AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Commodity Market Today : ભારતે ચોખાની નિકાસ ઉપર લગાવી બ્રેક, જાણો નિર્ણયની શું પડશે અસર?

Commodity Market Today :  કેન્દ્ર સરકારે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ(Ban on export of non-basmati rice) મૂક્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને કારણે ઘણા દેશોમાં ચોખાનું સંકટ ઉભું થશે. ખાસ કરીને એવા દેશો કે જેઓ ચોખા માટે સીધા ભારત પર નિર્ભર છે.

Commodity Market Today : ભારતે ચોખાની નિકાસ ઉપર લગાવી બ્રેક, જાણો નિર્ણયની શું પડશે અસર?
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2023 | 6:37 AM
Share

Commodity Market Today :  કેન્દ્ર સરકારે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ(Ban on export of non-basmati rice) મૂક્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને કારણે ઘણા દેશોમાં ચોખાનું સંકટ ઉભું થશે. ખાસ કરીને એવા દેશો કે જેઓ ચોખા માટે સીધા ભારત પર નિર્ભર છે. ભારત વિશ્વમાં સૌથી વધુ ચોખાની નિકાસ કરતો દેશ છે. અહીંથી યુરોપ, અમેરિકા અને આફ્રિકા તેમજ એશિયા ખંડ સહિતના અનેક દેશોમાં ચોખાની નિકાસ થાય છે.

નિષ્ણાતોનું કહેવું છે કે દેશમાં ખાદ્ય ચીજવસ્તુઓની વધતી કિંમતોને રોકવા માટે કેન્દ્ર સરકારે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કારણ કે દેશના મોટાભાગના લોકોનો ખોરાક માત્ર ચોખા છે. ખાસ વાત એ છે કે ભારતીય લોકો નોન-બાસમતી ચોખાનું સૌથી વધુ સેવન કરે છે. જો નોન-બાસમતી ચોખાની નિકાસ ચાલુ રહી હોત તો તેના ભાવ વધી શક્યા હોત. આવી સ્થિતિમાં સામાન્ય જનતાનું પેટ ભરવું મુશ્કેલ બની જશે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકારે નોન-બાસમતી ચોખા પર થોડા દિવસો માટે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

નેપાળ સહીત આ દેશોને સૌથી વધુ અસર થશે

મોટાભાગના નોન-બાસમતી ચોખા ભારતમાંથી નેપાળ, કેમરૂન, ફિલિપાઈન્સ અને ચીન સહિતના ઘણા દેશોમાં નિકાસ કરવામાં આવે છે. જો આ પ્રતિબંધ લાંબા સમય સુધી રહેશે તો આ દેશોમાં ચોખાની અછત સર્જાઈ શકે છે. ખાસ કરીને નેપાળને સૌથી વધુ અસર થશે.

તૂટેલા ચોખાની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

એવું કહેવામાં આવી રહ્યું છે કે નોન-બાસમતી ચોખા પર પ્રતિબંધને કારણે ભારતમાંથી નિકાસ કરવામાં આવતા લગભગ 80 ટકા ચોખાને અસર થશે. જો કે કેન્દ્ર સરકારના આ પગલાથી છૂટક બજારમાં ચોખાના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

દૂધના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો થઈ શકે છે

ખેડૂતો ડેરી કંપનીઓને મોંઘા ભાવે દૂધ વેચી રહ્યા છે. આ જ કારણ છે કે ઉંચી કિંમતના કારણે ડેરી કંપનીઓ પણ દૂધનું પ્રોસેસિંગ અને પેકેજિંગ કર્યા પછી મોંઘા ભાવે દૂધ વેચી રહી છે. છેલ્લા દોઢ વર્ષથી ઘણા રાજ્યોમાં લાખો પશુઓને વાયરસનો ચેપ લાગ્યો હતો. જેના કારણે હજારો દૂધાળા પશુઓના મોત થયા હતા. ઉપરાંત, વાયરસથી સંક્રમિત પશુઓએ સમય પહેલા દૂધ આપવાનું બંધ કરી દીધું છે. જેના કારણે અચનાક દૂધના ઉત્પાદનમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત કમોસમી વરસાદના કારણે પાક બરબાદ થયો હતો. તેના કારણે ઘાસચારો પણ મોંઘો થયો છે. તેની અસર દૂધના ભાવ પર પણ પડી છે.

MCX માં સોના – ચાંદીનો છેલ્લો બંધ ભાવ ( 20/7/2023, 23:29)

  • Gold : 59557.00 -233.00 (-0.39%)
  • Silver : 75425.00 -984.00 (-1.29%)

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">