Breaking News : શેર બજારને પસંદ ન આવ્યું બજેટ નિફ્ટમાં કડાકો, Future & Options પર સરકારે STT 0.05% વધાર્યો
Future & Options પર સરકારે STT 0.05% વધાર્યો કર્યો છે.ઓપ્શન્સ ટ્રેડિંગ પર ટેક્સ વધારવાની જાહેરાત થતાં, નિફ્ટી માત્ર 2 મિનિટમાં 179.90 પોઈન્ટનો મોટો ઘટાડો થયો છે.

કેન્દ્રિય મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં કેન્દ્રિય બજેટ 2026-27 રજુ કરવાની સાથે બજાર સાથે જોડાયેલા રોકાણ અને ટ્રેડર્સ માટે મહત્વની જાહેરાત છે. બજેટમાં Future & Options બંન્ને પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ વધારવાનો પ્રસ્તાવ રાખ્યો છે. બજેટ મુજબ Future & Options પર એસટીટીને 0.02 ટકા થી વધારીને 0.005 કર્યો છે. જેનાથી ડેરિવેટિવ્સ સેગમેન્ટમં ટ્રેડિંગનો ખર્ચ વધુ વધશે.
શેર બજારને પસંદ ન આવ્યું બજેટ
કહી શકાય કે,સેન્સેક્સ 1200 પોઈન્ટ અને નિફ્ટી 400 પોઈન્ટથી વધુ ઘટ્યો છે.બજેટ રજૂ થયા પછી શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, અત્યાર સુધીમાં તેમાં 1,900 પોઈન્ટનો ઘટાડો થયો છે.
બજારને બજેટ કેમ ન ગમ્યું તેના 3 મુખ્ય કારણોની જો આપણે વાત કરીએ તો.
1. STT ટેક્સ વધારવામાં આવ્યો
2. સરકાર દ્વારા 12 લાખ કરોડ રૂપિયાથી વધુની લોન લેવાની જાહેરાત બજારને પસંદ ન આવી.
3. બજારમાં રોકાણ વધારવા માટે કોઈ યોજના જાહેર કરવામાં આવી ન હતી.
નિફ્ટીએ તીવ્ર રિકવરી શરૂ કરી, 2 મિનિટમાં 326 પોઈન્ટનો વધારો થયો છે.
Day’s Lowથી સેન્સેક્સ 1200 પોઈન્ટ વધ્યો
STT શું હોય છે?
સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) શેર બજારમાં કરવામાં આવતી લેવડ-દેવડ પર લાગેલો ટેક્સ છે. આ ટેક્સ ઈક્વિટી શેર,ઈક્વિટી મ્યુચલફંડ, ફ્યુચર્સ અને ઓપ્શન પર લાગે છે. આ ટ્રાઝેક્શન પર એસટીટી આપવું જરુરી હોય છે.
ભારતમાં STT ક્યારે લાગું થયું?
ભારતમાં STTની શરુઆત 1 ઓક્ટોબર 2004ના રોજથી થઈ હતી. જેનું કામ લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સના સ્થાને લેવું, ટેક્સ ચોરી રોકવી, તેમજ ટેકસ લેવાનું સરળ બનવવાનું હતુ. પરંતુ 2018ના બજેટમાં સરકારે ફરીથી એલટીસીજી ટેક્સ લાગુ કર્યો છે પરંતુ એસટીટી ને પણ જાળવી રાખ્યો છે.
બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, અહી ક્લિક કરો



