AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Strike : બેંક કર્મચારીઓ આજથી બે દિવસ હડતાળ ઉપર ઉતરશે, જાણો કેમ ભરાયું પગલું

ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) એ કહ્યું, "અમે હડતાળના આ કોલને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. અમે બેંકિંગ ક્ષેત્રની માંગણીઓને સંબોધવા માટે હડતાળમાં જોડાઈ રહ્યા છીએ."

Bank Strike : બેંક કર્મચારીઓ આજથી બે દિવસ હડતાળ ઉપર ઉતરશે, જાણો કેમ ભરાયું પગલું
Bank strike on 27 June
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 7:19 AM
Share

Bank Strike in March 2022: આજે 28 અને આવતીકાલે 29 માર્ચના રોજ ટ્રેડ યુનિયનોની બે દિવસીય દેશવ્યાપી હડતાળ(Bank Strike)બેંકોના કામકાજને અસર કરી શકે છે. બેંક કર્મચારી યુનિયનના એક વર્ગે સોમવાર અને મંગળવારે હડતાળને સમર્થન આપ્યું છે. કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને વિવિધ ક્ષેત્રોના સ્વતંત્ર ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચે સરકારની જનવિરોધી આર્થિક નીતિઓ અને શ્રમ વિરોધી નીતિઓના વિરોધમાં બે દિવસની હડતાળનું આહ્વાન કર્યું છે. તેમની મુખ્ય માંગણીઓમાં શ્રમ સંહિતા નાબૂદ કરવી, કોઈપણ પ્રકારનું ખાનગીકરણ બંધ કરવું, નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન (NMP) નાબૂદ કરવું, મનરેગા હેઠળ વેતનની ફાળવણીમાં વધારો કરવો અને કોન્ટ્રાક્ટ કામદારોને નિયમિત કરવાનો સમાવેશ થાય છે.

જાણો AIBEAએ શું કહ્યું

ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) એ કહ્યું, “અમે હડતાળના આ કોલને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. અમે બેંકિંગ ક્ષેત્રની માંગણીઓને સંબોધવા માટે હડતાળમાં જોડાઈ રહ્યા છીએ.”

સરકાર બેંકોનું ખાનગીકરણ બંધ કરે તેવી માંગ

AIBEAના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે જણાવ્યું હતું કે બેંક યુનિયનની માંગ છે કે સરકાર જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ બંધ કરે અને તેમને મજબૂત કરે. આ ઉપરાંત અમે માંગ કરીએ છીએ કે દેવાની વસૂલાત ઝડપી કરવામાં આવે, બેંક થાપણો પર વ્યાજ વધારવામાં આવે, સર્વિસ ચાર્જ ઘટાડવામાં આવે અને જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવામાં આવે.

બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે

જાહેર ક્ષેત્રની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ જણાવ્યું છે કે હડતાલની તેની સેવાઓ પર મર્યાદિત અસર પડી શકે છે. SBIએ કહ્યું કે તેણે તેની તમામ શાખાઓ અને ઓફિસોમાં સામાન્ય કામગીરી સુનિશ્ચિત કરવા માટે જરૂરી વ્યવસ્થા કરી છે.

28 અને 29 માર્ચે હડતાળ ચાલુ રહેશે

પંજાબ નેશનલ બેંક (PNB) એ જણાવ્યું છે કે AIBEA, બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) અને ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) એ 28 અને 29 માર્ચે હડતાળની સૂચના આપી છે. બેંગલુરુમાં મુખ્યમથક ધરાવતી કેનેરા બેંકે પણ કહ્યું છે. હડતાલને કારણે સામાન્ય બેંકિંગ કામગીરી પ્રભાવિત થઈ શકે છે.

આ પણ વાંચો : FPI : આ વર્ષે FPI એ ભારતીય બજારમાંથી 1.14 લાખ કરોડઉપાડ્યા, સતત 6 મહિનાથી વેચાણ કરી રહ્યા છે

આ પણ વાંચો : ગૌતમ અદાણીની કંપની ઈ-વ્હીકલ ચાર્જિંગના ક્ષેત્રમાં પ્રવેશવાની કરી રહી છે તૈયારી, દેશભરમાં 1,500 સ્ટેશન સ્થાપવાની યોજના

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">