Commodity Market Today : ટામેટાની કિંમતોના ભાવ ઘટાડવાના પ્રયાસો વચ્ચે આ ચીજોના ભાવ આસમાને પહોંચ્યા

સમગ્ર દેશમાં ટામેટાં(Tomato)ના ભાવને લઈને સામાન્ય જનતાથી લઈ સરકાર પણ પરેશાન છે. જોકે જૂન-જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં ટામેટાના ભાવમાં ઘટાડો થયો છે. હવે ઘણા શહેરોમાં ટામેટા 100 રૂપિયા પ્રતિ કિલોની નીચે પહોંચી ગયા છે. સામે કોબીજ અને કેપ્સીકમ સહિતના ઘણા લીલા શાકભાજી ટામેટાં કરતા મોંઘા વેચાઈ રહ્યા છે.

Commodity Market Today : ટામેટાની કિંમતોના ભાવ ઘટાડવાના પ્રયાસો વચ્ચે આ ચીજોના ભાવ આસમાને પહોંચ્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 6:03 AM

Commodity Market Today : સમગ્ર દેશમાં ટામેટાં(Tomato)ના ભાવને લઈને સામાન્ય જનતાથી લઈ સરકાર પણ પરેશાન છે. જોકે જૂન-જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં ટામેટાના ભાવમાં ઘટાડો થયો છે. હવે ઘણા શહેરોમાં ટામેટા 100 રૂપિયા પ્રતિ કિલોની નીચે પહોંચી ગયા છે. કેન્દ્ર સરકારે કિંમતો કાબુમાં રાખવા સ્વતંત્ર દિવસથી સરકારી સ્ટોર્સ પર 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાંનું વેચાણ શરૂ કર્યું છે.

પરંતુ આમ આદમી  માત્ર ટામેટાના ભાવને લઈને રેશાન નથી પણ કોબીજ અને કેપ્સીકમ સહિતના ઘણા લીલા શાકભાજી ટામેટાં કરતા મોંઘા વેચાઈ રહ્યા છે. રિટેલ માર્કેટમાં તેમની કિંમત 100 રૂપિયાથી વધુ છે.

વાસ્તવમાં ચોમાસાના આગમનની સાથે જ ટામેટાં તેમજ લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા હતા. 20 થી 40 રૂપિયે કિલો મળતા ટામેટા એકાએક 100 રૂપિયે કિલોને પાર પહોંચી ગયા હતા. જ્યારે જુલાઈ માસ સુધીમાં તે રૂ.200 પ્રતિ કિલોના ભાવે વેચાવા હતા. ચંદીગઢમાં એક કિલો ટમેટાની કિંમત 350 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ચોમાસુ નબળું પડતા ભાવ કાબુમાં આવી રહ્યા છે

દેશમાં ચોમાસું નબળું પડી રહ્યું હોવાથી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પણ ઘટી રહ્યા છે. ભીંડા, કાકડી સહિત અનેક લીલા શાકભાજી જુલાઈની સરખામણીએ  હવે સસ્તા થયા છે. 60 રૂપિયે કિલો વેચાતી તુવેર હવે રૂ.30 થી 40 કિલોના ભાવે વેચાઈ રહી છે. હવે સારી ગુણવત્તાની એક કિલો ભીંડા 50 થી 60 રૂપિયામાં મળે છે. તેવી જ રીતે ટામેટા પણ હવે સસ્તા થયા છે. પરંતુ કેપ્સીકમ, કઠોળ અને કોબીજ ટામેટાં કરતાં મોંઘા છે.

કેપ્સિકમ અને કઠોળના ભાવ

એક મીડિયા રિપોર્ટ મુજબ છૂટક બજારમાં ટામેટાંનો સરેરાશ ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે કેપ્સિકમ 120 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે. તેવી જ રીતે કોબીજનો ભાવ પણ 130 રૂપિયા પ્રતિ કિલો છે. જ્યારે છૂટક બજારમાં એક કિલો કઠોળનો ભાવ રૂ.130 થી 140 છે. એટલે કે કેપ્સીકમ, કોબીજ અને કઠોળની કિંમત ટામેટાં કરતાં વધુ છે.

ચોખા પછી ઘઉંએ સરકારની ચિંતા વધારી?

કેન્દ્ર સરકાર મોંઘવારી પર કાબૂ મેળવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરી રહી છે. આમ છતાં ભાવ ઘટવાને બદલે વધી રહ્યા છે. મોંઘવારીની સમસ્યા એ છે કે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા પછી પણ ચોખા મોંઘા થઈ રહ્યા છે. તેની કિંમત 12 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. તેની કિંમતોમાં માત્ર 2.8 ટકાનો વધારો નોંધાયો છે. હવે ઘઉં પણ છેલ્લા 6 મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે.

જો કે ઘઉંના વધતા ભાવને ઘટાડવા માટે સરકારે મોટી યોજના બનાવી છે. તે ખુલ્લા બજારમાં 50 લાખ મેટ્રિક ટન ઘઉં અને 25 લાખ મેટ્રિક ટન ચોખાનું વેચાણ કરશે. ખાસ વાત એ છે કે તે ઈ-ઓક્શન દ્વારા ખુલ્લા બજારમાં ચોખા અને ઘઉંનું વેચાણ કરશે. સરકારને આશા છે કે આ પગલાથી બજારમાં ચોખા અને ઘઉંની આવક વધશે, જેના કારણે કિંમતો ઘટી શકે છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">