છટણીના માહોલ વચ્ચે આ Software Company કંપની આપી રહી છે નોકરી, 1.25 લોકોને મળશે રોજગારી

TV9 GUJARATI

|

Updated on: Jan 10, 2023 | 12:36 PM

Software Company ની ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કર્મચારીઓની સંખ્યા 2,197 ઘટીને 6.13 લાખ થઈ છે. એટલા માટે તે હવે 1.25 લાખથી વધુ લોકોને નોકરી આપશે.

છટણીના માહોલ વચ્ચે આ Software Company કંપની આપી રહી છે નોકરી, 1.25 લોકોને મળશે રોજગારી
TCS

Follow us on

Software Company Hiring in FY 2023-24 : દેશની સૌથી મોટી સોફ્ટવેર નિકાસકાર કંપની TCS એ જણાવ્યું છે કે તે ડિસેમ્બર 2022 ક્વાર્ટરમાં કર્મચારીઓની કુલ સંખ્યામાં ઘટાડો હોવા છતાં નાણાકીય વર્ષ 2023-24માં 1.25 લાખથી વધુ લોકોને રોજગારી આપશે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં સોફ્ટવેર કંપનીના કર્મચારીઓની સંખ્યા 2,197 ઘટીને 6.13 લાખ થઈ છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ અને મેનેજિંગ ડિરેક્ટર રાજેશ ગોપીનાથને જણાવ્યું હતું કે જો તમે અમારી ભરતીના એકંદર વલણને જુઓ તો અમે લગભગ સમાન સ્તરે ભરતી કરીએ છીએ. આપણે આવનારા નાણાકીય વર્ષમાં 1,25,000 થી 1,50,000 લોકોની ભરતી કરવી જોઈએ.

નાણાકીય વર્ષ 2021-22માં, કંપનીએ 1.03 લાખ નવા લોકોને રોજગારી આપી હતી અને ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 2,197 લોકોની સંખ્યા ઘટવા છતાં, નાણાકીય વર્ષ 2023માં અત્યાર સુધીમાં લગભગ 55,000 લોકોની ભરતી કરી છે. કંપનીના ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર મિલિંદ લક્કરે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2022-23માં અત્યાર સુધીમાં 42,000 નવા લોકોની ભરતી કરવામાં આવી છે.

કંપનીના ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર મિલિંદ લક્કડે જણાવ્યુ કે, કંપનીએ FY23માં અત્યાર સુધીમાં 42,000 ફ્રેશરોની ભરતી કરી છે, જેનો અર્થ છે કે તેણે ત્રીજા ક્વાર્ટરમાં લગભગ 7,000 કર્મચારીઓની ભરતી કરી છે, જ્યારે તે પહેલા છ મહિનામાં 35,000 કર્મચારીઓની ભરતી કરી હતી. હજુ ચોથા ક્વાટરમાં ભરતી વધે તેવી સંભાવના છે.

5 લાખથી વધુ યુવાનોએ અરજી કરી હતી

HR મેજરએ એ પણ સ્પષ્ટ કર્યું કે તે FY24 માં પણ લગભગ 40,000 ફ્રેશર્સની ભરતી કરવાનો ઉદેશ્ય છે તેમણે ઉમેર્યું કે 5 લાખથી વધુ યુવાનોએ ભરતી માટે અરજી કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સંખ્યામાં ઘટાડો માંગના વાતાવરણને કારણે નથી અને મુખ્યત્વે ભૂતકાળમાં વધુ ભરતીને કારણે થયો છે.

1.25 લાખ કર્મચારીઓ એક દાયકા કરતા પણ જુના

ડિસેમ્બર ક્વાર્ટર માટે IT સેવાઓ માટે એટ્રિશન 21.3 ટકા પર આવ્યું હતું અને ગોપીનાથને કહ્યું હતું કે તે ટોચ પર છે અને કંપનીને અપેક્ષા છે કે તે ઘટશે. કુલ કર્મચારીઓ વિશે, તેના ચીફ ઓપરેટિંગ ઓફિસર એન ગણપતિ સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે 1.25 લાખ કર્મચારીઓએ કંપનીમાં એક દાયકાથી વધુ સમય પસાર કર્યો છે અને તેમને કરોડરજ્જુ તરીકે ઓળખાવ્યા છે, જે કરારની સેવાઓની સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરે છે.

Latest News Updates

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati