કેનેરા બેંકે આ સેવાઓના ચાર્જમાં ફેરફાર કર્યો, જાણો કેટલી મોંઘી સેવાઓ

બેંક અનુસાર સરેરાશ મિનિમમ બેલેન્સ ન રાખવા પર ગ્રામીણ વિસ્તારોમાં 500 રૂપિયા, શહેરો અને નાના શહેરોમાં 1000 રૂપિયા અને મેટ્રોમાં 2000 રૂપિયા ફી લેવામાં આવશે. બીજી તરફ એક મહિનામાં સરેરાશ બેલેન્સ ન રાખવા માટે શહેરોમાં 45 રૂપિયાથી 1999 રૂપિયા સુધીની ફી વસૂલવામાં આવશે

કેનેરા બેંકે આ સેવાઓના ચાર્જમાં ફેરફાર કર્યો, જાણો કેટલી મોંઘી સેવાઓ
Canara Bank
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2023 | 6:59 AM

જો તમે કેનેરા બેંકના ગ્રાહક છો અથવા કેનેરા બેંકમાં તમારું ખાતું ખોલવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. આ  બેંકે તેની કેટલીક સેવાઓ પરના શુલ્કમાં ફેરફાર કર્યો છે. બેંક અનુસાર આ તમામ સેવાઓ કે જેના શુલ્ક બદલાયા છે તે નોન ક્રેડિટ અને નોન ફોરેક્સ સેવાઓ છે. બેંકે માહિતી આપી છે કે તેણે ચેક રિટર્ન ચાર્જ, ECS ડેબિટ ચાર્જ, ખાતામાં લઘુત્તમ રકમથી ઓછી રકમ રાખવા માટેના શુલ્ક, લેજર ફોલિયો ચાર્જ સાથે ઈન્ટરનેટ અને મોબાઈલ બેંકિંગ સેવા દ્વારા ફંડ ટ્રાન્સફર ફીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ચેક રીટર્ન ચાર્જીસમાં વધારો

જો ટેકનિકલ કારણોસર ચેક રિટર્ન થાય છે, તો ગ્રાહકે તેના માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. જો કે, જો સમીક્ષા બાદ રૂ. 1000 કરતા ઓછાનો ચેક પરત કરવામાં આવે તો રૂ. 200 વસૂલવામાં આવશે. 10 લાખથી ઓછી કિંમતના ચેક પર રૂ. 300 તો  10 થી 50 લાખ રૂપિયા સુધીના ચેક પર 500 રૂપિયા, રૂપિયા 50 લાખથી 1 કરોડ રૂપિયા સુધીના ચેક પર 1000 રૂપિયા અને 1 કરોડ રૂપિયાથી વધુના ચેક પર 2000 રૂપિયાની ફી વસૂલવામાં આવશે.

ECS (ડેબિટ રિટર્ન)

ઈલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ દ્વારા લોકો રોકાણથી લઈને લોનની ચુકવણી સુધીની સેવાઓ લે છે જેમાં એક નિશ્ચિત તારીખે ગ્રાહકના ખાતામાંથી ચોક્કસ રકમ કાપવામાં આવે છે. જો કે, ઘણી વખત ખાતામાં પૈસા ન હોવાને કારણે પૈસા કપાતા નથી જેના પર બેંક ચાર્જ વસુલે છે. ECS ડેબિટના રિટર્ન પર જો રકમ 1000 રૂપિયાથી ઓછી હોય તો 300 રૂપિયા, જો રકમ 1000 રૂપિયાથી 5000 રૂપિયાની વચ્ચે હોય તો રૂપિયા 400, 5 હજાર અને 10 હજારની વચ્ચે રૂપિયા 450, એક લાખથી ઓછી પરંતુ 10 હજારથી વધુના  ECS ડેબિટ રિટર્ન પર રૂ. 475 ફી ચૂકવવાની રહેશે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

બેંક ખાતામાં ન્યૂનતમ રકમનો નવો નિયમ

બેંક અનુસાર સરેરાશ મિનિમમ બેલેન્સ ન રાખવા પર ગ્રામીણ વિસ્તારોમાં 500 રૂપિયા, શહેરો અને નાના શહેરોમાં 1000 રૂપિયા અને મેટ્રોમાં 2000 રૂપિયા ફી લેવામાં આવશે. બીજી તરફ એક મહિનામાં સરેરાશ બેલેન્સ ન રાખવા માટે શહેરોમાં 45 રૂપિયાથી 1999 રૂપિયા સુધીની ફી વસૂલવામાં આવશે જેના પર GST પણ વસૂલવામાં આવશે. જ્યારે શહેરો અને નાના શહેરોમાં 45 રૂપિયાથી 999 રૂપિયા અને ગામડાઓમાં 45 રૂપિયાથી 499 રૂપિયા સુધી GST વસૂલવામાં આવશે.

મોબાઈલ અને ઈન્ટરનેટ દ્વારા ફંડ ટ્રાન્સફર

1000 રૂપિયાથી ઓછા ટ્રાન્સફર પર કોઈ ચાર્જ નહીં લાગે. જ્યારે રૂ. 1000 થી રૂ. 10000ની વચ્ચેના ફંડ ટ્રાન્સફર પર રૂ. 3, રૂપિયા 25 હજારથી  10 હજારથી વચ્ચેના ફંડ ટ્રાન્સફર પર રૂ. 5 અને રૂ. 1 લાખથી ઓછાના ફંડ ટ્રાન્સફર પર રૂ. 8, રૂ. 1 થી 2 લાખની વચ્ચેના રૂ. 15, 20 રૂપિયા ટ્રાન્સફર ફી 2 થી 5 લાખ રૂપિયાની વચ્ચેની રકમ માટે  વસૂલવામાં આવશે. આ સાથે મોબાઈલ નંબર, ઈમેલ, એડ્રેસ વગેરેમાં ફેરફાર કરવા માટે 50 રૂપિયાની ફી લેવામાં આવશે.

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">