AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખુશખબર : દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

દિવાળી પહેલા સરકારે કેન્દ્રીય કર્મચારીઓને સારા સમાચાર આપ્યા છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવા માટે કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ખુશખબર : દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો
Central cabinet approves 3 per cent hike in DA
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 5:29 PM
Share

સરકારે કેન્દ્રીય કર્મચારીઓને સારા સમાચાર આપ્યા છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ (Central Government Employee) અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવા માટે કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે. સૂત્રો મુજબ કેન્દ્રીય કેબિનેટ દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવતા મોંઘવારી ભથ્થામાં 3%ના વધારા અંગે ગુરૂવારે ચર્ચા થઈ હતી, ત્યારબાદ મોંઘવારી ભથ્થુ વધારવાની તરફેણમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

દિવાળી પહેલા મોંઘવારી ભથ્થામાં વધારો

મોંઘવારી ભથ્થામાં કરવામાં આવેલા વધારા બાદ હવે કર્મચારીઓને મળતુ ડીએ 31 ટકા થશે. આ વર્ષે જુલાઈમાં કેન્દ્રીય કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત (DR) દરમાં 1 જુલાઈથી 11 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે DAનો નવો દર 17 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવ્યો હતો. ત્યારે હવે DAમાં ત્રણ ટકાનો વધારો થતાં નવો દર 31 ટકા થયો છે.

મને ક્યારે લાભ મળશે?

આ નવા દરો 1 જુલાઈ, 2021થી લાગુ થશે. તેમજ અગાઉની બાકી રકમ પણ કર્મચારીઓને આપવામાં આવશે. આ મૂળભૂત પગાર(Basic Salary)  અને પેન્શનના હાલના 28% પર વધારાના 3% ચૂકવવાપાત્ર હશે. આ નિર્ણયથી કેન્દ્ર સરકારના 47.14 લાખ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરોને લાભ થશે. આ સાથે કેન્દ્ર સરકારની તિજોરી પર દર વર્ષે 9,488.70 કરોડનો બોજ આવશે.

કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ

તમને જણાવી દઈએ કે કર્મચારી યુનિયન (Employee Union) દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારા અંગે માંગ કરવામાં આવી હતી. જેને કારણે મોદી સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં થયેલ 3 ટકાના વધારાને કારણે હવે કર્મચારીઓને 31 ટકા મોંઘવારી ભથ્થુ મળવાપાત્ર છે.

આ પણ વાંચો: LIC ના પોલિસી ધારકો માટે અગત્યના સમાચાર, તાત્કાલિક પતાવી લો આ કામ, નહીંતર પડશો મુશ્કેલીમાં, જાણો વિગતવાર

આ પણ વાંચો: Stock Update : શેરબજારના પ્રારંભિક કારોબારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો? જાણો અહેવાલ દ્વારા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">