જોર કા ઝટકા જોર સે લગા, ચીની કંપનીઓ હવે ભારતમાં નહીં વેચી શકે સસ્તા મોબાઇલ, મેક ઇન ઇન્ડિયાને મળશે પ્રોત્સાહન

બ્લૂમબર્ગનો એક રિપોર્ટ સૂચવે છે કે ભારતનું પગલું ચીનની કંપનીઓને ઓછા દરના બજારમાંથી બહાર કાઢવા અને ભારતીય કંપનીઓને પ્રોત્સાહન આપવાનું છે. ભારત દુનિયાનું બીજું સૌથી મોટું મોબાઈલ માર્કેટ છે જ્યાં ચીનની કંપનીઓનું વર્ચસ્વ છે.

જોર કા ઝટકા જોર સે લગા, ચીની કંપનીઓ હવે  ભારતમાં નહીં વેચી શકે સસ્તા મોબાઇલ, મેક ઇન ઇન્ડિયાને મળશે પ્રોત્સાહન
Symbolic ImageImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2022 | 1:20 PM

ભારત(Indian Mobile Market)માં સસ્તા મોબાઇલ(Mobile)વેચતી ચીની કંપનીઓને સરકારે આડે હાથ લીધી છે. ભારતમાં સસ્તામાં મોબાઈલ વેચતી ચીની કંપનીઓ પર ભારતીય સરકારે લાલ આંખ કરી છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત એક એવી યોજના પર કામ કરી રહ્યું છે જેના હેઠળ ચીનની કંપનીઓને ભારતમાં 12,000 રૂપિયાથી ઓછી કિંમતના મોબાઈલ ફોન વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે પ્રાઇસ બેન્ડ મુજબ, આ તે સેગમેન્ટ છે જેમાં ચીની કંપનીઓએ ભારતીય કંપનીઓને પાછળ છોડી દીધી છે. આ દરના ફોન ભારતમાં પણ બને છે, પરંતુ ચીનની કંપનીઓના ફીચર્સ ગ્રાહકોને આકર્ષે છે. 12,000 રૂપિયાનો અર્થ ડોલરમાં 150 છે અને જો ભારતમાં આ રેટના ફોન પર પ્રતિબંધ મૂકવામાં આવે તો તે સ્થાનિક બજાર અને સ્થાનિક કંપનીઓ પર લોકોની નિર્ભરતા વધશે અને Xiaomi જેવી ચાઈનીઝ બ્રાન્ડની હાલત કફોડી થઈ જશે.

બ્લૂમબર્ગનો એક રિપોર્ટ સૂચવે છે કે ભારતનું આ પગલું ચીનની કંપનીઓને ઓછા દરના બજારમાંથી બહાર કાઢવા અને ભારતીય કંપનીઓને પ્રોત્સાહન આપવાનું છે. ભારત વિશ્વનું બીજું સૌથી મોટું મોબાઈલ માર્કેટ છે, જ્યાં ચીનની કંપનીઓ સતત પોતાની છાપ બનાવી રહી છે. ચીની કંપની સસ્તામાં મોબાઈલ વેચીને ભારતીય ગ્રાહકોને લલચાવ્યા છે. જો રિપોર્ટનું માનીએ તો ભારતના પગલાથી સૌથી મોટો ઝટકો Xiaomi અને તેની સમકક્ષ સ્થાયી ચીની કંપનીઓને પડશે. Xiaomi એક એવી કંપની છે જેણે ભારતમાં પોતાનો પગ પેસારો વધાર્યો છે. ખાસ વાત એ છે કે ચીનમાં કોવિડના કારણે આ કંપનીનું મોબાઈલ માર્કેટ સતત ઘટી રહ્યું છે, જ્યારે ભારતમાં તે સતત વધી રહ્યુ છે, ભારતના લોકોને Xiaomi મોબાઇલનું વધારે આકર્ષણ છે. જેના કારણે સરકાર અમુક પગલા ભરે તેવા એંધાણ છે.

12 હજારથી સસ્તા મોબાઈલ પર જ કેમ પ્રતિબંધ?

હવે એ પણ જાણી લો કે શા માટે માત્ર 12,000થી સસ્તા ફોનને જ ટાર્ગેટ કરવામાં આવશે. હકીકતમાં, ભારતમાં વેચાતા ફોનમાં 12,000 રૂપિયા અથવા $150ના મોબાઈલ ફોન ત્રીજા સ્થાને છે. તે જૂન 2022 ક્વાટરના આંકડા દર્શાવે છે કે ભારતમાં લગભગ 80 ટકા ચાઈનીઝ કંપનીઓ મોબાઈલ ફોનની આ રેન્જ પર કબજો કર્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

હવે Xiaomiને આ સમાચારની જાણ થતાં જ તેની કફોડી થવા લાગી છે. હોંગકોંગના શેરબજારે આનો સંકેત આપ્યો છે. સોમવારે, Xiaomiમાં હોંગકોંગના સ્ટોકમાં મોટો ઘટાડો જોવા મળ્યો. તેના શેર એક જ દિવસમાં 3.6% ઘટ્યા હતા. આ સાથે જ Xiaomiના શેર આ વર્ષે 35% ઘટીને નીચે જઈ રહ્યા છે. ભારતની મોદી સરકાર ચાઈનીઝ મોબાઈલ કંપનીઓ સામે શું, ક્યારે અને શું પગલાં લેશે તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ સૂત્રોમાંથી આવી રહેલા સમાચારે ચીનની કંપનીઓમાં હલચલ મચાવી દીધી છે.

ચીની કંપનીઓની કરચોરી પર કાર્યવાહી

તમને એ પણ ખબર હશે કે કેવી રીતે ચીનની કંપનીઓ પર ટેક્સ અને કસ્ટમ ડ્યૂટીની ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે. રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા તપાસ ચાલી રહી છે. સરકારે ખુદ સંસદમાં જવાબ આપ્યો કે ચીનની ત્રણ મોટી કંપનીઓ ઓપ્પો, શાઓમી અને વિવો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને કરચોરી માટે કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. ચીનની વધુ કંપનીઓને પણ ચિંતા છે કે સરકાર ભવિષ્યમાં વધુ કડક પગલાં લઈ શકે છે. તમને યાદ હશે કે ભારત સરકારે પ્રખ્યાત ચીની કંપની Huawei ટેકનોલોજી અને ZTE કોર્પોરેશન પર પ્રતિબંધ મૂક્યો હતો. આ કંપનીઓ ભારતમાં 5G સાધનોનું વેચાણ પણ કરી શકશે નહીં.

જો ચીનની કંપનીઓ પર પ્રતિબંધ લાગે છે તો Lava અને Micromax જેવી સ્થાનિક કંપનીઓના દિવસો પાછા આવી શકે છે. આ કંપનીઓના માર્કેટમાં ચીનની કંપનીઓએ સૌથી વધુ ફટકો માર્યો છે કારણ કે 10-12 હજારના સેગમેન્ટમાં ભારતની આ બંને કંપનીઓ સારા ફોન બનાવે છે, પરંતુ આકર્ષક ફીચર્સમાં આ મોબઇલ હજુ પાછળ છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">