઉનો આદેશ (જેણે EA ના અમલીકરણ અંગેની તમામ કાર્યવાહી પર રોક લગાવી હતી) શું યોગ્ય રીતે રચાયેલ આર્બિટ્રેશન ટ્રિબ્યુનલના બાદમાં આવેલા આદેશ પછી પણ લાગુ રહેશે.

શું સુપ્રીમકોર્ટ કે ટ્રિબ્યુનલનો આદેશ અમલમાં રહેશે? હરીશ સાલ્વેએ કહ્યું કે, હું ઇચ્છું છું કે કોર્ટ સ્પષ્ટ કરે કે કયો આદેશ પ્રભાવી થશે. તે (સુપ્રીમ કોર્ટનો આદેશ) એક સંમતિનો આદેશ હતો. આ આદેશ આજથી અમલમાં છે. ત્યાર બાદ ટ્રિબ્યુનલે આદેશ આપ્યો હતો. હું એ જાણવા ઈચ્છુ છું કે વચગાળાનો આદેશ કયો છે? સુપ્રીમ કોર્ટનો આદેશ ચાલુ રહેશે… હું નથી ઈચ્છતો કે એ જણાવવામાં આવે કે ટ્રિબ્યુનલનો આદેશ અમલમાં છે.

નવી અપીલ પર આગળ વધવા માટે સુપ્રીમ કોર્ટના આદેશની જરૂર છે FCPLનું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ વકીલ પરાગ પી ત્રિપાઠીએ પણ હાઈકોર્ટને “સુપ્રીમ કોર્ટના આદેશનું પુનરાવર્તન” કરવા વિનંતી કરી હતી. કોર્ટે કહ્યું કે સર્વોચ્ચ અદાલત સમક્ષ સંબંધિત અપીલો પેન્ડીંગ હોવાને લીધે, નવી અપીલો સાથે આગળ વધવા માટે સુપ્રીમ કોર્ટમાંથી “ક્લિયરન્સ”ની જરૂર પડશે.

આ પણ વાંચો :  GST Compensation: કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 44,000 કરોડ રૂપિયા ફાળવ્યા, ગુજરાતને મળી કેટલી રકમ? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચો : IRCTC : સરકારના નિર્ણયને રોકાણકારોનો આવકાર : 50% Convenience Fees વસૂલવાનો નિર્ણય પરત લેવાતા શેર રિકવર થયો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">