AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Locker Rules : બેંક લોકરમાં પૈસા મુક્યા છે? રહેજો સાવધાન! શું RBI ના આ નિયમની તમને જાણ છે?

Bank Locker Rules : જો બેંકની બેદરકારીને કારણે લોકરમાં રાખેલો સામાન ખરાબ થઈ જાય તો બેંકે વળતર ચૂકવવું પડશે. બેંકના કર્મચારીની છેતરપિંડીથી નુકસાન થાય તો પણ બેંક ભરપાઈ કરશે. આ વળતર લોકરના વાર્ષિક ભાડાના 100 ગણા જેટલું હશે.

Bank Locker Rules : બેંક લોકરમાં પૈસા મુક્યા છે? રહેજો સાવધાન! શું RBI ના આ નિયમની તમને જાણ છે?
Bank Locker Rules
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2023 | 9:52 AM
Share

Bank Locker Rules : જો તમે પણ કોઈ બેંકમાં લોકર લીધું છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. આમતો તમે તમારી કિંમતી વસ્તુઓને લોકરમાં રાખો છો જેથી તે સુરક્ષિત રહે, પરંતુ ધારો  કે લોકરમાં પડેલી તમારી ચીજવસ્તુઓ ખરાબ થઈ જશે તો તેની જવાબદારી કોણ લેશે? રાજસ્થાનમાં PNB બેંકના લોકરની ઘટના બાદથી લાખો લોકોને આ પ્રશ્ન પરેશાન કરી રહ્યો છે. શું આવી સ્થિતિમાં બેંકની કોઈ જવાબદારી બને છે? ક્યાં સંજોગોમાં બેંક  તમારા કિંમતી સામાનની શું જવાબદારી લે છે ? અને ક્યાં સંજોગોમાં હાથ ઉપર કરી શકે છે.આવો જાણીએ શું કહે છે RBIનો નિયમ…

તમને જણાવી દઈએ કે 1 ફેબ્રુઆરી, 2023થી દેશમાં લોકરના નવા નિયમો લાગુ થઈ ગયા છે. આ નિયમોમાં ગ્રાહકોના લોકરમાં રાખવામાં આવેલા સામાનની સુરક્ષા મજબૂત કરવામાં આવી છે. નવા નિયમો તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. આરબીઆઈએ બેંકોને 1 જાન્યુઆરીથી વર્તમાન લોકર ગ્રાહકો સાથે લોકર એગ્રીમેન્ટ રિન્યૂ કરવા જણાવ્યું હતું. આરબીઆઈના જણાવ્યા અનુસાર, બેંકો એ સુનિશ્ચિત કરશે કે તેમના લોકર કરારમાં કોઈ અયોગ્ય નિયમો અથવા શરતો નથી. ઉપરાંત, લોકર એગ્રીમેન્ટ વધારે પડતું ન હોવું જોઈએ. હવે ચાલો જાણીએ કે આ નિયમો શું છે.

વળતર ચૂકવવું પડશે

જો બેંકની બેદરકારીને કારણે લોકરની સામગ્રીને કોઈ નુકસાન થાય છે, તો બેંક તમને તેની ભરપાઈ કરશે. આરબીઆઈના નવા નિયમો અનુસાર લોકર અને બેંક પરિસરની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવાની જવાબદારી બેંકોની છે. ઉપરાંત, બેંકે ખાતરી આપવી પડશે કે આગ, ચોરી, લૂંટ કે મકાન ધરાશાયી થવા જેવી ઘટનાઓ તેમની પોતાની બેદરકારી કે ક્ષતિને કારણે બનતી નથી. બીજી બાજુ, જો લોકરની સામગ્રીને ભૂકંપ, વીજળી, તોફાન અથવા પૂર વગેરે જેવી કુદરતી આફતોને કારણે નુકસાન થાય છે, તો બેંક તમને વળતર આપવા માટે બંધાયેલો રહેશે નહીં.

વાર્ષિક ભાડાના 100 ગણા સુધી વળતર

જો બેંકની બેદરકારીને કારણે લોકરમાં રાખેલો સામાન ખરાબ થઈ જાય તો બેંકે વળતર ચૂકવવું પડશે. બેંકના કર્મચારીની છેતરપિંડીથી નુકસાન થાય તો પણ બેંક ભરપાઈ કરશે. આ વળતર લોકરના વાર્ષિક ભાડાના 100 ગણા જેટલું હશે.

જો તેને ઉધઈ લાગે તો શું થશે?

જો લોકરમાં રાખેલા સામાનમાં ઉધઈ મળી આવે તો તે બેંકની બેદરકારી સાબિત થશે. આવી સ્થિતિમાં બેંકને નુકસાન માટે વળતર ચૂકવવું પડી શકે છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">