દંત કાંતિ કે એલોવેરા જેલ? પતંજલિની કઈ પ્રોડક્ટ સૌથી વધુ વેચાય છે?
ભારતમાં FMCG સેક્ટરમાં પતંજલિના ઉત્પાદનોની લોકપ્રિયતામાં વધારો થયો છે. પતંજલિની દંત કાંતિ અને એલોવેરા જેલનો ઉપયોગ મોટાભાગના ઘરોમાં વ્યાપકપણે થઈ રહ્યો છે. એવામાં શું તમને ખબર છે કે, કંપનીની કઈ પ્રોડક્ટ સૌથી વધુ વેચાય છે?

દેશી ઘી અને આયુર્વેદિક ટેબ્લેટ સહિત પતંજલિની ઘણી પ્રોડક્ટસ બેસ્ટસેલર્સમાં જોવા મળી રહી છે. કંપનીની વેબસાઇટ અનુસાર, ગાયનું ઘી, સત્તુ, દૂધ પાવડર અને Peedanil Gold જેવી પ્રોડક્ટસ હજુ પણ ડિમાન્ડમાં છે.
વેબસાઇટ અનુસાર ડેટા જાણો
FMCG બજારમાં પતંજલિ એક જાણીતું નામ છે અને તેની કેટલીક પ્રોડક્ટસ સૌથી વધુ વેચાતી યાદીમાં દેખાઈ રહી છે. ફૂડ, હર્બલ સપ્લિમેન્ટ્સ અને સામાન્ય ઘરગથ્થુ ઉત્પાદનો સહિત ઘણી વસ્તુઓ લોકપ્રિય બની રહી છે તેમજ સારી રીતે વેચાય છે. પતંજલિની વેબસાઇટ અનુસાર, તેના સૌથી વધુ વેચાતા ઉત્પાદનોમાંનું એક પતંજલિ ગાયનું ઘી છે. દેશી ગાયના ઘીની 5 લિટર બોટલની કિંમત આશરે ₹3,843 છે.
1 લિટરના પેકની કિંમત લગભગ ₹30 છે. વધુમાં, પતંજલિના 500 ગ્રામ ચણા સત્તુની કિંમત લગભગ ₹100 છે અને Patanjali Cow’s Whole Milk Powder (500 ગ્રામ) ની કિંમત લગભગ ₹235 છે. આ પ્રોડક્ટસ થકી પતંજલિ પોતાની હાજરી મજબૂત રીતે નોંધાવી રહી છે.
પતંજલિના ટેબ્લેટની કિંમત કેટલી?
ખાદ્યપદાર્થો અને ઘરગથ્થુ વસ્તુઓ ઉપરાંત પતંજલિની આયુર્વેદિક દવાઓ અને Divya Peedanil Gold Tablet પણ કંપનીની સૌથી વધુ વેચાતી યાદીમાં સ્થાન પામે છે. આ ટેબ્લેટની કિંમત વેબસાઇટ પર લગભગ ₹480 બતાવવામાં આવી છે.
બીજા ઓનલાઈન માર્કેટપ્લેસ પર પણ 20 ટેબ્લેટની કિંમત 375 રૂપિયા જોવા મળી રહી છે. આ ડેટા દર્શાવે છે કે, પતંજલિની કેટલીક પ્રોડક્ટસ હજુ પણ સારી રીતે વેચાઈ રહી છે. ટૂંકમાં, જે રોજિંદા જરૂરિયાતો અથવા બજેટ-ફ્રેંડલી વસ્તુ (ઘી, દૂધ પાવડર, સત્તુ, વગેરે) છે, તેમાં સતત વધારો થઈ રહ્યો છે. વધુમાં, આયુર્વેદિક ટેબ્લેટ પણ કંપનીની યાદીમાં છે.
