AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FRIENDS પાસેથી રૂપિયા ઉછીના લેનારાઓ થઈ જાઓ સાવધાન ! મિલ્કત તો જપ્ત થશે જ, જેલ પણ જવુ પડશે

આવનારા દિવસોમાં મિત્રો પાસેથી કોઈ ઇમર્જન્સીમાં રૂપિયા ઉધાર લેતા આપ મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. અહીં સુધી કે જેલ પણ જવું પડી શકે છે. મોદી સરકાર એક એવો વટહુકમ લાવી રહી છે કે જે લાગુ થયા બાદ કો-ઑપરેટિવ સોસાયટી, ચિટ ફંડમાંથી પૈસાની વ્યવસ્થા કરવી મોંઘી પડશે. એટલું જ નહીં, વેપારીઓ અથવા ચૅરિટેબલ ટ્રસ્ટ-સંસ્થા પાસેથી પણ અંગત […]

FRIENDS પાસેથી રૂપિયા ઉછીના લેનારાઓ થઈ જાઓ સાવધાન ! મિલ્કત તો જપ્ત થશે જ, જેલ પણ જવુ પડશે
| Updated on: Feb 25, 2019 | 7:18 AM
Share

આવનારા દિવસોમાં મિત્રો પાસેથી કોઈ ઇમર્જન્સીમાં રૂપિયા ઉધાર લેતા આપ મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. અહીં સુધી કે જેલ પણ જવું પડી શકે છે.

મોદી સરકાર એક એવો વટહુકમ લાવી રહી છે કે જે લાગુ થયા બાદ કો-ઑપરેટિવ સોસાયટી, ચિટ ફંડમાંથી પૈસાની વ્યવસ્થા કરવી મોંઘી પડશે. એટલું જ નહીં, વેપારીઓ અથવા ચૅરિટેબલ ટ્રસ્ટ-સંસ્થા પાસેથી પણ અંગત જરૂરિયાત પૂરી કરવા આસાનીથી પૈસા નહીં મળી શકે.

મીડિયા રિપોર્ટ્સ કેન્દ્ર સરકાર ટૂંકમાં જ એક વટહુકમ લાવવા જઈ રહી છે કે તેનું નામ છે અનિયંત્રિત ડિપૉઝિટલ વટહુકમ. તે લાગુ થયા બાદ ઘણા બધા લોકો પર તેની સીધી અસર પડશે. કહેવાય છે કે આ વટહુકમ દ્વારા સરકારનો ઇરાદો આર્થિક કૌભાંડો નાબૂદ કરવાનો છે.

સરકારના આ વટહુકમની ઘણા નાણાકીય નિષ્ણાતો નોટબંધી સાથે તુલના કરી રહ્યા છે. અત્યાર સુધીના નિયમો મુજબ સંબંધીઓ, બૅંકો, નાણાકીય સંસ્થાઓ, પ્રૉપર્ટી ખરીદારો કે ગ્રાહકો પાસેથી પૈસા ઉધાર લેવા પર છૂટ મળતી હતી. આ જ રીતે કારોબારી પણ કોઈ સંબંધી ન હોય, તેવા લોકો પાસેથી કારોબાર માટે લોન લઈ શકે છે, પરંતુ નવા નિયમને નોટબંધી કરતા પણ મોટો ગણવામાં આવી રહ્યો છે.

નવા નિયમ મુજબ બાળકોના અભ્યાસ, ઘરના કોઈ સભ્યના બીમાર થતા માત્ર સંબંધીઓ પાસેથી જ પૈસા લઈ શકાશે. આ પ્રકારના ખર્ચાઓ માટે લોકો સંબંધીઓના સ્થાને મિત્રો પાસેથી રૂપિયા ઉધાર લેતા હતાં.

નવો વટહુકમ લાગુ થયા બાદ જો બાળકો કોઈ ચૅરિટેબલ સંસ્થામાંથી પોતાના અભ્યાસ માટે લોન લેવા માંગશે, તો તેમને નહીં મળે. હવે વિદ્યાર્થીઓએ કાં તો પોતાના નિકટસ્થ સંબંધીઓ પાસેથી અથવા તો બૅંકમાંથી જ શૈક્ષણિક લોન લઈ શકશે.

જોકે આ વટહુકમથી સૌથી વધારે મુશ્કેલી નાના કારોબારીઓને થઈ શકે છે, કારણ કે આ લોકો બૅંકોની જગ્યાએ અન્ય સ્થાનેથી લોન લઈ પોતાનો વેપાર કરતા હોય છે. વટહુકમ મુજબ બૅંકો કે પછી અન્ય રીતે પૈસા જમા કરવા, ઉધાર લેવા પર આવા લોકોની સંપત્તિ જપ્ત કરી શકાય છે અને સાથે જ તેમણે જેલ પણ જવું પડી શકે છે.

[yop_poll id=1782]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">